કવર સ્ટોરી : સ્વામી વિવેકાનંદનો વિશ્ર્વાસ હતો કે, Youth Will Quake

    ૦૫-જાન્યુઆરી-૨૦૧૮

 

 
તા. ૧૨મી જાન્યુઆરી, સ્વામી વિવેકાનંદની જન્મજયંતી પ્રસંગે

તાજેતરમાં પ્રતિષ્ઠિત બ્રિટિશ ડિક્ષનરી ઑક્સફોર્ડYouth Quakeશબ્દને વર્ષ ૨૦૧૭નો વર્ડ ઑફ યર જાહેર કર્યો. શબ્દ ભલે રાજકારણમાં યુવાનોની સક્રિયતા અને સફળતા પૂરતો હોય, પરંતુ સર્વગ્રાહી રીતે જોવા જઈએ તો વિશ્ર્વભરમાં તમામ ક્ષેત્રોમાં Youth quake’ થયો છે. દરેક ક્ષેત્રમાં યુવાનોની સક્રિયતા વધી છે. યુવાનો પરિવર્તનના વાહક બન્યા છે. ચાહે રાજકારણ હોય, બિઝનેસ હોય કે ફિલ્મ દરેક ક્ષેત્રમાં યુવાનોએ પ્રવેશ કર્યો અને ક્રાંતિ કરી છે.

સ્વામી વિવેકાનંદે ૧૦૦ કરતાં પણ વધારે વર્ષો પહેલાં મદ્રાસના યુવાનો સમક્ષ કરેલા એક ભાષણમાં કહ્યું હતું કે, ‘મારો વિશ્ર્વાસ યુવાશક્તિ પર છે. એમાંથી મારા કાર્યકર્તાઓ પેદા થશે, જે તેમનાં પરાક્રમોથી વિશ્ર્વને બદલી નાંખશે.’

સ્વામી વિવેકાનંદે એમ પણ કહ્યું હતું, મને ૧૦૦ ચારિત્ર્યવાન, દૃઢ મનોબળવાળા યુવાનો આપો હું સમગ્ર રાષ્ટ્રની કાયાપલટ કરી બતાવીશ.

આજે સ્વામીજીનો વિશ્ર્વાસ સાચો ઠરી રહ્યો છે. યુવાનોએ ખરેખર પોતાનાં પરાક્રમોથી વિશ્ર્વને બદલી નાખ્યું છે.

સ્વામી વિવેકાનંદ પોતે યુવાન હતા. તેમનું સમગ્ર જીવન અને સંદેશ યૌવનનો આદર્શ હતો. તેમણે ભારતીય સંસ્કૃતિમાં યુવાવસ્થાના આદર્શને આપણી સમક્ષ રજૂ કર્યો. ફક્ત ૩૯ વર્ષ, માસ અને

૨૨ દિવસના ટૂંકા આયુષ્યમાં એવું પરાક્રમ કર્યંુ હતું કે, જેથી સમગ્ર વિશ્ર્વ અચંબામાં પડી ગયું. પોતાનું જીવન, પ્રેરણા, વિચાર, સાહિત્ય તેમજ કાર્યોથી સ્વામીજીએ યુવાનોને પ્રેરિત કર્યા.

૧૨મી જાન્યુઆરી, ૧૮૬૩માં જન્મેલા સ્વામી વિવેકાનંદ જન્મદિન એટલે યુવાદિન નિમિત્તે ઊજવાય છે. સ્વામીજીની જન્મજયંતી નિમિત્તે વિશ્ર્વભરનાં પ્રતિભાશાળી, પરિવર્તનકારી યુવાનોની કથા પ્રસ્તુત છે.

સૌથી પહેલાં જાણીએ Youth quake શું છે ?

યુવાનો રાજકારણ પ્રત્યે ઉદાસીન હોય છે. યુવાનોને રાજકારણમાં તક ઓછી મળે છે એટલે તેજતર્રાર યુવાનો અન્ય ક્ષેત્રો તરફ નજર દોડાવે છે. રાજકારણમાં સફળ થતાં વર્ષો વીતી જાય છે. ત્યાં જૂની પેઢી પગદંડો જમાવીને બેઠી હોય ત્યારે તેજસ્વી યુવાનોને આવા વૃદ્ધોની પગચંપી કરવાનું ફાવતું નથી. જે યુવાનો રાજકારણમાં આવે છે એનેય સફળ થવા માટે વાળ ધોળા થાય ત્યાં સુધી રાહ જોવી પડતી હોય છે !

અલબત્ત ૨૧મી સદીમાં સ્થિતિ ઝડપથી બદલાઈ ગઈ છે. ૪૪ વર્ષની વયે ૨૦૦૯માં બરાક ઓબામા જગત જમાદાર અમેરિકાના પ્રમુખ બની ગયા હતા. તો બરાબર ૪૪ વર્ષે ડેવિડ કેમેરોન ૨૦૧૦માં બ્રિટનના વડાપ્રધાન પદે તખ્તનશીન થઈ શક્યા હતા. ઈમાન્યુઅલ મેક્રોન ૩૯ વર્ષે વર્ષે ફ્રાન્સના પ્રમુખ બન્યા હતા.

