૧૯૫૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીનું એ અત્યંત વિવાદાસ્પદ પ્રકરણ...!

    ૦૮-નવેમ્બર-૨૦૧૭

 

જ્યારે સરદાર પટેલના જમણા હાથ સમાન ભાઈકાકાને હરાવવા કોંગ્રેસે ક્ષત્રિય કાર્ડ ખેલેલું

ગુજરાત વિધાનસભા ચૂંટણીનો માહોલ જામ્યો છે. હજુ તો થોડા દિવસો પહેલાંવિકાસમુદ્દે ઉગ્ર ચર્ચાએ જોર પકડેલું. પરંતુ એવું શું બન્યું કે, એકાએક નાત-જાત-કોમનો મુદ્દો તખ્તા ઉપર આવી ગયો અને વિકાસ . બાબતો પાછળ ધકેલાઈ ગઈ ?! સંચાર-માધ્યમો અને સોશ્યલ મીડિયામાં પણ મુખ્ય રાજકીય પક્ષોનું સ્થાન હાર્દિક, અલ્પેશ, જિગ્નેશે લઈ લીધું. મીડિયાએ એવી તો હવા ઊભી કરી, જાણે ત્રણેય યુવાનોના ગજવામાં એમની સંપૂર્ણ જ્ઞાતિ-જાતિ આવી ગઈ હોય ! ચૂંટણી પંડિતો તેમનાં જાડાં સમીકરણોને આધારે જય-પરાજયની ફોર્મ્યુલા ઘડીને તેનો પ્રચાર પણ કરી રહ્યા છે ત્યારે જાણવું રસપ્રદ થઈ રહેશે કે, ૧૮ ડિસેમ્બર, ૨૦૧૭ના રોજ ગુજરાત-હિમાચલ પ્રદેશનાં ચૂંટણી પરિણામો જાહેર થશે ત્યારે વિજયી કોણ બનશે ? ભાજપા કે કોંગ્રેસ ? અંગે પ્રચાર-અપપ્રચારની આંધી ઊઠી છે ત્યારે ગુજરાતની જનતા, મતદારો માટે પણ યાદ કરવું રસપ્રદ થઈ રહેશે કે, ગુજરાતના જાહેરજીવનમાં નાત-જાત-કોમવાદનાં પરિબળોનો રાજકીય પ્રયોગ તો દાયકાઓ જૂની બાબત છે. આપણને ૧૯૮૧ અને ૧૯૮૫ના અનામત વિરોધી આંદોલનો અને તેને અપાયેલ કોમી વળાંકની બાબત પણ યાદ છે. માધવસિંહ સોલંકીનીખામથિયરી - ક્ષત્રિય, હરિજન, આદિવાસી, મુસ્લિમ જાતિના ધ્રુવીકરણની પણ ખબર છે. પરંતુ એથીયે પાછળ જઈએ તો આજથી ૬૫ વર્ષ અગાઉ-૧૯૫૨ની પહેલી ચૂંટણી-ગુજરાતમાં વિધાનસભા ચૂંટણીમાં પણ નિકૃષ્ટ જ્ઞાતિવાદી કાર્ડ ખેલવામાં આવ્યું હતું. તેની વાત કરીએ તો આજની નવી પેઢીને માટે એક આંચકો-આઘાતજનક બાબત થઈ રહેશે. ‘સાધનાના સુજ્ઞ વાચકો સમક્ષ પ્રસ્તુત છે.. ૧૯૫૨ની ગુજરાત વિધાનસભા ચૂંટણીનું અત્યંત વિવાદાસ્પદ પ્રકરણ...!

કોણ હતા ભાઈકાકા?


