જયદ્રથ : અભિમન્યુના મૃત્યુનો બદલો લેવા અર્જુને જેને મારવાની પ્રતિજ્ઞા લીધી હતી તે - દુર્યોધનની બહેનનો પતિ

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |

 
 
દુર્યોધનની બહેન દુશાલાનો પતિ જયદ્રથ સિંધુ દેશનો રાજા હતો. જયદ્રથ પાંડવોની પત્ની દ્રૌપદીનું અપહરણ કરી તેની સાથે વિવાહ કરવાનું કહે છે અને બળજબરીથી વિવાહ કરી તેનું અપમાન કરે છે. ભીમ તેનો પીછો કરે છે અને તેને જીવતો પકડી પાડે છે.
 
યુધિષ્ઠિર તેની હત્યા થતી રોકે છે પણ તેને બંદી બનાવી લે છે અને ભીમ તેનું મુંડન કરી દે છે. પોતાના આવા અપમાનનો બદલો લેવા જયદ્રથ શિવની તપસ્યા કરે છે. તેમને પ્રસન્ન કરે છે અને પાંડવોને હરાવવાનું વરદાન માગે છે. શિવજી કહે છે કે તે અશક્ય છે, પણ તેને એવું વરદાન આપે છે જે થકી તે અર્જુન (જે શ્રીકૃષ્ણ દ્વારા સંરક્ષિત હતો) સિવાયના અન્ય પાંડવોને એક દિવસ સુધી રોકી શકે.
 
અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી કે તે અભિમન્યુના મૃત્યુનો બદલો લેશે એટલે આ જ દિવસે જયદ્રથે છળપૂર્વક બાકીના પાંડવોને અભિમન્યુથી અળગા કરવા રોક્યા હતા.
 
આમાં શિવજીનું પેલું વરદાન પણ કામ કરી ગયું. આ દિવસ હતો યુદ્ધનો તેરમો દિવસ...
 
અને તેથી જ અર્જુને પ્રતિજ્ઞા લીધી હતી કે તે બીજા દિવસે સૂર્યાસ્ત સુધીમાં જો જયદ્રથને મારવામાં અસમર્થ રહેશે તો દિવસને અંતે અગ્નિસ્નાન કરશે. દિવસના યુદ્ધ દરમિયાન અર્જુને સમસ્ત અક્ષૌહિણી સેનાનો નાશ કર્યો. દિવસના અંતે સૂર્ય અસ્ત થવામાં હતો અને જયદ્રથ સુધી પહોંચવા અર્જુને હજારો લડવૈયાને પાર કરવાના હતા.
 
મિત્રની આવી સ્થિતિને જાણી શ્રીકૃષ્ણે પોતાના સુદર્શન ચક્રથી સૂર્યગ્રહણ કરાવ્યું. આથી (અવાસ્તવિક) સૂર્યાસ્ત જેવું વાતાવરણ થયું. સૂર્યાસ્ત થતાં અર્જુનની હાર અને તેની અટલ આત્મહત્યાથી કૌરવો ખુશ થઈ ઊઠ્યા.
 
અર્જુને શક્તિશાળી તીરથી જયદ્રથને વીંધી નાખ્યો. જયદ્રથના પિતાએ તેને વરદાન આપ્યું હતું કે જે વ્યક્તિ થકી તેનું માથું ધરા પર પડશે તેનું માથું ફાટી તત્કાલ મૃત્યુ થશે. જ્યારે અર્જુને જયદ્રથનું માથું ધડથી જુદું કર્યું ત્યારે આ વરદાન દ્વારા તેનું મૃત્યુ પણ નક્કી હતું, પણ કૃષ્ણ વચ્ચે પડ્યા અને તરત જ અર્જુનને અન્ય તીર ચલાવવા કહ્યું જેથી તેનું કપાયેલ માથું આશ્રમમાં ધ્યાનસ્થ તેના પિતાના જ ખોળામાં પડે.
 
અર્જુને એક સાથે ત્રણ તીર ચલાવ્યાં. જે જયદ્રથના કપાયેલા માથાને તેના પિતાના ખોળા સુધી લઈ ગયાં. જ્યારે તેમનું ધ્યાન પૂરું થયું અને તેઓ ઊભા થયા ત્યારે તેમણે તે માથું ન જોયું અને તે ધરા પર પડી ગયું. આથી તેમનું જ માથું ફાટી ગયું.
 
જ્યારે અર્જુને જયદ્રથને બીજે દિવસે સૂર્યાસ્ત પહેલાં મારવાની પ્રતિજ્ઞા લીધી ત્યારે કૃષ્ણ વિચારમાં પડ્યા કે આ વાત શક્ય કેમ બનાવવી. તેમણે જ્યોતિષિને બોલાવ્યા અને ખાતરી કરી લીધી કે બીજે દિવસે સંપૂર્ણ સૂર્યગ્રહણ હતું.
 
અર્જુનની પ્રતિજ્ઞા જાણી કૌરવોએ અર્જુનને જયદ્રથથી દૂર રાખવા વિશાળ સેનાની પાછળ રાખ્યો. અર્જુને ઘણા સૈનિકોને માર્યા પરંતુ હજુ ઘણા અક્ષૌહિણી સૈનિકો સામે હતા.
 
ગ્રહણ સમયે આકાશમાં અંધારું થઈ ગયું. બધાને લાગ્યું કે સૂર્ય આથમી ગયો છે. પોતાની પ્રતિજ્ઞા પાળવા માટે અર્જુન અગ્નિસ્નાન કરવા તૈયાર થયો. કૌરવોએ જયદ્રથને અર્જુનના આત્મવિલોપનના સમાચાર આપ્યા.
 
આ શુભ સમાચાર સાંભળી અર્જુનના મૃત્યુને જોવા જયદ્રથ લોકોના ટોળામાંથી માર્ગ કરતો આગળ આવ્યો.
 
જ્યારે જયદ્રથ આવ્યો ત્યારે કૃષ્ણે સૂર્યને ગ્રહણમાંથી બહાર આવતો દેખાડી સૌને આશ્ર્ચર્ય પમાડ્યું. શ્રીકૃષ્ણ દ્વારા ચેતવાયેલા અર્જુને તુરંત પોતાનાં તીરકામઠાં સંભાળ્યા અને જયદ્રથનું માથું વાઢી નાખ્યું.