મોદી જેવું ૧૯૭૮માં મોરારજીએ કર્યુ હતું

    ૦૯-નવેમ્બર-૨૦૧૬

 


 

હાલની આર્થિક 'સર્જિકલ સ્ટ્રાઈક' પાછળ ગુજરાતી વડાપ્રધાન ઉપરાંત આરબીઆઈના ગવર્નર અને ગુજરાતી ઉર્જિત પટેલનો ભેજું છે. પણ આવું પહેલા પણ ૧૯૭૮મા બન્યુ હતું. ત્યારે પણ કમાલ કરનારા ગુજરાતીઓ જ હતા.  જ્યારે-જ્યારે બે ગુજરાતી મળે છે ત્યારે આવી સર્જિકલ સ્ટ્રાઈક થવી સ્વાભાવિક છે. નરેન્દ્ર મોદી અને ઉર્જિત પટેલની ગુજરાતી જોડીની જેમ જ 1978માં વડાપ્રધાન મોરારજી દેસાઈ અને આરબીઆઈના ગવર્નર આઈ જી પટેલની ગુજરાતી જોડીએ કાળા નાણાંને અંકુશમાં લેવા આવા જ આકરા પગલા લીધા હતા.

તે વખતે પણ હાઈ દેમોનિશન બેંક એક્ટ ૧૯૭૮ની હેઠળ ૫૦૦/૧૦૦૦ ની નોટ બંધ કરવામા આવી હતી…૧૬ જન્યુઆરી ૧૯૭૮ ના રોજ આ ફેસલો લેવાયો હતો અને ૨૪ જાન્યુઆરી સુધી નોટ જમા કરાવાનો સમય આપવામાં આવ્યો હતો….