 

સરદાર વલ્લભભાઈ પટેલના જમણા હાથ સમાન ભાઈલાલભાઈ દ્યાભાઈ પટેલ - ભાઈકાકાનું નામ ગુજરાતના જાહેરજીવનમાં બહુ સન્માનપૂર્વક આજે પણ ઉચ્ચારાય છે. વડોદરામાં શ્રી અરવિંદના વિદ્યાર્થી તરીકે દેશભક્તિની દીક્ષા પામનાર ભાઈલાલભાઈ, સિંધમાં સિંધુ નદી ઉપરના સક્કર બેરેજના નિર્માણકાર્યથી યશસ્વી ઇજનેર તરીકે પંકાયેલા. સરદાર સાહેબ અમદાવાદ મ્યુનિસિપાલિટીમાં પ્રમુખ પણ રહેલા. તેમણે પછીના વર્ષોમાં ભાઈકાકાને મ્યુનિસિપાલિટીના મુખ્ય ઇજનેર તરીકે નિમંત્રણ આપેલ. ૧૯૪૦-૪૨ના અઢી વર્ષમાં , ભાઈકાકાએ અમદાવાદની કાયાપલટ કરી નાખેલી. પછી ૧૯૪૨માંહિંદ છોડોઆંદોલનને કારણે, અમદાવાદની નોકરીનો ત્યાગ કરી, ભાઈકાકા આણંદ ગયા. ભાઈકાકાએ આણંદ-કરમસદ વચ્ચેની વિશાળ જમીન ઉપર, સરદાર સાહેબની પ્રેરક-સ્મૃતિરૂપ શિક્ષણ-સંસ્કારનગરી- વલ્લભવિદ્યાનગરના વિશ્ર્વકર્મા તરીકે બહુ ખ્યાતિ મેળવેલી. વલ્લભવિદ્યાનગર સર્જનનાં વર્ષોમાં - ખાસ કરી સરદાર પટેલના નિધન પછી, ભાઈકાકાને તત્કાલીન કોંગ્રેસ સરકાર અને કોંગ્રેસ પાર્ટીના બહુ કડવા અનુભવો થયેલા. પરિણામે ૧૯૫૨ની પ્રથમ ચૂંટણી વખતે ભાઈકાકાએલોકપક્ષનામે રાજકીય મંચ સ્થાપીને, કોંગ્રેસ પાર્ટી વિરુદ્ધ જનમત કેળવવાનું સાહસ કરેલું. ચૂંટણીમાં આણંદ વિધાનસભા બેઠક ઉપરથી ચૂંટણી લડવાની જાહેરાત ભાઈકાકાએ કરેલી.

ભાઈકાકા ચૂંટણીમાં ઊભા રહેવાના છે તેવા સમાચારથી કોંગ્રેસીઓમાં હડકંપ મચેલો

ચરોતર પંથકમાં ભાઈકાકાની પ્રતિભા એક સ્વાભિમાની વિદ્યાપુરુષ અને સંસ્કારી રાજપુરુષ તરીકે ઊપસી આવેલી. પરિણામે ભાઈકાકા ચૂંટણીમાં ઊભા રહેવાના સમાચાર માત્રથી કોંગ્રેસી વર્તુળોમાં હડકંપ મચી ગયો ! સમગ્ર બાબત ભાઈકાકાની આત્મકથારૂપ સંપાદિત પુસ્તક : ‘ભાઈકાકાનાં સંસ્મરણોમાં સુપેરે ઝીલાઈ છે. (સસ્તુ સાહિત્ય પ્રકાશન - પ્રકરણ-૨૪ : રાજકારણમાં પ્રવેશ -પૃષ્ઠ - ૩૫૩થી ૩૬૮)

ભાઈકાકા દ્વારા આણંદથી ઉમેદવારી કરવાના સમાચારે વેગ પકડતાં , ગુજરાત કોંગ્રેસના તત્કાલીન મોભીજન શ્રી મોરારજીભાઈ દેસાઈએ સ્થાનિક આગેવાન શ્રી રાવજીભાઈ મણિભાઈને બોલાવી, અંગેની જાણકારી મેળવવા પ્રયાસ કર્યો. ભાઈકાકા સામે ચિમનભાઈ દેસાઈ જીતી શકે તેવા ઉમેદવાર નહોતા. કદાચ ચિમનભાઈ દેસાઈ ભાઈકાકા સામે ચૂંટણી લડવા છેલ્લી ઘડીએ ઇન્કાર કરે તો, ભાઈકાકા બિનહરીફ પણ ચૂંટાઈ શકે એવી વાત પણ થઈ.

