ઉત્તરપ્રદેશના મેનપુરી જિલ્લામાં એક એવું ગામ છે જ્યાં માત્ર ભિખારીઓ જ રહે છે. અહીં કોઈ બાળક જન્મે તો તેનાં માતા-પિતાના મનમાં તેને ડૉક્ટર કે એન્જિનિયર બનાવવાના વિચારને બદલે ભિખારી બનાવવાનો વિચાર આવે છે. નગલા દરબારી નામના આ ગામમાં ૩૦ પરિવારમાં ૨૦૦ લોકો રહે છે. કાચાં મકાન અને મકાનના દરવાજા પણ નથી. ભરણપોષણ ચલાવવા અહીંના લોકો બિન વગાડી સાપ નચાવવાનો પૈતૃક ધંધો જ કરી રહ્યા છે. મજાની વાત એ છે કે આ ગામમાં સરકારી શાળા નથી. ગામલોકોએ ખુદ શાળા શરૂ કરી છે. તેમાં બાળકોને સાપને વશમાં કરવાનું શીખવવામાં આવે છે.