કલકત્તામાં એક બિનસરકારી સંગઠને ગૌહત્યા અટકાવવા અને ગૌરક્ષા માટે ‘સેલ્ફી વીથ કાઉ’ નામે એક અનોખું અભિયાન શરૂ કર્યું છે. આ અભિયાનનું ‘કાઉફાઈ’ ઉપનામ આપવામાં આવ્યું છે. અભિયાન શરૂ કરનાર એનજીઓ ગૌસેવા પરિવારે જણાવ્યું હતું કે, આ અભિયાનને ખૂબ જ સારુ સમર્થન મળી રહ્યું છે. ગૌસુરક્ષાને રાજનીતિ કે ધર્મ સાથે જોડવી જોઈએ નહીં. આ અભિયાન અંતર્ગત લોકોને ગાયના આર્થિક અને ઔષધિય ગુણોથી અવગત કરાવવામાં આવી રહ્યા છે, જેમાં ખાસ કરીને યુવાઓ તરફથી ખૂબ જ સારી પ્રતિક્રિયા મળી રહી છે.