છેવટે ભાઈકાકાને હરાવી શકે તેવા એક માત્ર ઉમેદવાર શ્રી નટવરસિંહ સોલંકી હોઈ શકે એવો નિષ્કર્ષ નીકળ્યો. કારણ કે આણંદ વિધાનસભા મતદારક્ષેત્રમાં તે વખતે ક્ષત્રિયોની સંખ્યા ૬૦ ટકા હતી. શ્રી નટવરસિંહ સોલંકી ક્ષત્રિય સભાના મંત્રી હતા. પરંતુ એમાં એક મુશ્કેલી હતી કે, ૧૯૫૨ પહેલાં ક્ષત્રિયોનું વર્ચસ્વ તોડવા, તત્કાલીન કોંગ્રેસ સરકારે શ્રી નટવરસિંહ સોલંકી વિરુદ્ધ ૧૨ ચેપ્ટર કેસ કરેલા. તેમનાં હથિયારો અને મોગર ગામ અને વાંટાની જમીન પણ જપ્ત કરેલી. પરંતુ ભાઈકાકાને ચૂંટણીમાં હરાવવા માટે મોરારજીભાઈએ રાવજીભાઈ મણિભાઈને સૂચના આપી કે, તમે નટવરસિંહ સોલંકીનો સંપર્ક કરી, તેમને કોંગ્રેસની ટિકિટ ઉપર ભાઈલાલભાઈ પટેલ (ભાઈકાકા) વિરુદ્ધ ચૂંટણી લડવા સમજાવીને તૈયાર કરો. વધુમાં નટવરસિંહ સોલંકીને કહેજો કે, તેમની સામેના તમામ ચેપ્ટર કેસ કોઈકસમજફેરથી કરવામાં આવેલા છે. નટવરસિંહ સામેના સઘળા કેસ પાછા ખેંચવાનો હુકમ પણ કર્યો છે અને તેમની જમીન પણ તેમને પરત કરવામાં આવશે. તેમાં થોડી વાર થશે, પરંતુ જમીન ચોક્કસ પરત કરવામાં આવશે. એવી ખાત્રી પણ મોરારજીભાઈએ સંદેશામાં પાઠવી. રીતે ભાઈકાકાને હરાવવા કોંગ્રેસે ક્ષત્રિય કાર્ડ ખેલ્યું !

અને કોંગ્રેસે ટિકિટ આપી એકગુંડાને !

શ્રી મોરારજીભાઈએ ભણાવેલા પાઠ સાથે રાવજીભાઈને શ્રી નટવરસિંહ સોલંકી પાસે નડિયાદ મોકલ્યા. ત્યારે પ્રસ્તાવ સાંભળી નટવરસિંહે ઉચ્ચાર્યું. ‘મને ટિકિટ શી રીતે આપશો ? હું તો ગુંડો છું !’ (પૃષ્ઠ ૩૫૪) પ્રત્યુત્તરમાં રાવજીભાઈએ મોરારજીભાઈનો ઉપરોક્ત સંદેશો પાઠવ્યો. છેવટે નટવરસિંહે સામેથી આવેલી ઓફરથી ચેપ્ટર કેસોની આફતમાંથી છૂટવા, ચૂંટણી લડવા સંમતિ આપી. પરંતુ ઑફર નટવરસિંહ માટે બહુ સહેલાઈથી સ્વીકારી શકાય તેવી નહોતી. નટવરસિંહે રાવજીભાઈને કહ્યું : ‘મારી સાથે બીજા ક્ષત્રિયોને ટિકિટ આપો તો અમે જૂથમાં કામ કરી શકીએ.’ રાવજીભાઈએ પૂછ્યું : ‘બીજી કેટલી ટિકિટ જોઈએ ?’ નટવરસિંહે વિધાનસભાની ચાર ટિકિટ અને લોકસભાની એક ટિકિટ ( વખતે વિધાનસભા-લોકસભાની ચૂંટણીઓ સાથે યોજાતી) એમ પાંચ ટિકિટની માગણી કરી અને તે એમને મળી ગઈ ! (પૃષ્ઠ ૩૫૫)