ભારતમાં વડાપ્રધાન બનવા માટે હજુ વૃદ્ધ થવું ફરજિયાત છે ! રાજીવ ગાંધી ૪૦ વર્ષની વયે દેશના વડાપ્રધાન બન્યા હતા અપવાદને બાદ કરતાં વડાપ્રધાન તરીકે ભાગ્યે કોઈ યુવાનેતાને ભારતમાં તક મળી છે. પણ હા, યુવા નેતાઓ ચૂંટાઈને વિધાનસભા-લોકસભામાં બિલકુલ પહોંચે છે. એવાં અસંખ્ય ઉદાહરણો મળી રહે છે. યુવાનેતાઓ પાછળ ઘણાખરા અંશે વારસાગત રાજકારણ જવાબદાર હોય છે. આપબળે નાની વયે રાજકારણમાં સફળ થનારાં ઉદાહરણો બહુ ઓછાં મળે છે. છતાંય રાજકારણમાં હવે યુવાનોની હિસ્સેદારી વધી છે વાત તો નક્કી છે.

વૈશ્ર્વિક ફલક ઉપર હોય છે કે પછી ભારતમાં હોય, યુવાનો રાજકારણમાં સફળ થઈ રહ્યા છે તે હકીકત નકારી શકાય તેમ નથી. એક જમાનામાં પીઢ હોવું રાજકારણમાં સફળતાની ચાવી લેખાતી હતી. પીઢ નેતાને દેશનું કે પક્ષનું સુકાન સોંપાતું હતું. પણ હવે યુવાનેતાઓ જનસમર્થન મેળવતા થયા છે.

યુવાનેતાઓને જે સ્વીકૃતિ મળી રહી છે પાછળ વળી યુવા મતદારો જવાબદાર છે. યુવા મતદારો વધી રહ્યા છે. ભારતમાં તો યુવા મતદારો પરિણામો બદલી નાખે એટલા મોટા પ્રમાણમાં છે. ભારતમાં ૨૦૧૪ની લોકસભાની ચૂંટણી એનું સૌથી સારું ઉદાહરણ છે. એવાં ઉદાહરણો અમેરિકા-બ્રિટન-ફ્રાન્સ-જર્મનીમાં પણ પછી જોવા મળ્યાં છે.

વર્ષે યુવા મતદારોએ વિશ્ર્વભરના રાજકારણમાં ચાવીરુપ ભૂમિકા નિભાવી હતી તેને ધ્યાનમાં રાખીને પ્રતિષ્ઠિત બ્રિટિશ ડિક્ષનરી ઓક્સફર્ડે Youth quake શબ્દને ૨૦૧૭નોવર્ડ ઑફ યરજાહેર કર્યો છે. Youth quake શબ્દનો અર્થ થાય છે : યુવાઓની રાજકીય ક્ષેત્રે જાગૃતિ. Youth quake શબ્દ ૧૯૬૦ની યુથના સંદર્ભમાં વપરાતો આવે છે. પણ વર્ષે વિશ્ર્વભરની ચૂંટણીઓમાં યુવાનોની વધતી જાગૃતિ પછી ફરી શબ્દ સપાટી ઉપર આવ્યો હતો. ઓક્સફર્ડે એક નિવેદનમાં કહ્યું હતું કે વિશ્ર્વમાં યુવા મતદારોનો વધતો પ્રભાવ જોઈને ૨૦૧૭ના વર્ષના સૌથી પ્રભાવશાળી શબ્દ તરીકે Youth quake પર પસંદગી ઉતારી હતી.

૧૯૬૦માં પહેલી વખત યુવાનોની રાજકીય, સાંસ્કૃતિક, સામાજિક જાગૃતિ માટે શબ્દ કોઈન થયો હતો. પછી તેનો છૂટોછવાયો વપરાશ થતો આવ્યો છે, પણ વર્ષે યુવા મતદારોએ મહત્ત્વના દેશોની ચૂંટણીઓમાં જે રીતે પરિણામ બદલી નાખ્યાં તે જોઈને યુવા મતદારોની જાગૃતિના સંદર્ભમાં ઓક્સફર્ડે Youth quake ને વર્ડ ઓફ યર જાહેર કર્યો હતો.

બ્રિટન, જર્મની, ફ્રાંસ જેવા દેશોમાં થયેલી ચૂંટણીમાં વર્ષે યુવા મતદારોની સંખ્યા ઊડીને આંખે વળગે તેવી હતી. તો ઓસ્ટ્રેલિયામાં મેરેજની સમાનતાનો કાયદો ઘડવા માટે જે મતદાન થયું તેમાંય યુવા મતદારોની જાગૃતિ નોંધપાત્ર હતી.

