જવાનોની શહીદી પર દુઃખ વ્યક્ત્ત કરવાનું કામ ભાજપ, RSS, હિંદુત્વવાદી સંસ્થા પર છોદી દો!

    ૧૬-ફેબ્રુઆરી-૨૦૧૯

 
 
 
જવાનોની શહીદીનો અફસોસ તમે કેમ કરો છો? દુઃખ વ્યક્ત્ત કરવાનું કામ ભાજપ, RSS, હિંદુત્વવાદી સંસ્થા પર છોદી દો…
જમ્મૂ-કાશ્મીરના પુલવામામાં આત્મઘાતી આતંકી હુમલામાં CRPFના ૪૨ જવાનો શહીદ થયા છે. તેમની આ શહીદી પર દેશભરમાંથી આકરી પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે. બોલીવુડ હસ્તીઓએ પણ આ હુમલાની આકરી ઝાટકણી કાઢી છે. હમણા જાણીતા ગાયક સોનુ નિગમનો એક વિડીયો વાઈરલ થયો છે. તેમાં સોનૂએ આ સંદર્ભે બીજા કલાકારો કરતા કંઇક અલગ કહ્યું છે….શું કહ્યું છે? વાંચો…..
 

તમે તો એ જ કરો જે સેક્યુલર લોકો કરે છે. 

 
સોનૂ નિગમે પોતાના ફેસબૂક પેજ પર Being Secular ના શીર્ષક હેઠળ એક વીડિયો પોસ્ટ કર્યો છે. એક જ દિવસમાં આ વિડીયો ૧૦ લાખ લોકો જોઇ ચૂક્યા છે. આ વીડિયોમાં સોનૂ નિગમ કટાક્ષભર્યા અંદાજમાં કહે છે કે, જવાનોની શહીદીનો અફસોસ તમે કેમ કરો છો? તમે તો ભારત તેરે ટુકડે હોંગે… જેવી વિચારધારા ધરાવતા સેક્યુલર લોકો છે. સાંભળ્યું છે કે, તમે ખુબ જ હોબાળો મચાવી રહ્યાં છો. દુખ વ્યકત કરી રહ્યાં છો કારણ કે CRPFના જવાનો શહીદ થયા છે. 44 જવાનો હતા. અરે 44 હોય કે 440 હોય પણ તમે આટલુ દુખ કેમ વ્યક્ત કરી રહ્યાં છો. આમાં દુખ લગાડવાની ક્યાં વાત છે. તમે એ કરો જે આ દેશમાં યોગ્ય છે, જે સેક્યુલર લોકો કરે છે. આ વાત પર દુખ વ્યક્ત્ત કરવાનું કામ ભાજપ, RSS, હિંદુત્વવાદી, રાષ્ટ્રવાદી સંસ્થાઓ પર છોડી દો. તમે તો એ જ કરો જે સેક્યુલર લોકો કરે છે.

નમસ્તે નથી બોલવું... લાલ સલામ….

ભારત તેરે ટુકડે હોંગે…….. અફઝલ હમ શરમિંદા હૈ…… ફરીથી બોલો. ભારત તેરે ટુકડે હોંગે…….. શાબાસ, તમારે ભારતમાં રહેવું હોય તો આ પ્રકારની સેક્યુલર વિચારધારા રાખવી જોઈએ. અહીં વંદે માતરમ ગાવું ખોટું છે. CRPFના જવાનોના મોત પર દુખ ના વ્યક્ત કરો. નમસ્તે નથી બોલવું... લાલ સલામ….