દ્રૌપદી : પાંચાલનરેશ દ્રુપદની પુત્રી, મહાભારતનું સર્વગુણસંપન્ન સ્ત્રીરત્ન

    ૧૮-ઓક્ટોબર-૨૦૧૯
કુલ દૃશ્યો |


 

મહાભારતના આદિપર્વમાં દ્રૌપદીના જન્મની કથા છે. લાક્ષાગૃહમાંથી પાંડવો હિડિમ્બા વનને પસાર કરી એકચક્રા નગરીમાં આવે છે. તેમના ગુણોથી નગરવાસીઓ પણ પ્રભાવિત થાય છે. તેઓ એક સદાચારી બ્રાહ્મણને ત્યાં આશરો લે છે. ક્ષેત્રમાં બકાસુર નામનો રાક્ષસ ઘર દીઠ એક માનવભક્ષણ કરતો હતો. એક દિવસ બ્રાહ્મણનો વારો આવે છે. ભીમસેન બકાસુર પાસે બ્રાહ્મણને બદલે જઈ બકાસુરનો વધ કરે છે. બકાસુરને માર્યા પછી પાંડવો વેદાધ્યયન કરતાં બ્રાહ્મણને ઘેર રહેવા લાગ્યા. થોડા દિવસો બાદ તેને ત્યાં એક બીજો સદાચારી બ્રાહ્મણ આવ્યો. તેની સેવામાં કુંતી અને પાંડવો પણ જોડાયા. બ્રાહ્મણે કથા-પ્રસંગમાં દેશ, તીર્થ, નદી, નદ (મોટી નદી) અને રાજાઓનું વર્ણન કરતાં-કરતાં દ્રુપદની કથા શરૂ કરી અને દ્રૌપદીના સ્વયંવરની વાત પણ કહી. પાંડવોએ દ્રૌપદીના જન્મની કથા સાંભળવાની ઇચ્છા વ્યક્ત કરી, તેથી તે અતિથિ બ્રાહ્મણ દ્રુપદનું પૂર્વ-ચરિત્ર સંભળાવી કહેવા લાગ્યો. જ્યારથી દ્રોણાચાર્યે પાંડવોના હાથે દ્રુપદને પરાજિત કરાવ્યા છે ત્યારથી તે નિરંતર બેચેન રહેવા લાગ્યા. તેઓ ચિંતામાં દુર્બળ થઈ ગયા. દ્રોણાચાર્ય સાથે બદલો લેવા માટે યજ્ઞ કરવા અથવા વિધિ કરવા બ્રાહ્મણની શોધમાં નીકળ્યા.

 

રાજા દ્રુપદ કલ્માષી નગરી પાસે બ્રાહ્મણોની વસ્તીમાં ગયા. ત્યાં કશ્યપ ગોત્રના યાજ અને ઉપયાજ બે યજ્ઞકાર્યમાં નિષ્ણાત બ્રાહ્મણો મળે છે. દ્રોણાચાર્યને મારનાર પુત્રની પ્રાપ્તિ માટેના યજ્ઞકાર્ય માટે ઉપયાજ અસમર્થ હોય છે જ્યારે યાજ દ્રુપદ પાસે પુત્રપ્રાપ્તિનો યજ્ઞ કરાવે છે. યાજની સંમતિથી દ્રુપદનું યજ્ઞકાર્ય સંપન્ન થાય છે. અગ્નિકુંડમાંથી એક દિવ્ય કુમાર પ્રગટ થયો. તેના જન્મ સમયે આકાશવાણી થઈ - પુત્રના જન્મથી દ્રુપદ સર્વથા શોક રહિત થઈ જશે. કુમાર દ્રોણને મારવા માટે ઉત્પન્ન થયો છે.