ઓક્સફર્ડ ડિક્ષનરી વિભાગના પ્રેસિડેન્ટ કેસ્પર ગ્રોથવેલે એક નિવેદનમાં કહ્યું હતું કે Youth quake ખૂબ આશાસ્પદ શબ્દ છે. યુવાનોમાં રાજકીય ક્ષેત્ર પ્રત્યેની જાગૃતિ આગામી સમયના જગત માટે ખૂબ જરુરી છે. શબ્દ બ્રિટનની ચૂંટણી વખતે ચર્ચામાં આવ્યો હતો ને પછી વર્ષભર ક્યાંક ને ક્યાંક તેની ચર્ચા થતી રહી હતી એટલે આખરે તેના પર વર્ડ ઓફ યરની પસંદગી ઉતારાઈ હતી.

ગત વર્ષે યુરોપિયન યુનિયનથી અલગ થવા માટે બ્રિટનમાં થયેલા બ્રેક્ઝિટમાં યુવા મતદારોએ મહત્ત્વની ભૂમિકા ભજવી હતી. અમેરિકામાં પ્રમુખપદની ચૂંટણી થઈ એમાંય યુવાનોની સક્રિયતા ઊડીને આંખે વળગે તેવી હતી.

સામાન્ય રીતે યુવા મતદારો ચૂંટણીપ્રક્રિયાથી અળગા રહે છે. યુવાનોની રાજકીય ક્ષેત્ર તરફની ઉદાસીનતા ગંભીર બાબત ગણાતી હતી. છેક ૧૯૯૦ સુધી ભારતમાં નહીં, પણ વિશ્ર્વમાં સ્થિતિ પ્રવર્તતી હતી. સમયાંતરે શિક્ષણનો વ્યાપ વધ્યો. મતદાન પ્રત્યે જાગૃતિ વધી અને હવે આજે ૨૧મી સદીના પ્રથમ દોઢ દશકામાં સ્થિતિ બહુ આશાસ્પદ થઈ ગઈ છે. યુવાનો કેવળ મતદાન કરતા થયા છે, પણ પોતાને માફક આવતી વિચારધારાને ખુલ્લું સમર્થન પણ આપતા થયા છે.

કોઈ પાર્ટીનું સમર્થન કરવા માટે યુવાનો રસ્તા ઉપર ઊતરી આવે છે. ટ્રમ્પના પ્રચાર માટે અમેરિકામાં અસંખ્ય યુવાનો રેલીઓ કાઢતા હતા. માત્ર મતદાન કરીને મુક્ત થવું અને મતદાન કરવા ઉપરાંત સક્રિયતા બતાવવી તેમાં ઘણો ફરક છે. ફરક યુવાપેઢી સમજતી થઈ છે. મતદાન કરવાની સાથે સાથે ચૂંટણીના મુદ્દા સમજીને યોગ્ય પક્ષને કે યોગ્ય વ્યક્તિને પસંદ કરવા માટે યુવાનો પરસેવો પાડવા લાગ્યા છે.

યુવાની દુનિયાને બદલી શકે છે વાક્ય ઘણાં બધાં ક્ષેત્રોમાં બરાબર લાગુ પડે છે. સિનેમા હોય કે સાયન્સ, સાહિત્ય હોય કે કળા. લેખન હોય કે લડત. ધર્મ હોય કે ઉદ્યોગ. યુવાનો દુનિયા બદલી શકે છે, બદલે છે. હવે એમાં રાજકારણનો પણ ઉમેરો થયો છે. રાજકારણ યાને સત્તા. સત્તા પરિવર્તનશીલ નીતિઓ બનાવી શકે છે. જો સત્તામાં યુવાનોનું પ્રતિનિધિત્વ હોય તો યૂથને માફક આવે એવી પરિવર્તનશીલ નીતિ બનતાં વાર લાગે છે.

યુવાનો રાજકીય ક્ષેત્રે પણ સક્રિય હોય તે બીજાં ક્ષેત્રોમાં થઈ રહેલું પરિવર્તન પારખીને રાજકારણ મારફતે તેને સમર્થન આપી શકે છે. વિશ્ર્વના પરિવર્તન માટેય યુવાનો રાજકારણમાં સક્રિયતા બતાવે તે ‚રી છે. Youth quake’ ‘વર્ડ ઓફ યરજાહેર થાય તે એટલા માટેય મહત્ત્વનું છે કે પરિવર્તનશીલ સક્રિયતાનું પ્રતિબિંબ Youth quake’માં બરાબર ઝીલાય છે.

