(૨) પાયોરિયામાં અઘોળ દિવેલમાં ૧૦ વાલ કપૂર નાખી ખરલ કરવું. તેને ઘૂંટી શીશીમાં ભરવું તથા આંગળીથી પેઢા ઉપર ઘસવું. જેથી દાંતમાંથી ખૂબ ચીકાશ નીકળે છે અને પાયોરિયા મટે છે.
(૪) આ રોગમાં તુલસીના પાનની લૂગદી ઘસવાથી પણ આ રોગ મટે છે.
(૫ )સૂંઠ, મરી, પીપર, હરડે, આમળાં, બહેડા, તજ, તમાલપત્ર, એલચી, સિંધવ, કઠ આટલાં દ્રવ્યો સમાન ભાગે લઈ બારીક વસ્ત્રગાળ ચૂર્ણ કરવું. તેમાં કપૂર તથા ૫થી ૬ ટીપાં લવિંગનું તેલ મેળવી ઘૂંટી લઈ બાટલીમાં ભરવું. આ મંજન નિયમિત રીતે દાંત ઉપર ઘસવાથી દાંતના તમામ રોગોમાં ખૂબ જ ફાયદો જણાશે.