મારું સન્માન જળવાય તે ઇચ્છું છું નીતિન પટેલ

    ૩૦-ડિસેમ્બર-૨૦૧૭

 

અનેક અટકળો વચ્ચે ગુજરાતનાં નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલનું એક બયાન સામે આવ્યું છે. તેમણે જણાવ્યું કે હું પાર્ટીના હાઈકમાન્ડના સંપર્કમાં છું. મે મારી માંગણી તેમને જણાવી દીધી છે. જો જરૂર પડે તો નાયબ મુખ્યમંત્રી પદેથી રાજીનામું આપવા તૈયાર છે. પાસના લાલજી પટેલે મહેસાણા બંધનું એલાન જાહેર કર્યુ છે તેના પર નીતિનભાઈ એ જણાવ્યું કે આ મારો આંતરીક મમલો છે મહેસાણા બંધ નહિ થાય. વધુમાં તેમણે જણાવ્યું હતુ કે હું પક્ષને છોડવાનો નથી. હું છેલ્લા ૪૦ વર્ષથી પક્ષ સાથે જોડાયેલો છુ.