વિશ્ર્વ રાજનીતિમાં યુવાશક્તિ

જૈસિંડા અર્ડર્ન

માત્ર ૩૭ વર્ષની ઉંમરમાં ન્યૂઝીલેન્ડનાં પ્રધાનમંત્રી બન્યા છે. ૧૫૦ વર્ષના ન્યૂઝીલેન્ડના રાજનૈતિક ઇતિહાસમાં સૌથી યુવા પ્રધાનમંત્રી બન્યા છે. તેઓએ ગ્લોબલ વોર્મિંગ અને ગરીબી ઉન્મૂલનનો અવાજ ઉઠાવ્યો અને દેશના યુવાઓને તે સ્પર્શી ગયો.

સેબેસ્ટિયન કુર્જ

ઓસ્ટ્રિયાના ૩૧ વર્ષના નેતા સેબેસ્ટિયન કુર્જ વિશ્ર્વના સૌથી યુવા રાષ્ટ્રાધ્યક્ષ છે. ઓસ્ટ્રિયામાં કંઝર્વેટિવ પીપલ્સ પાર્ટીએ સામાન્ય ચૂંટણીમાં રાષ્ટ્રાધ્યક્ષ તરીકે સેબેસ્ટિયન કુર્જને જાહેર કરતાં દેશના યુવાનોનો જુવાળ તેમના તરફ ઢળ્યો હતો. સેબેસ્ટિયન અગાઉ માત્ર ૨૭ વર્ષની ઉંમરમાં સૌથી યુવા વિદેશમંત્રી તરીકે પણ રહી ચૂક્યા છે. તેમના વિદેશમંત્રી કાળ દરમિયાનના દેખાવને કારણે યુવાઓમાં ખાસ્સા લોકપ્રિય બન્યા હતા.

કિમ-જોંગ-ઉન

નાની ઉંમરમાં સત્તા સંભાળનાર યુવાનેતાઓની યાદીમાં ઉત્તર કોરિયાના રાષ્ટ્રપ્રમુખ કિમ-જોંગ-ઉનનો પણ સમાવેશ થાય છે. તાનાશાહ તરીકે વિશ્ર્વભરમાં બદનામ યુવાનેતાને ઉત્તર કોરિયાના યુવાનોનું જબ્બર સમર્થન છે. પોતાના દેશની યુવાશક્તિને જોરે તે અમેરિકા સહિત વિશ્ર્વસત્તાઓને લલકારી રહ્યો છે.

જિગ્મેખેસર નામગ્યાલ વાંગચુક

ભૂટાનના પાંચમાં રાજા અને વાંગચુક વંશના મુખિયા ભારતના પડોશી દેશ ભૂટાનના રાષ્ટ્રપ્રમુખ છે. માત્ર ૩૭ વર્ષના યુવા રાષ્ટ્રપ્રમુખની અહીંના યુવાનોમાં ખાસી લોકપ્રિયતા છે. ભૂટાનના મજબૂત શાસકોમાં તેમની ગણના થાય છે.

લિયોવરાડકર

ભારતીય મૂળના યુવા ડૉક્ટરે યુરોપિયન દેશ આયરલેન્ડના પ્રધાનમંત્રી બની ઇતિહાસ રચ્યો છે. માત્ર ૩૮ વર્ષની ઉંમરે તેઓ પ્રધાનમંત્રી બની વિશ્ર્વના સૌથી યુવાનેતાઓની યાદીમાં સ્થાન મેળવ્યું છે.

ઈમૈનુઅલ મેક્રો

એક વર્ષ પહેલાં ફ્રાન્સના ઇતિહાસમાં જે સરકાર વિરોધી દેખાવો યોજાયા હતા તે સરકારમાં મંત્રી તરીકે રહેલા ઈમેનુઅલ મેક્રોએ ૩૯ વર્ષની ઉંમરમાં ફ્રાન્સની મુખ્ય ધારાના વામપંથી અને ઉદારવાદી પક્ષોને પછાડી ફ્રાન્સના રાષ્ટ્રપતિની ચૂંટણીઓ જીતી ઇતિહાસ સર્જ્યો છે. ૨૦૧૬માં તેમણે જનશક્તિ આધારિત અને માર્શો આંદોલનની સ્થાપના કરી અને ફ્રાન્સ સરકારમાંથી રાજીનામું આપી દીધું હતું. તેમની જીતમાં અહીંના યુવાઓનું વિશેષ યોગદાન રહ્યું હતું.

મહંમદ બિન સલમાન

સાઉદી અરબના ૩૨ વર્ષના શહેજાદા મહમ્મદ બિન સલમાને પોતાના કટ્ટર ઇસ્લામને કારણે વિશ્ર્વભરમાં વગોવાયેલ સાઉદીમાં આધુનિક અને ઉદારવાદના પ્રાણ ફૂંકી નવી ક્રાંતિ કરી છે. પરંપરાગત શરિયા આધારિત કાયદાઓની સમીક્ષા, મહિલાઓને ડ્રેસકોર્ડમાંથી મુક્તિ, ડ્રાઇવિંગ ચલાવવાની છુટ્ટી સહિતના અધિકારો આપી સાઉદી અરબના યુવાઓમાં આદર્શ બની ગયા છે.