સેક્યુલર કહેવડાવતી કોંગ્રેસનો અસલી ચહેરો ઓળખો : ભાઈકાકા

ભાઈકાકા તેમનાં સંસ્મરણોમાં આગળ લખે છે (પૃષ્ઠ ૩૫૫) : ‘આમ કોમવાદને આગળ ધરીને ટિકિટો આપવામાં આવી અને પરિણામ જે આવવું જોઈએ તે આવ્યું : હું તે વખતે (નટવરસિંહ સોલંકી સામે) આઠ હજાર મતથી હાર્યો; પણ નટવરસિંહ ખાનદાન માણસ હતા. આણંદમાં વિજયી સરઘસ કાઢવાની કોંગ્રેસીઓએ વાત કરી. નટવરસિંહે એક જવાબ આપ્યો. ‘અહીંયાં ભાઈકાકા આણંદમાં રહે છે. ત્યાં વિજયી સરઘસ કાઢવા હું માગતો નથી. બીજે સ્થળે તમારે જે કરવું હોય તે કરજો.’ આટલુું ઓછું હોય તેમ ૧૯૫૮માં કોંગ્રેસે ગુજરાતભરના ક્ષત્રિઓનું સંમેલન ડાકોરમાં બોલાવી, ક્ષત્રિયસભાના દરેક સભ્યને કોંગ્રેસના સભ્ય બનાવવાનું ફરજિયાત બનાવ્યું. આમ ગુજરાતના ક્ષત્રિયોના મત કોંગ્રેસના ખિસ્સામાં મૂકવાનો કારસો રચાયો. પ્રસ્તુત ક્ષત્રિય-સંમેલન પછી, ક્ષત્રિય આગેવાનોનો આભાર માનતા કોંગ્રેસ અગ્રણીએ ઉચ્ચાર્યું : ‘ગુજરાતમાં જે કોમનો (પટેલોનો) એમને (કોંગ્રેસને) ડર હતો, તે કોમને (પટેલોને) ઉખેડી નાખવા માટે આવો ઠરાવ કરીને, ક્ષત્રિય આગેવાનોએ કોંગ્રેસને જે સહકાર આપ્યો હતો, તે બદલ ક્ષત્રિય આગેવાનોને અભિનંદન.’ (પૃષ્ઠ ૩૫૬). વધુમાં કોંગ્રેસે દલિતોની તમામ પેટા જ્ઞાતિઓ, ખ્રિસ્તીઓ, મુસ્લિમોના મતો મેળવવા માટે પણ વરવું વોટબેન્ક પોલિટિક્સ ખેલ્યું !

૨૨ વર્ષના રાજકીય વનવાસ બાદ સત્તા હડપવાનાં કોંગ્રેસના હવાતિયાં કોંગ્રેસ માત્ર નાત-જાત-કોમ આધારિત વોટબેંક પોલિટિક્સ ખેલે છે !

