તમારામાં ક્યારેક જોરદાર આત્મવિશ્વાસ આવી જાય છે અને ક્યારેક તમારામાં જરા પણ આત્મવિશ્વાસ દેખાતો નથી. તમને એવું લાગે છે? જવાબ હા હોય તો આવું કેમ થાય છે? કારણ સ્પષ્ટ છે. જે કામ આવડતું હોય તેમા તમને આત્મવિશ્વાસની જરૂર નહીં પડે પણ જે કામ તમને નથી આવડતું તેમાં જ તમને આત્મવિશ્વાસની જરૂર પડે છે. માટે કહેવાનો મતલબ એ છે કે જે પણ કામ કરો પહેલા તેની પૂરતી તૈયારી કરો. આત્મવિશ્વાસ તો આપોઆપ આવી જાશે. છતા આ પાંચ ટીપ્સ પણ કામ આવશે.