સિવાય પણ યમનના ૩૮ વર્ષનાં રાજનેતા સાલેહ અલી અલ-સમદ, એસ્ટોનિયાના ૩૯ વર્ષના પ્રમુખ જૂરી રેટસ, યુકેનના ૩૯ વર્ષના વોલોડિમિર ગ્રોજમેન એવાં યુવા નેતા છે, જેમણે જે તે દેશની રાજનીતિમાં પ્રવેશી યુવાશક્તિ માટે ક્ષેત્રનાં દ્વાર ખોલી નાખ્યાં છે.

છે યુવા ભારતના ઉદ્યોગપતિઓ

વીએસએસ માની (જસ્ટ ડાયલ)

માની ૧૯૮૭માં જ્યારે યુનાઈટેડે ડેટાબેસ ઇન્ડિયામાં કામ કરતા હતા ત્યારે તેમને વિચાર આવ્યો કે, માહિતીને લોકો સુધી પહોંચાડવાનો વ્યવસાય થઈ શકે છે. ત્યારબાદ તેઓએ ૧૯૯૬માં જસ્ટ ડાયલની શરુઆત કરી. ૫૦ હજારની મૂડી અને કર્મચારીઓ સાથે શરુ થયેલ કંપનીમાં હાલ ૭૪૫૭ કર્મચારીઓ છે.

રોહિત બંસલ - કૃણાલ બહલ (સ્નેપડીલ)

ફેબ્રુઆરી - ૨૦૧૦માં આઈઆઈટી દિલ્હીના પૂર્વ વિદ્યાર્થી રોહિત બંસલ અને કૃણાલ બહલે સ્નેપડીલની શરુઆત કરી હતી. આજે તે દેશની સૌથી મોટી ઈકોમર્શ-કંપની છે. હાલ તેની પાસે લાખથી વધુ પ્રોડક્ટસ, લાખથી વધુ પુસ્તકો અને ૪૦૦ અલગ-અલગ શ્રેણીઓની ઑફર પ્રોડક્ટસ છે.

સચિન બંસલ અને બિન્ની બંસલ (ફ્લિપકાર્ટ)

૨૦૦૭માં બન્ને ભાઈઓએ ફ્લિપકાર્ટ શરુઆત કરી હતી. પહેલાં તેઓ એમેઝોન ડોટકોમ માટે કામ કરતા કરતા હતા. સાવ નાના પાયે શરુ થયેલ કંપનીમાં આજે લગભગ ૪૫૦૦ લોકો કામ કરી રહ્યા છે. ફ્લિપકાર્ટ આજે દરેક પ્રકારની સુવિધા આપે છે.

અરુણ ચંદ્રમોહન, પ્રવીણસિંહ અને લક્ષ્મી પોતલુરી (જબોંગ)

જાન્યુઆરી ૨૦૧૨માં જબાંગની શરુઆત થઈ હતી. હાલ તે ફેશન અને લાઇફ સ્ટાઈલ ક્ષેત્રમાં ખૂબ ઝડપથી વિસ્તરતું નામ બની ગઈ છે.

પાંચ વર્ષમાં વેબસાઈટે જબરજસ્ત ગ્રોથ કર્યો છે.

યુએસ મહેન્દર (હટ્ટી કાપી)

૨૦૦૯માં હટ્ટી કાપીની સ્થાપના થઈ હતી. કંપનીએ ફિલ્ટર કૉફી ક્ષેત્રે ક્રાંતિકારી પરિવર્તન લાવી દીધું છે. મહેન્દરે દક્ષિણ ભારતમાં સસ્તી કિંમતમાં શ્રેષ્ઠ ગુણવત્તાવાળી, વિશ્ર્વસનીય અને શુદ્ધ ફિલ્ટર કોપી ઉપલબ્ધ કરાવી. ગ્રાહકોના સંતોષને કારણે માત્ર બેંગલુરુમાં હાલ તેની ૧૬ શાખાઓ ખૂલી ચૂકી છે, જેમાં એક બેંગલુરુ ઇન્ટરનેશનલ એરપોર્ટ પર પણ છે.

નીતિન કામથ (જેરોઘા)

માત્ર ૧૭ વર્ષની ઉંમરમાં વ્યવસાય ક્ષેત્રે ઝંપલાવ્યું. તેમાં યુવાને મોટું નુકસાન પણ ભોગવવું પડ્યું. છતાં તેણે ઇરાદો બદલ્યો. ૨૦૧૦માં રિટેલ કારોબારને સસ્તા દરે મહત્ત્વપૂર્ણ જાણકારી ઉપલબ્ધ કરાવવાના ઇરાદે જેરોઘાની સ્થાપના કરી. કંપની માત્ર ૧૦૦થી ઓછા યુવાઓની ટીમ મારફત હજાર કરોડથી વધુનો વ્યવસાય સંભાળે છે.

