PAK કલાકાર પર આ શું બોલ્યા મુકેશ અંબાણી?

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૬


રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ચેરમેન મુકેશ અંબાણીએ ભારતમાં પાક્સિતાની કલાકારો પર પ્રતિબંધનો વિરોધ અને સપોર્ટ કરતી ડિબેટમાં પોતાનો વિચાર પ્રગટ કરતા કહ્યું કે, મારા માટે હંમેશા દેશ પહેલા છે. હું બૌદ્ધિક નથી માટે હું બધી વસ્તુને સમજી નથી શકતો. પણ હા, તમામ ભારતીયની જેમ ભારત મારા માટે સૌથી પહેલા છે. રાજનીતિમાં આવવાને લઈને એક સવાલના જવાબમાં તેમણે કહ્યું કે, હું રાજનીતિ માટે નથી બન્યો.

મુકેશ અંબાણીએ વાત મુંબઈમાં આયોજિત એક પ્રોગ્રામઓફ કફમાં લોકોના સવાલોના જવાબ આપતા કહી હતી. પ્રોગ્રામ જર્નલિસ્ટ શેખર ગુપ્તા અને બરખા દત્તના ડિજિટલ મીડિયા ઓર્ગેનાઈઝેશન પ્રિન્ટ દ્વારા આયોજિત કરવામાં આવ્યો હતો.