જયપુરમાં ૧૭૯૯માં બનેલો હવામહેલ આજે પણ દુનિયાભરમાં પ્રખ્યાત છે. આ મહેલનું નિર્માણ મહારાજા સવાઈ પ્રતાપસિંહે કરાવ્યું હતું. તેનું નામ હવામહેલ તેમાં રહેલી અનેક બારીઓના કારણે પડ્યું છે. અહીં એટલી બારીઓ છે કે ઉનાળામાં પણ અહીંયાં ઠંડી લાગે છે. આ મહેલનું નિર્માણ રાજાએ એટલા માટે કરાવ્યું હતું કે તેની રાણી અને રાજકુમારીઓ શહેરમાંથી નીકળતા જુલુસ ઘરમાંથી જ જોઈ શકે. મહેલમાં આનંદપોલ અને ચાંદપોલ નામના બે દરવાજા છે. આ મહેલના વાસ્તુકાર શ્રી લાલચંદ ઉસ્તા હતા. આ મહેલ દૂરથી જોવા પર મુકુટ જેવો દેખાય છે. આ મહેલમાં પાંચ માળ છે અને તેમાં નાની-મોટી એમ ૯૫૩ બારીઓ છે.