સૌમિલ મજૂમદાર (એડુ સ્પોર્ટ્સ)

સૌમિલના એક મિત્રનો દીકરો બહાર રમવા જવાને બદલે ટીવી જોવાનું વધુ પસંદ કરતો હતો. પરિણામે સૌમિલે ૨૦૦૯માં એડુસ્પોર્ટ્સની સ્થાપના કરી. બેંગલુરુથી બહાર સ્થાપિત એડુસ્પોર્ટ્સ દેશભરમાં શાળાઓ સાથે મળી બેસ્ટ--ક્લાસ ફિજિકલ એજ્યુકેશન અને સ્પોર્ટ્સ કાર્યક્રમ ચલાવે છે. હાલ એડુસ્પોટ દેશભરમાં ૮૦થી વધુ શહેરોની ૪૦૦ શાળાના લાખથી વધુ બાળકો સુધી પોતાની પહોંચ બનાવી ચૂકી છે.

દીપિંદર ગોયલ, પંકજ ચઢ્ઢા (જોમાર્ટા)

એક ઓનલાઈન રેસ્ટોરન્ટ શોધવાની સાઈટ છે, જે ભારત, બ્રાઝિલ, તુર્કી, ન્યૂઝીલેન્ડ, ફિલિપિન્સ, દક્ષિણ આફ્રિકા, કતર, ચિલી, પોર્ટુગીઝ, યુએઈ, ઇન્ડોનેશિયા, યુ.કે., કેનેડા વગેરે દેશોમાં હોમ ડિલિવરી વગેરેની માહિતી આપે છે.

સી. કે. કુમારવેલ (નેચરલ્સ બ્યુટી હેયર સલૂન)

સી. કે. કુમારવેલ ચેન્નઈના સ્ટાર્ટઅપ ઇકો સિસ્ટમના સુપરસ્ટાર તરીકે પ્રસિદ્ધિ પામ્યા છે. તેઓએ પોતાનાં બ્રાંડ નેચરલ બ્યુટી એન્ડ હેયર સલૂનને માત્ર આવડતની તાકાત પર ‚ કર્યંુ અને તેને ભારતનું સૌથી જાણીતું હેયર એન્ડ બ્યુટી ચેન બનાવી દીધું. હાલ ભારતીય ઉપમહાદ્વીપમાં તેમના ૩૦૦થી વધુ સલૂન છે. ખાસ વાત છે કે તેમના તમામ સ્ટોર્સનાં માલિક મહિલાઓ છે.

શંકરાચાર્યથી ડૉ. હેડગેવાર

પરિવર્તનકારી કાર્યો કરી યુવા ઉંમરમાં વિદાય લેનારા પ્રતિભાવાન યુવાન

યુવાનોએ ક્રાંતિ કરી હોય, પરિવર્તન કર્યાં હોય વાત ભારત માટે નવી નથી. .. પૂર્વ ૫૦૯માં જન્મેલા અને .. પૂર્વે ૪૭૬માં ફાની દુનિયાને અલવિદા કરી ગયેલા અદ્વૈત વેદાંતના પ્રણેતા આદિ શંકરાચાર્ય માત્ર ૩૩ વર્ષ જીવ્યા પણ યુવા ઉંમરના પગથારે પહોંચતાં તો એમણે સમગ્ર દેશમાં અદ્ભુત આધ્યાત્મિક પરિવર્તન કરી નાખ્યું હતું. બીજું બધું ભૂલી જઈએ તો પણ નાની ઉંમરના જીવનમાં એમણે ભારતવર્ષના ગૌરવ સમાન ચાર મઠોની સ્થાપના કરી હતી.

સ્વામી વિવેકાનંદ માત્ર સાર્થક બને છે. શિકાગોની ધર્મ પરિષદમાં તેમણે કરેલું ભાષણ આજેય શિખરે છે. ૨૨મી ઑક્ટોબર, ૧૮૭૩ના રોજ પંજાબના ગુજરાવાલા જિલ્લાના એક નાનકડા ગામમાં જન્મેલો તીર્થરામ પણ ૩૩ વર્ષની ઉંમરે ૧૭ ઑક્ટોબર, ૧૯૦૬ દુનિયા છોડી દે છે, પણ યુવાન એટલી નાની ઉંમરમાં સ્વામી રામતીર્થ બની ચૂક્યા હોય છે. દેશના યુવાનોને જગાડવાનુ અને ઈશ્ર્વરીય કાર્ય માટે હિમાલયમાં જીવન ગાળી દે છે.

