શનિ દેવ ત્રણે લોકમાં કર્મફળના દાતા અને ન્યાયાધીશ

    ૦૯-મે-૨૦૧૮


 

સૃષ્ટિના પાલક ભગવાન વિષ્ણુના ધામમાંથી વિષ્ણુપ્રિયા લક્ષ્મીજીએ શનિદેવને પ્રશ્ર્ન પૂછ્યો : ‘હે શનિદેવ ! ત્રણે લોકમાં સૌ કોઈ તમને મારક, અશુભ અને દુ:ખકારક અને કર્મ પ્રમાણે દંડ દેનાર દંડક માની ભયભીત થાય છે. તેનું કારણ શું છે ? અરે ! માણસ શું ? દેવતાઓ તથા તમારા પિતા સૂર્ય પણ તમારાથી ભયભીત રહે છે તેનું રહસ્ય શું છે ?’

લક્ષ્મીજીને પ્રત્યુત્તર આપતાં શનિ મહારાજે જણાવ્યું કે : ‘હે માતેશ્ર્વરી ! આમાં મારો કોઈ દોષ નથી. પરમપિતા પરમાત્મા સદાશિવે મને ત્રણે લોકનો ન્યાયાધીશ નીમ્યો છે. તેથી ત્રણે લોકમાં જે અન્યાય કરે છે તેમને દંડ આપવાનું કામ હું કરું છું. ઋષિ અગત્સ્યની પ્રાર્થનાથી તેમને રંજાડતા રાક્ષસોનો સંહાર પણ મેં કર્યો હતો. રાજા દશરથને તેમના રાજ્યમાં રંજાડતા દુષ્ટોનો સંહાર પણ મારા હાથે થયો હતો. ઋષિ મહાત્માઓએ પણ સર્વે ગ્રહોમાં શ્રેષ્ઠ અને ન્યાયપ્રિય ગ્રહ તરીકે મને સ્થાન આપ્યું છે.’

વૈદૂર્ય કાંતિ રમલ: પ્રજાનાં વાણાતસી કુસુમ વર્ણ વિભશ્ર્વશરત:

અન્યાપિ વર્ણ ભુવ ગચ્છતિ તત્સવર્ણાભિસૂર્યાત્મજ: અવ્યતીતિ મુનિ પ્રવાદ:

શનિ દેવનો જન્મ - ન્યાયાધીશ શાથી ?

સૂર્યપત્ની છાયાના ગર્ભથી શનિ દેવનો જન્મ થયો હતો. શનિ દેવ જ્યારે છાયાના ગર્ભમાં હતા ત્યારે તેમની માતા ભગવાન શંકરની ભક્તિમાં લીન રહેતાં હતાં. તેમને ખાવા-પીવાનું પણ ભાન રહેતું નહિ. પરિણામ સ્વ‚ કુપોષણને કારણે પુત્ર શનિ પર તેનો પ્રભાવ પડ્યો. શનિનો વર્ણ શ્યામ થઈ ગયો. શનિને શ્યામ વર્ણનો જોઈ પિતા સૂર્યએ માતા છાયા પર આરોપ લગાડ્યો કેઆવો પુત્ર મારો હોઈ શકે નહી !’ ત્યારથી શનિ તેના પિતાને શત્રુભાવથી જોવા લાગ્યો. શનિદેવે પોતાની સાધના તથા તપથી શિવજીને પ્રસન્ન કર્યા. શિવજીએ શનિને વરદાન માંગવાનું કહ્યું. તેથી શનિએ વરદાન માંગતાં કહ્યું કે, "હે સદાશિવ ! મારા પિતા સૂર્યએ મારી માતાને યુગો-યુગો સુધી અપમાનિત કરી છે. મારી માતાની ઇચ્છા હતી કે તેનો પુત્ર પિતાથી પણ બળવાન બને! અને પિતાનો બદલો લે. પરમપિતા પરમાત્મા ભોળાનાથ સદાશિવે શનિ-મહારાજને વરદાન આપ્યું કેહે સૂર્યપુત્ર ! તમારા પિતાના નવ ગ્રહોમાં તમારું સ્થાન સર્વશ્રેષ્ઠ હશે ! માણસ તો શું ? દેવતાઓ પણ તમારા નામથી ભયભીત થશે. હું તમને ત્રણે લોકના ન્યાયાધીશ નિયુક્ત કરું છું. તમારા પિતાએ તમને જે શાપ આપ્યો હતો કે : ‘હે પુત્ર શનિ! તેં મારી સામે ક્રૂરતાપૂર્ણ દૃષ્ટિ રાખી છે તેથી તને શાપ આપું છું કે તું મંદગામી ગ્રહ થા ! તેનું પણ નિવારણ થશે. તમે ત્રણે લોકમાં ન્યાયપ્રિય થશો.

