ભાજપ સરકારના વધુ એક મંત્રી નારાજ…જાણો કોણ છે આ મંત્રી

    ૦૨-જાન્યુઆરી-૨૦૧૮

 
 
નીતિનભાઇ પટેલ પછી ભાજપ સરકારના વધુ એક નેતાએ ખાતાની ફળવણી માટે પોતાની નારાજગી વ્યક્ત કરી છે. આ મંત્રી છે આ બીજા પ્રધાન ભાવનગર ગ્રામ્ય વિધાનસભા બેઠક પરથી ચૂંટાયેલા ધારાસભ્ય પરસોત્તમ સોલંકી છે. સોલંકીએ કોળી સમાજને અન્યાય કરાયો છે અને પોતાને યોગ્ય મંત્રાલય નથી અપાયો તેવી વાત મુખ્યમંત્રી સામે મૂકી છે. આ સંદર્ભે ભુપેન્દ્રસિંહ ચુડાસમાએ કહ્યું હતું કે આ સ્વભાવીક છે પરસોત્તમભાઈ નારાજ નથી. તેમણે તો પોતાની વાત મુકી છે. ધારાસભ્ય પરસોત્તમ સોલંકીનું કહેવું છે કે કોળી સમાજ નારાજ છે. તેમણે જણાવ્યું કે મને જે મત્સ્ય ખાતું અપાયુ છે તેમાં હું કઈ કામ કરી શકુ તેમ નથી.