એક ATM એક દિવસ ૨૦૦ વ્યક્તિ જ નાણાં ઉપાડી શકે ? કેમ જાણો..

    ૧૨-નવેમ્બર-૨૦૧૬


 

 

સૂત્રોનો જણાવ્યા અનુસાર એટીએમ સેવા સામાન્ય થતા હજુ 15 દિવસ લાગશે.

તેનું કારણ તપાસતા જાણવા મળ્યું છે કે દેશભરમાં અંદાજે ૨ લાખ 60 હજાર જેટલા જ એટીએમ છે.

જેમાં માત્ર ૪૪ હજાર કરોડ રૂપિયા પહોંચાડવામાં આવ્યા છે.

હવે સમજવા જેવી વાત એ છે કે ATM માંથી નવી નહીં પણ 100, 50, ની નોટ જ નીકળે છે.

હવે માત્ર ૧૦૦, ૫૦ની નોટ ATMમાં મૂકાતી હોવાથી એક ATM માં માત્ર ૪ લાખ રૂપિયા જ ભરાય છે.

જેના કારણે 1 વ્યક્તિ જો ૨૦૦૦ ઉપાડે તો એક ATM માંથી દિવસભર 200 લોકો જ પૈસા ઉપાડી શકે એટલે નાની નોટ ATMમાં હોવાથી પણ તકલીફ પડી રહી છે. જે થોડા દિવસમાં દૂર થઈ હશે.