શનિદેવનો પ્રભાવ - ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યની પ્રસંગકથા

એક દિવસે બધા ગ્રહો એકઠા થયા. વિવિધ વિષયો માટે વાર્તાલાપ કરતા હતા. એવામાં એક વિષય પર આવી સૌ અટકી ગયા કે : "આપણામાં સૌથી સન્માનિત ગ્રહ કયો છે ? તેઓ અંદરોઅંદર તર્ક-વિતર્ક કરવા લાગ્યા પણ કોઈ નિર્ણય થયો નહિં. તેથી બધા ગ્રહો નિર્ણય માટે ઇન્દ્ર દેવ પાસે કયા. ઇન્દ્ર પણ વિસ્મયમાં પડી ગયા. તેમને પણ લાગ્યું કે જો તે કોઈ એક ગ્રહને સન્માન આપી શ્રેષ્ઠ જાહેર કરશે તો અન્ય ગ્રહો તેમના પર કોપાયમાન થશે. થોડા વિચાર પછી ઇન્દ્રને યુક્તિ મળી. તેમણે બધા ગ્રહોને કહ્યું કે, "હે સૂર્યપુત્રો ગ્રહો ! માન્યવરો ! હું પ્રશ્ર્નનો ઉત્તર આપવા અસમર્થ છું પણ પૃથ્વી નિવાસી ઉજ્જૈનનો રાજા વિક્રમાદિત્ય તમારા પ્રશ્ર્નનો ઉત્તર આપવા સમર્થ છે. તેની પાસે જાઓ. બધા ગ્રહો ઇન્દ્રદેવના સૂચનથી રાજા વિક્રમાદિત્ય પાસે જાય છે.

પૃથ્વી પરના રાજાઓમાં રાજા વિક્રમાદિત્ય તેમના ન્યાય માટે પ્રસિદ્ધ હતા. તેમણે જોયું કે બધા ગ્રહો તેમના રાજદરબારમાં આવી રહ્યા છે. તેમણે તેમના આસન પરથી ઊભા થઈ ગ્રહોને માન-સન્માન સાથે આવકાર્યા અને આસન ગ્રહણ કરવા કહ્યું. પણ ગ્રહોએ આસન સ્વીકાર્યું નહી અને કહ્યું કે, ‘હે રાજા, તમે અમારામાં સૌથી સન્માનિત-ઉચ્ચ ગ્રહ કયો છે તેનો ન્યાય નહી કરો ત્યાં સુધી આસન પર બેસીશું નહી !’ રાજા વિક્રમાદિત્ય પણ પ્રશ્ર્નથી વિસ્મય પામ્યા. કરવું શું ? પ્રશ્ર્નના ઉકેલ માટે તેમણે એક યુક્તિ કરી. રાજાએ તેમના સિંહાસનથી દરબારના દ્વાર સુધી એક લાઈનમાં સિંહાસનો ગોઠવ્યાં. કહ્યું કે હું નિર્ણય કરું ત્યાં સુધી તમારે સિંહાસન સ્વીકારવું નહી. પણ ! એવામાં બૃહસ્પતિ દોડતા-દોડતા વિક્રમના સિંહાસનની નજીક બેસી ગયા. તેના આગળના સિંહાસન પર સૂર્ય, તેની પછી ચંદ્રમા, પછી મંગળ ક્રમશ: રાહુ અને કેતુ બેઠા. શુક્રદેવ આઠમા સ્થાને બેઠા. હવે છેલ્લું અંતિમ સ્થાન બચ્યું હતું અને શનિદેવ પણ રાજાના નિર્ણયની રાહ જોતા ઊભા રહ્યા હતા. રાજા વિક્રમે શનિદેવને કહ્યું કે, ‘દ્વાર પાસેના સિંહાસન પર વિનમ્રતાથી જે બેસશે, તે સર્વશ્રેષ્ઠ સન્માનિત ગ્રહ છે. તેથી શનિ-મહારાજ દ્વાર પાસેનું સિંહાસન આપ ગ્રહણ કરો. મારા નિર્ણયમાં આપ શ્રેષ્ઠ છો.’ પણ શનિદેવ ત્યાં બેઠા નહિ. આથી બધા ગ્રહો હસવા લાગ્યા. શનિદેવને પોતાનું અપમાન થયું હોવાનું લાગ્યું. તેથી શનિદેવ ક્રોધિત થયા અને બધા ગ્રહોને કહ્યું કે, ‘તમે રીતે મારું અપમાન કરી ઠીક કર્યંુ નથી. તમે મને શું સમજો છો ? તમે મને અંતમાં બેસાડવા અહીં લાવ્યા છો ? એક વાતનું ધ્યાન રાખો કે કોઈપણ રાશિમાં ચંદ્ર સવા બે દિવસ (.૨૫ દિવસ); સૂર્ય, બુધ અને શુક્ર ૧૫ દિવસ; મંગળ બે મહિના, ગુ‚ ૧૩ મહિના તથા રાહુ અને કેતુ ૧૮ મહિના સુધી રહે છે જ્યારે હું સાડા-સાત વર્ષ (. વર્ષ) રહું છું. તેથી તમારે પણ મારા અપમાનનો દંડ સહન કરવા તૈયાર રહેવું પડશે. ત્રણે લોકના જાતક (જન્મ લેનાર) પર મારો પ્રભાવ મોટો છે. મારી સાડા-સાતી રાજાને તેનાં દુષ્કર્મોથી રંક અને રંકને તેના સદ્કર્મોથી રાજા બનાવી શકે છે. મારી સાડા-સાતી પનોતીના દંડથી કોઈ બચી શકશે નહી. પણ દુષ્કર્મો છોડી સતકર્મો તરફ ગતિ કરનાર જાતકની દંડની અવધિ ઘટાડું છું. એક દિવસથી માંડી સાડા-સાત વર્ષ સુધી મારા દંડની અવધિ છે. ઉજ્જૈનના રાજા વિક્રમાદિત્યને પણ ન્યાય આપવામાં શનિદેવ માટે જે યુક્તિ અજમાવી હતી તેનો દંડ પણ ભોગવવો પડ્યો. રાજાને પણ શનિની સાડા-સાતીમાંથી પસાર થવું પડ્યું. રાજાનું રાજ્ય બરાબર ચાલતું હતું. તે સુખી હતો. એવામાં તેના રાજ્યમાં ઘોડાનો વેપારી આવે છે. રાજા તેની પાસેથી ભંવર નામનો સુંદર ઘોડો ખરીદે છે. ઘોડો લઈ રાજા વનમાં વિહાર કરવા જાય છે ત્યારે અચાનક ઘોડો રાજાને વનમાં મૂકી ચાલ્યો જાય છે. રાજા વનમાં ભટકે છે. દુ:ખના દિવસો શરૂ થયા. ત્યારબાદ અનેક ઘટનાઓ તથા પ્રસંગોમાંથી દુ: વેઠતો રાજા વિક્રમ રંક સમાન બને છે. સાડા-સાત વર્ષ પૂર્ણ થતાં પુન: રાજા માટે સુખના દિવસો શરૂ થયા.’