પરંતુ ૧૯૫૨માં કોંગ્રેસે જે નાત-જાત-કોમવાદને આગળ ધરી, ચૂંટણી જીતવાનો દુષ્પ્રયાસ કરેલો તેના મારણ તરીકે, ભાઈકાકાએ ત્યાર પછી સ્વતંત્ર પક્ષના મોભીજન તરીકે, ૧૯૬૨-૧૯૬૭ દરમ્યાન ક્ષત્રિય આગેવાનોનો સાથ લઈ; પટેલો અને ક્ષત્રિયો સહિત સમસ્ત ગુજરાતના તમામ સમૂહો - રાજકીય કાર્યકર્તાઓને, નાત-જાત-કોમથી ઉપર ઊઠી, તેમને રાજકીય પક્ષની વિશુદ્ધ સામાજિક, રાજકીય, આર્થિક વિચારધારાને આધારે એકજૂટ કરવાનો એક મહાન પ્રયાસ કરેલો. ૧૯૬૭માં ગુજરાત વિધાનસભામાં કોંગ્રેસની ૮૮ બેઠકો સામે સ્વતંત્ર પક્ષને ૬૬ બેઠકો અપાવીને, ભાઈકાકાએ વિપક્ષના જુઝારુ નેતા તરીકે, સબળ-સ્વસ્થ વૈકલ્પિક રાજનીતિનો સફળ પ્રયોગ કરી બતાવેલો. ૧૯૬૭ની ચૂંટણીમાં ભાઈકાકાએ તત્કાલિન ભારતીય જનસંઘ સાથે ચૂંટણી જોડાણ પણ કરેલું. ૧૯૬૮માંકચ્છ-કરારવિરોધી ભારતીય જનસંઘના વિરોધ- સરઘસની આગેવાની લઈ, કચ્છની વ્યૂહાત્મક ભૂમિ પાકિસ્તાનને આપવા સામે (તેમના પક્ષની કચ્છ કરાર અંગેની નીતિથી ઉપર ઉઠી દેશના વ્યાપક હિતમાં) ઉગ્ર વિરોધ પણ કરેલો. સંદર્ભમાં આજે ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં પણ જ્યારે કોંગ્રેસ પાર્ટી ૨૨ વર્ષના રાજકીય વનવાસ પછી, જે રીતે સત્તા હડપ કરવા માટે ગમે તેવાં હવાતિયાં મારે છે અને માટે ગુજરાતના પ્રાણપ્રશ્ર્નોના ઉકેલ માટેની તંદુરસ્ત જાહેર-ચર્ચાને સ્થાને, માત્ર ને માત્ર નાત-જાત-કોમ આધારિત વોટબેન્ક પોલિટિકસને અજમાવવા મેદાને પડી છે ત્યારે; ભાઈકાકા જેવા સ્વાભિમાની વિદ્યાપુરુષ અને સંસ્કારી રાજપુરુષનું પ્રેરક સ્મરણ, ગુજરાતના જાહેરજીવન માટે પ્રેરક પગદંડી‚ બની શકે તેમ છે...

ભાજપા ભાઈકાકાના પદચિહ્નો પર ચાલશે ?

ભારતીય જનતા પાર્ટીએ પણ ભાઈકાકા જેવા રાજપુરુષોની પરંપરા આગળ વધારવા, આગામી વિધાનસભા ચૂંટણીમાં તેનાવિકાસ-એજન્ડાઅનેસબ કા સાથ સબ કા વિકાસના સૂત્ર અંગે સહેજ પણ વિચલિત થયા સિવાય, ધૈર્ય અને શાલીનતાપૂર્વક આગળ વધવું રહ્યું. છેલ્લાં ૨૨ વર્ષ ભાજપાનાં ગુજરાતનાં યશસ્વી શાસનવર્ષો અને કેન્દ્રમાં શ્રી મોદીજીના સાડા ત્રણ વર્ષના સીમાચિહ્નરૂપ સુશાસનના જમા પાસાને આધારે; આગામી ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં એક તરફ જ્યારે નાત-જાતનાં સમીકરણોની વિકૃત-સંકીર્ણ-કુટીલ રાજનીતિનાં પરિબળો, તેમના આંતરિક વિરોધાભાસથી પરસ્પર ટકરાઈ રહ્યાનાં સંકેતો સાંપડી રહ્યા છે ત્યારે, ભાજપા વિજય-વિશ્ર્વાસ સાથે વિજયી પરચમ લહેરાવે એવી, જનમનની અપેક્ષા સાર્થક થાય તેવા ઊજળા સંજોગો હાલ ક્ષિતિજે દેખાઈ રહ્યા છે... !

 
પ્રા. હર્ષદ યાજ્ઞિક