ભુજમાં 10 વિદ્યાર્થિનીઓએ બ્લેડથી આ શું કર્યુ?

    ૦૪-જાન્યુઆરી-૨૦૧૮

 
ભુજની માતૃછાંયા નામની શાળામાં દશેક જેટલી વિદ્યાર્થિનીઓએ હાથ અને ૫ગમાં બ્લેડથી કાપા માર્યા હોવાની બહાર આવેલી ઘટનાએ શિક્ષણ જગતમાં ખળભળાટ મચાવી દીધો છે. આ ચોંકાવનારી ઘટના અંગે શાળાના સંચાલકો દ્વારા વાલીઓને જાણ કરવામાં આવી છે.
જો કે વિદ્યાર્થિનીઓએ આવું શા માટે કર્યું છે ? તે હજુ સુધી બહાર આવ્યું નથી. શાળા સંચાલકો દ્વારા આ બાબતે વિદ્યાર્થિનીઓના વાલીઓને જાણ કરવામાં આવી છે. વિદ્યાર્થિનીઓ ક્યાં કારણથી આવું કરવા પ્રેરાય છે ? તે ગંભીર તપાસનો વિષય છે. હાલ તો આ બાબતે સમગ્ર ભુજ અને કચ્છમાં સારી એવી ચર્ચા જગાવી છે.