શનિ દેવનું ખગોળીય વિવરણ

નવ ગ્રહોના ક્રમમાં શનિનું સૂર્યથી સર્વાધિક અંતર અઠ્યાસી કરોડ, એકસઠ લાખ માઈલ છે. પૃથ્વીથી શનિનું અંતર ઈકોતેર કરોડ, એક્તાલીસ લાખ, ત્યાંસી હજાર માઈલ છે. શનિનો વ્યાસ પંચોત્તેર હજાર એકસો માઈલ છે. તેની ગતિ માઈલ પ્રતિ સેક્ધડ છે. તે ૨૧. વર્ષમાં સૂર્યની પરિક્રમા કરે છે. શનિગ્રહનું તાપમાન ૨૪૦ ફેરનહીટ છે. શનિની આસપાસ સાત વલયો છે. શનિને પંદર ચંદ્ર છે. જેમનો વ્યાસ પૃથ્વી કરતાં પણ અનેકગણો છે.

મનુષ્યની જન્મકુંડળીના બાર સ્થાનોમાં શનિ દેવના પ્રભાવનો ફળાદેશ પણ જીવનમાં આવી પડેલ સુખ-દુ:ખનું વિવરણ છે, જેથી મનુષ્યને તેના જન્મોજન્મનાં કર્મોના ફળોનું જ્ઞાન થાય છે. જીવનમાં આવેલ દુ:ખોના નિવારણ માટે શનિનો બીજ મંત્ર પણ છે જેના જાપથી સાંત્વન મળે છે.

બીજ મંત્ર

શં શનૈશ્ચરાય નમ:

પ્રાં પ્રીં પ્રૌ : શનૈશ્ચરાય નમ:

મહારાષ્ટ્રમાં શિંગળાપુર, મધ્યપ્રદેશમાં ગ્વાલિયર પાસે તથા ઉત્તરપ્રદેશના કોશી પાસે કોકિલાવનમાં શનિદેવનાં પ્રસિદ્ધ મંદિરો છે.