ઘરગથ્થુ અને અદ્ભૂત ગણાતું દાદીમાનું વૈદું
૦૮-ઓક્ટોબર-૨૦૧૬
- પીપરીમૂળ (ગંઠોડા)નું ચૂર્ણ મધ સાથે ચાટવાથી ઊંઘ સારી આવે છે.
- ચીરા કે ઉઝરડા થયા હોય ત્યાં ફટકડીનો ટુકડો પાણીયુક્ત કરીને ઘસવાથી રક્તસ્ત્રાવ બંધ થાય છે અને ઘાવ રુઝાય છે.
- સૂંઠ, સંચળ અને સુવાદાણાનું સમભાગે ચૂર્ણ લેવાથી આફરો મટે છે.
- દાઝવા ઉપર કાચા બટાટાને પથ્થર ઉપર ઘસીને તેનો લેપ લગાડવાથી રાહત મળે છે.
- ફુલાવેલી ફકટડી અને સાકર સમભાગે લેવાથી કમળો મટે છે.
- એક મુઠ્ઠી તલ ચાવીને દરરોજ ખાવાથી બહુમૂત્રતા કે પથારીમાં પેશાબ થતો બંધ થાય છે.
- શરદીમાં સૂંઠનું ઉકાળેલું પાણી પીવાથી રાહત મળે છે.
- ઝાડા થયા હોય ત્યારે છાશ કે દહીંમાં ચપટી સૂંઠ નાખીને લેવાથી ઝાડા મટે છે.
- બાળકને જન્મ્યા પછી ગળથૂથી (ગળાહૂતિ) પીવડાવાય છે. ગળથૂથી તરીકે જૂનો ગોળ પાણીમાં કાલવીને તેમાં સહેજ ગાયનું ઘી ઉમેરીને ચમચી ચમચી દિવસમાં બે વખત આપવાથી પેટ સાફ થાય છે.
- પ્રસૂતિ પછી સૂંઠનું કાટલું ખવડાવવાથી વાયુનું શમન થાય છે અને ગર્ભાશય પૂર્વવત્ બને છે.
- પ્રસૂતિ પછી સુવાવડી મહિલાને સુવા દાણા કે સુવાની ભાજી ખવડાવાય છે, જેથી સુવા રોગ થતો નથી અને ગર્ભાશયની શુદ્ધિ થાય છે તેમજ ધાવણ પણ વધુ આવે છે.
- આફરો કે પેટશૂળ હોય ત્યારે હિંગ કે ડીકામારી દિવેલમાં ગરમ કરી ડૂંટી ફરતું ચોળવાથી રાહત મળે છે.
- નરણા કોઠે એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ મેળવી પીવાથી કબજિયાત દૂર થાય છે.
- એરંડિયુ (દિવેલ) અથવા ઘીમાં હિમજ લેવાથી કબજિયાત મટે છે.
- તુલસી, ફુદીનો, મરી અને આદુનો ઉકાળો કરી પીવાથી તાવ અને શરદી-ઉધરસમાં રાહત મળે છે.
- લૂ લાગેલી હોય ત્યારે નાકમાં ડુંગળીનો રસ બે-ચાર ટીપાં નાખવાથી ફાયદો થાય છે.
- હિસ્ટીરિયા કે વાઈ આવી હોય તેને ડુંગળી કાપીને સૂંઘાડવાથી તરત ફાયદો થાય છે.
- આદુનો રસ અને ડુંગળીનો રસ મેળવી એક ચમચી જેટલો આપવાથી ઊલટી ઊબકા મટે છે.
- દિવેલને ગરમ કરી ઠેર એટલે વાળમાં લગાડવાથી વાળ ઓછા ખરે છે.