 

તે વેદીમાંથી કુમારી પાંચાલીનો જન્મ થયો. પાંચાલી સર્વાંગ-સુંદર, કમળ જેવાં નેત્રોવાળી શ્યામ વર્ણની હતી. જાણે કોઈ દેવાંગના પ્રગટ થઈ હોય તેવું લાગતું હતું. જાણે આવી સુંદર સ્ત્રી પૃથ્વી પર બીજી કોઈ હોય ! દ્રુપદપુત્રી દ્રૌપદી પાંચાલીનો જન્મ થયો ત્યારે આકાશવાણી થઈ - સ્ત્રીરત્ન કૃષ્ણા છે. દેવતાઓનું પ્રયોજન સિદ્ધ કરવા માટે ક્ષત્રિયોનો સંહાર કરવાના ઉદ્દેશથી ક્ધયાનો જન્મ થયો છે. આના કારણે કૌરવો અત્યંત ભયભીત થશે.બ્રાહ્મણોએ પુત્ર તથા પુત્રીનું નામકરણ કર્યું. કુમાર અત્યંત ધૃષ્ટ (સાહસિક) અને અસહિષ્ણુ છે. બળ, રૂપ, ધન અથવા કવચ-કુંડળ વગેરે કાન્તિથી સંપન્ન છે તેથી એનું નામ દ્યુષ્ટદ્યુમ્ન પાડ્યું. કુમારી કૃષ્ણવર્ણી છે તેથી એનું નામ કૃષ્ણા પાડ્યું. આમ દ્રુપદને ત્યાં દ્રૌપદી જે કૃષ્ણા અને પાંચાલીના નામે પણ ઓળખાવા લાગી. મહાભારતમાં દ્રૌપદીનું જીવનચરિત્ર આધુનિક યુગમાં સમાજ અને ખાસ બહેનો માટે એક આદર્શ સ્ત્રીનું ઉદાહરણ છે.

 

અતિથિ બ્રાહ્મણ દ્વારા દ્રૌપદીના જન્મની કથા તથા તેના સ્વયંવરના સમાચાર પાંડવોએ સાંભળ્યા.

 

પાંડવોએ ઉત્કોચક્ર તીર્થમાં ધૌમ્યમુનિને પુરોહિત બનાવી તેમના આશીર્વાદ મેળવ્યા. મંગલાચાર પછી પાંડવોએ દ્રૌપદીના સ્વયંવરમાં જવા માટે પ્રસ્થાન કર્યું. દ્રુપદના શ્રેષ્ઠ નગરમાં આવી પહોંચ્યા. પાંડવો બ્રાહ્મણના વેશમાં હતા. રસ્તામાં બ્રાહ્મણોએ પૂછ્યું કે, ‘તમે લોકો ક્યાંથી આવો છો અને ક્યાં જઈ રહ્યા છો?’ યુધિષ્ઠિરે કહ્યું, ‘પૂજનીય બ્રાહ્મણો ! અમે પાંચે ભાઈઓ એક સાથે રહીએ છીએ અને અત્યારે એકચક્રા નગરથી આવી રહ્યા છીએ.બ્રાહ્મણોએ કહ્યું, ‘તમે લોકો પાંચાલ દેશના રાજા દ્રુપદની રાજધાનીમાં ચાલો. ત્યાં તેમની પુત્રીના સ્વયંવરનો મોટો ઉત્સવ છે. અમે બધા ત્યાં જઈ રહ્યા છીએ. આવો, આપણે સાથે સાથે જઈએ.યુધિષ્ઠિરે બ્રાહ્મણોની વાત સ્વીકારી અને તેમની સાથે પાંડવો ચાલવા લાગ્યા. થોડું ચાલ્યા પછી તેમને મહર્ષિ વેદવ્યાસજીનાં પણ દર્શન થયાં. પાંડવોએ જોયું કે દ્રુપદનગર નજીક આવી ગયું છે અને તેનો કિલ્લો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે, ત્યારે તેમણે એક કુંભારને ત્યાં રહેવાનું નક્કી કર્યું. તેઓ ત્યાં રહીને બ્રાહ્મણોની જેમ ભિક્ષાવૃત્તિથી પોતાનો જીવનનિર્વાહ કરવા લાગ્યા. કોઈપણ નાગરિકને વાતની જાણ થઈ શકે કે પાંડુપુત્રો છે.

