રજનીશ ઓશોના ૨૧ જીવન ઉપયોગી વિચારો જે તમારી જીવનશૈલી બદલી શકે છે

    ૩૧-માર્ચ-૨૦૧૮

#૧. લોકો કહે છે - કુદતા પહેલા બે વાર વિચાર કરો
ઓશો કહે છે - પહેલા કૂદો પછી જેટલું વિચારવું હોય તેટલું વિચારો
#૨. જેની પાસે ઓછું જ્ઞાન હોય છે તે તેના જ્ઞાન પ્રત્યે એટલો જ ઝનૂની હોય છે
#૩. અંધારુ પ્રકાશની ગેરહાજરી છે
અહંકાર જાગૃતિની ગેરહાજરી છે
#૪. કોઈની પણ જોડે સ્પર્ધા કરવાની જરુર નથી
તમે જેવા છો સારા છો
પોતાની જાતને સ્વીકારો
#૫. દુનિયા અપૂર્ણ છે એટલે જ આગળ વધી રહી છે
જો દુનિયા પૂર્ણ થઈ જાય તે ક્યારનીય ખતમ થઈ ગઈ હોત
#૬. માત્ર અપૂર્ણતાનો જ વિકાસ થાય છે
#૭. કોઈ વિચાર નહીં, કોઈ વાત નહીં, કોઈ વિકલ્પ નહીં
શાંત રહો અને પોતાનાની સાથે જોડાવ
#૮. મૃત્યુ પછી જીવન છે એ પ્રશ્ર્ન મહત્ત્વનો નથી પણ મહત્ત્વનું એ છે કે તમે મૃત્યુ પહેલા જીવિત છો ?
#૯. જો તમારે કંઈક ખરાબ કરવું હોય તો જ શક્તિની જરુર પડે બાકી પ્રેમ, કરુણા પૂરતા છે
#૧૦. તમે જે મહેસૂસ કરો છો, તમે તે બની જાવ છો, આ તમારી જ જવાબદારી છે.
 
 
#૧૧. ડર લાગે તો તલાશ કરો. બધા જ ડર મૃત્યુના છે. મૃત્યુ એકમાત્ર ભયસ્ત્રોત છે.
#૧૨. તમે કેવા છો ? તે તમે બીજાને આધારે નક્કી કર્યંુ છે. આ બીજા ખૂદ જાણતા નથી કે પોતે કોણ છે.
#૧૩. એક ભીડ, એક રાષ્ટ્ર, એક ધર્મ એક જાતિના નહીં
સમગ્ર અસ્તિત્ત્વનો ભોગ બનો
#૧૪. દર્દથી બચવા આપણે સુખથી અને મૃત્યુથી બચવા આપણે જીવનથી દૂર રહીએ છીએ
#૧૫. ભૂલ થાય એટલી કરો પણ એકની એક ભૂલ બીજીવાર ન કરો, તમે પ્રગતિના પંથે હશો.
#૧૬. એક વ્યક્તિ જે ૧૦૦ ટકા સમજદાર છે, હકીકતમાં તે મૃત્યુ પામ્યો છે.
#૧૭. વિશ્ર્વાસ અને ધારણાં વચ્ચે અંતર છે
વિશ્ર્વાસ ખાનગી છે, ધારણા સામાજિક
#૧૮. તણાવનો અર્થ એ છે કે તમે જે બનવા માંગો છો તે તમે નથી
#૧૯. ભીડ ભ્રમ પેદા કરે છે
#૨૦. તમે દુનિયામાં રહો પણ દુનિયા તમારે અંદર ન રહેવી જોઈએ
#૨૧. જ્યાથી ડર દૂર થાય છે ત્યાંથી જીવન શરુ થાય છે