ભારતના મહાન યોદ્ધા શિવાજી મહારાજનું જીવન પણ એટલું ટૂંકું હતું. ૧૯ ફેબ્રુઆરી, ૧૬૩૦માં જન્મ અને એપ્રિલ, ૧૬૮૦ના રોજ મૃત્યુ. માત્ર ૪૦ વર્ષનું અલ્પાયુ. એમાંય ભરયુવાનીમાં એમણે ઓરંગઝેબ અને મુગલ સેના સામે જંગ છેડ્યો. અફઝલ ખાનનો વધ કર્યો, દિલ્હી સલ્તનતને હચમચાવી દીધી અને ૩૪ વર્ષની અલ્પાયુમાં હિન્દુપદ બાદશાહીની સ્થાપના કરી રાજગાદી સંભાળી.

યાદીમાં ડૉ. કેશવરામ બલીરામ હેડગેવારને પણ અગ્ર હરોળમાં મૂકવા પડે. રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો પાયો નાંખનારા ડૉ. કેશવરામ હેડગેવાર એપ્રિલ, ૧૮૮૯ના રોજ જન્મ્યા અને ૨૧મી જૂન, ૧૯૪૦ના રોજ અવસાન પામ્યા. તેમનામાં બાળપણથી અભૂતપૂર્વ નીડરતા અને રાષ્ટ્રભક્તિ હતી. શાળાકાળથી તેઓ દેશભક્તિ માટે અગ્રેસર રહેતા. માત્ર ૩૫ વર્ષની ઉંમરે ૧૯૨૫માં તેમણે રા. સ્વ. સંઘનો પાયો નાંખ્યો અને હિન્દુસ્થાનમાં નવા વિચારો અને નવી હિંમતનો સંચાર દેશના યુવાનોમાં કર્યો હતો.

ભારતવર્ષ આવી અનેક યુવા પ્રતિભાઓનું સાક્ષી છે. તેથી એની હવામાં ઊછરીને મોટા થયેલા આજના યુવાનો પણ એમાંથી પ્રેરણા મેળવે છે.

લેખન-પત્રકારત્વ

પત્રકારત્વ ક્ષેત્ર હવે નવી કલમો, નવા વિચારો લઈને આવ્યું છે. ગુજરાતના જાણીતા અખબારમાં અંડર-૩૦ નામે એક કટાર ચાલુ છે, જેમાં ૩૦ વર્ષથી નીચેની ઉંમરના યુવાનોના વિચારો પ્રસ્તુત થાય છે.

ફિલ્મ અને લેખનક્ષેત્રે સમગ્ર વિશ્ર્વમાં ભારતની યશસ્વી હાજરી નોંધનારા યુવા સર્જકોની પણ કંઈ કમી નથી. યુવા લેખક ચેતન ભગત, અમીશ ત્રિપાઠી, અશ્ર્વિન સાંધીઓ કર્યંુ અને સમગ્ર ભારતના અને વિશ્ર્વના યુવાનોને ડોલાવ્યા.

ગુજરાતના ગૌરવવંતા યુવાઓ

ગુજરાતમાં પણ યુવા પ્રતિભાઓની કમી નથી. દરેકેદરેક ક્ષેત્રે વિશ્ર્વમાં નામના કરનારા અનેક યુવાનો છે. ફિલ્મની વાત કરીએ તોકેવી રીતે જઈશનામની અર્બન ફિલ્મ બનાવનાર યુવા સર્જક અભિષેક જૈને વરસોથી મંદ પડેલી ગુજરાત ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝને જીવતી કરી વિશ્ર્વભરમાં પોતાનું નામ ગાજતું કર્યું. પછી અનેક કલાકારો-દિગ્દર્શકો-સંગીતકારો પણ આવ્યા. મલ્હાર ઠાકર, પ્રતીક ગાંધી જેવા અભિનેતાઓ, સચીન-જીગર, અમિત્ર ત્રિવેદી જેવા સંગીતકારોએ ગૌરવ બક્ષ્યું.

ક્રિકેટરોમાં હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, ચેતેશ્ર્વર પૂજારાના નામ અગ્રેસર છે. ગ્રામવિકાસના શિલ્પી અને સમાજસેવી નીલમ પટેલ, લેખનક્ષેત્રે જિજ્ઞેશ દોંગા, નાટ્યક્ષેત્રે વિરલ રાચ્છ જેવાં નામ આગળ આવ્યાં છે. સંગીતક્ષેત્રે ઐશ્ર્વર્યા મજમુદારથી લઈ ભૂમિ ત્રિવેદી સુધીની ગાયિકાઓ, બોલિવૂડના ગુજ્જુ પાપારાઝી ફિલ્મ ફેશન-ફોટોગ્રાફર યોગેન શાહ.