 

રાજા દ્રુપદની ઇચ્છા હતી કે મારી પુત્રી દ્રૌપદી અર્જુનને વરમાળા પહેરાવે. તેથી તેમણે એક એવું ધનુષ્ય બનાવડાવ્યું કે જેની એવું યંત્ર બનાવ્યું જે ફરતું રહે અને તેમાં મત્સ્યઆકારનું લક્ષ્ય મૂક્યું જેની આંખ (બારિક છિદ્ર)ને, લક્ષ્યભેદ આસન - સ્થાન પરથી નીચે પાણીમાં જોઈને જે વીરરત્ન બાણવીર લક્ષ્યભેદ કરે તેને દ્રૌપદી વરમાળા પહેરાવે તેવી ઘોષણા પણ કરી. દ્રુપદને ખાતરી હતી કે કાર્ય અર્જુન સિવાય બીજો કોઈ કરી શકશે નહીં.

 

સ્વયંવરમાં યુધિષ્ઠિર વગેરે પાંડવો બ્રાહ્મણોની સાથે ગોઠવાઈ ગયા. સ્વયંવરમાં દ્યૃતરાષ્ટ્રના બળવાન પુત્રો તેમજ કર્ણ, શકુનિ, વૃષક, બૃહદ્બલ મુખ્ય છે. અશ્ર્વત્થામા, ભોજ, જયત્સેન, રાજા વિરાટ, પૌણ્ડ્રક, વાસુદેવ, શલ્ય, શિશુપાલ, જરાસંઘ ઉપરાંત અનેક બળવાન રાજકુમારો પણ ઉપસ્થિત છે. પરિચિયવિધિ દરમિયાન આકાશમાંથી વિમાનો દ્વારા દેવતાઓ, રુદ્ર, આદિત્ય, અશ્ર્વિનીકુમારો, યમરાજ અને કુબેર પણ પધાર્યા. ત્યારબાદ દૈત્યો, ગરુડ, નાગ, દેવર્ષિઓ અને ગંધર્વો પણ મંડપમાં આવ્યા. સૌના ધ્યાનની વચ્ચે વસુદેવ નંદન બલરામજી, ભગવાન શ્રીકૃષ્ણ, યાદવો અને અન્ય મહાનુભાવો સ્વયંવરને નિહાળવા આવ્યા.

 

