પિતાની અંતિમ યાત્રામાં નાચી પુત્રીઓ

    ૨૮-નવેમ્બર-૨૦૧૭


ક્યારેય કોઈના અંતિમવિધિમાં કોઈને નાચતા જોયા છે, પરંતુ આવો એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં દીકરીઓએ પિતાને એવી વિદાય આપી, જેવી દેશમાં આજ સુધી કોઈને નહીં મળી હોય. દિલ્હી-એનસીઆરમાં દીકરીઓ પોતાના પિતાના મૃતદેહને સ્મશાન સુધી લઈ ગઈ હતી. દીકરીઓ રીતે નાચી રહી હતી, જાણે કે કોઈ જાનમાં નાચતા હોય. આવી અંતિમવિધિ જોઈને સૌ કોઈ હેરાન રહી ગયા હતા.

જ્યારે દીકરીઓને પિતાની અંતિમયાત્રામાં નાચવા-ગાવાનું કારણ પૂછવામાં આવ્યું તો માલૂમ પડ્યું કે, તે અંતિમ યાત્રા નોઈડાના એક વેપારી હરિભાઈ લાલવાનીની હતી. દીકરીઓએ કહ્યું કે, તેમના પિતાની અંતિમ ઇચ્છા હતી કે, તેમની અંતિમ યાત્રા ઉત્સવની જેમ ઊજવવામાં આવે.