સ્નૂકર પ્લેયર આદિત્ય મહેતા, શેરબજારના શેર આશિષ ચૌહાણ, એડ ગુરુ મનિષ ભટ્ટ, ટેક્નોક્રેટ પ્રણવ મિસ્ત્રી, ઉદ્યોગકાર પ્રયાસવીન પટેલ, બિલિયર્ડ્સ ક્ષેત્રે રુપેશ શાહ જેવા ઢગલાબંધ પ્રતિભાશાળી યુવાનો છે, જેમણે વિશ્ર્વભરમાં ગુજરાતનું નામ રોશન કર્યું છે.

..અને અંતે સ્વામીજીનો સંદેશ જે આજેય સપનાં સાકાર કરી શકે છે

સ્વામીજીના જીવને અનેક મહાપુરુષોના જીવનને પ્રભાવિત કર્યું છે. આજે પણ એમનું સાહિત્ય કોઈ અગ્નિમંત્રની જેમ વાંચનારના મનમાં ભાવ પેદા કરે છે. યુવા ઉંમરે આકાશ આંબવાના સપના સાકાર કરવા માટે સંદેશ પથદર્શક બનશે.

લક્ષ-નિર્ધાર

સ્વામી વિવેકાનંદના મતે વ્યક્તિનો ખરેખર જન્મ લક્ષની સાથે થાય છે. તેઓ કહેતા હતા કે, ‘જેના જીવનમાં લક્ષ નથી તો રમતી ગાતી, હસતી બોલતી લાશ છે.’ જ્યારે વ્યક્તિ પોતાના જીવનના વિશિષ્ટ લક્ષને ઓળખી શકતો નથી ત્યાં સુધી તો એનું જીવન વ્યર્થ છે. યુવાનોએ પોતાના જીવનમાં શું કરવું છે એનો નિર્ણય કરવો જોઈએ.

આત્મવિશ્ર્વાસ

જીવનમાં જે નક્કી કર્યું છે તે કરવા માટે સૌથી વધુ જરુર છે પોતાનો આત્મવિશ્ર્વાસ. સ્વામી વિવેકાનંદ ઈશ્ર્વરમાં વિશ્ર્વાસ કરવા કરતાં પોતાનામાં વિશ્ર્વાસ વ્યક્ત કરવાનું જણાવે છે. શું આપણી ભીતર આત્મવિશ્ર્વાસ પેદા થાય છે કે આપણે પણ આવું કંઈક કરી શકીએ ? સ્વામીજી આપણને પ્રેરણા પૂરી પાડે છે કે જીવનમાં આપણી આજુબાજુ બનવાવાળી નાની-મોટી, સકારાત્મક-નકારાત્મક બધી ઘટનાઓ આપણને આપણી અમર્યાદ શક્તિને પ્રકટ કરવાની તક પૂરી પાડે છે.

સમર્પણ

કોઈપણ કાર્યમાં સફળતા મેળવવા માટે સમર્પણ અનિવાર્ય છે. આપણે કોઈપણ કાર્યની શરુઆત કરવામાં તો ખૂબ મોટી મહાનતાનો પરિચય આપીએ છીએ, પરંતુ થોડા સમયમાં સ્વાભાવિક રીતે તેનાથી વિમુખ થઈ જઈએ છીએ. આજના સ્પર્ધાત્મક યુગમાં આવા આરંભશૂરાઓનું કામ નથી. સંપૂર્ણ સમર્પિત ભાવથી હાથ પર લીધેલા કાર્યને પૂર્ણ કરવાની ધગશથી યુવાનોને સફળતા મળી શકે છે.

સંગઠન

વર્તમાન યુગ સંગઠનનો યુગ છે. કોઈપણ ક્ષેત્રમાં પછી તે વ્યાવસાયિક ક્ષેત્ર હોય કે વિજ્ઞાનનું, આજે ટીમ દ્વારા કાર્ય થાય છે. વ્યક્તિગત સિદ્ધિઓના સ્થાને સમૂહ દ્વારા આજે કાર્યો પૂરાં થાય છે. પછી તે વહીવટનું ક્ષેત્ર હોય કે સોફ્ટવેરનું, એને મહત્ત્વ મળે છે જે ટીમ સ્પિરિટથી કામ કરવામાં સક્ષમ હોય. વિશ્ર્વના તમામ માનવ સંસાધન તજ્જ્ઞો આજે ગુણને મહત્ત્વ આપે છે.

જો વર્તમાન સમયમાં ભારતનાં યુવાનો, સ્વામીજીના બતાવેલા યુવાયંત્રો, લક્ષ-નિર્ધાર, આત્મવિશ્ર્વાસ, સમર્પણ અને સંગઠનને પોતાના જીવનમાં ઉતારે તો, ભારતને વિશ્ર્વમાં અગ્રણી બનવામાં વાર લાગશે નહીં. સ્વામી વિવેકાનંદની જયંતી આપણા માટે અવસર છે કે આપણે આપણા જીવનને સાર્થક બનાવીએ અને સમગ્ર વિશ્ર્વને યુવાશક્તિથી સમૃદ્ધ કરીએ.