પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીજીના અવસાનની અફવા હાલ સોશિયલ મીડિયા પર વાઇરલ થઈ રહી છે. જેમાં કહેવામાં આવી રહ્યું છે કે અટલજીનું અવસાન ૨૯ માર્ચના રોજ થયું છે. અનેક લોકો આ અફવા પછી તેમને શ્રદ્ધાંજલિ આપવા લાગ્યા છે. આ અફવામાં કહેવામાં આવી રહ્યું છે કે ખૂદ બીજેપીએ જ આ ખબરની જાણકારી આપી છે.
પરંતુ હકિકત એ છે કે આ ન્યુઝ ફેક છે. આ ખોટા સમાચાર છે. આવી કોઈ પણ માહિતી ભાજપ દ્વારા આપવામાં આવી નથી. આ માત્ર એક અફવા જ છે. માટે અફવા પર ધ્યાન ન આપો.
ઉલ્લેખનીય વાત એ છે કે અટલજી ડિમેંશિયા નામની બિમારી છે. તેઓ વર્ષ ૨૦૦૯થી વ્હીલ્ચેયર પર છે. હમણા જ ભારત સરકારે તેમને ભારતરત્નથી સમ્માનિત પણ કર્યા છે.