દ્રૌપદીના સ્વયંવરનો પ્રારંભ થયો. દુર્યોધન તથા અનેક રાજાઓએ પ્રયત્નો કર્યા પણ સૌ નિષ્ફળ ગયા. બધા નિરાશ થઈ ગયા. એટલામાં ધનુર્ધર - શિરોમણિ કર્ણ ઊભો થયો. તેણે ધનુષ્યની પાસે જઈ તેને ઉઠાવી દીધુ અને જોતજોતામાં પ્રત્યંચા ચઢાવી દીધી. એમ લાગતું બૂમ પાડી બોલી ઊઠી, ‘હું સૂતપુત્રને વરીશ નહીં.કર્ણે સાંભળીને ઈર્ષ્યા ભર્યા હાસ્ય સાથે સૂર્યની સામે જોયું અને કંપારી સાથે ધનુષ્યને નીચે મૂકી દીધું. સ્વયંવરમાં ઘણા લોકો નિરાશ થયા ત્યારે શિશુપાલે પ્રયત્ન કર્યો પણ તે જમીન પર પટકાઈ ગયો. જરાસંધ પણ પ્રમાણેના પ્રયત્નમાં પટકાઈ ગયો. મોટા-મોટા પ્રભાવશાળી રાજાઓ પણ લક્ષ્યવેધ કરી શક્યા. મંડપમાં સૌ ચિંતામાં પડ્યા. સભામંડપનું વાતાવરણ ગમગીન તથા ઉદાસ બન્યું. એવામાં હવે, અર્જુનને એમ લાગ્યું કે મારો આત્મા હવે લક્ષ્યવેદની સૂચના આપે છે. તુરત અર્જુન બ્રાહ્મણના વેશમાં બ્રાહ્મણોના સમૂહમાંથી ઊભો થયો. ધૃતરાષ્ટ્ર પુત્રો દુર્યોધન સહિતના રાજાઓ અને સૌ કોઈને આશ્ર્ચર્ય થયું કે, બ્રાહ્મણ લક્ષ્યવેધ કરી શકશે ? બ્રાહ્મણોને થયું કે બ્રાહ્મણ ભરીસભામાં અમારું અપમાન તો નહીં કરાવેને ? પરંતુ દરમિયાન ભગવાન શ્રીકૃષ્ણ અર્જુનની સામે સ્મિત કરતા હતા. તે જોઈ અર્જુને ભગવાન શ્રી શંકર અને શ્રીકૃષ્ણને પ્રણામ કરી ખૂબ સહજભાવથી ધનુષ્ય ઉઠાવી લીધું. જોતજોતામાં એક બાણ વડે લક્ષ્યને વીંધી નાખ્યું. બ્રાહ્મણો ગર્વથી તેમના ખેસ હલાવવા લાગ્યા. ચારેબાજુથી અર્જુન પર પુષ્પોની વર્ષા થઈ. દ્રુપદના આનંદનો પાર રહ્યો. ધુષ્ટદ્યુમ્ન તેની બહેનને દોરી ગયો અને દ્રૌપદીએ અર્જુનને વરમાળા પહેરાવી. વિધિ-વિધાન પ્રમાણે દ્રૌપદી અર્જુનની અર્ધાંગિની જાહેર થઈ. દુર્યોધન સહિત અનેક રાજાઓને દ્રુપદે તેની કન્યા એક બ્રાહ્મણને પરણાવી તે ગમ્યું નહીં. તેમનું અપમાન થયું હોવાની ઘૃણા તથા ઈર્ષ્યા પ્રગટ થયાં. તેઓ ્રાહ્મણ પર તૂટી પડ્યા પણ બળવાન ભીમે સૌને પરાસ્ત કર્યા. પાંડવો દ્રૌપદીને લઈ કુંભારને ઘરે આવ્યા. ઘરનું બારણું ખખડાવતાં અર્જુને કહ્યું, ‘હે માતા ! તારા માટે એક ભેટસોગાદ લાવ્યો છું. તે સ્વીકાર.પણ કુંતી કામમાં વ્યસ્ત હોવાથી બારણું ઉઘાડ્યા વિના કહ્યું, ‘હે પુત્ર ! ભેટ સોગાદ મીઠાઈ પર તમારા પાંચેનો ભાવ છે તેથી તમે પાંચે લાવેલ ભેટના અધિકારી છો. તમે પાંચેય તેને વહેંચીને સ્વીકારો. બોલી થોડી વાર પછી કુંતીએ બારણું ઉઘાડ્યું જોયું તો દ્રુપદ કન્યા દ્રૌપદીને સ્વયંવરમાંથી અર્જુને અર્ધાંગિની સ્વરૂપે મેળવી છે. સૌ ચિંતામાં પડી ગયા. કુંતીએ સૌને શાંત પાડતાં દ્રૌપદીનું સ્વાગત કરતાં કહ્યું, ‘હે પુત્રી ! મારે પાંચે પુત્રો છે. દીકરીની ખોટ હતી તે તે આવીને પૂરી કરી છે. તું મારા પાંચે પુત્રોની સાથે રહી અમારી સાથે ચાલ.જે ઘરમાં પાંડવો રહેતા હતા તે કુંભારે પણ ઘરઆંગણે આવેલ રાજકુંવરીનું સપરિવાર સ્વાગત કર્યું. મહાભારતમાં દ્રૌપદીનો સ્વયંવર અને પાંડવો તથા કુંતી સાથે પુન: હસ્તિનાપુર પધારવાના ઘટનાક્રમને પણ અદ્ભુત રીતે વર્ણવાયો છે.

 

મહાભારતમાં દ્રૌપદીમાં રહેલી આદ્યશક્તિ - નારીશક્તિનું અદ્ભુત વર્ણન દ્રૌપદીના વસ્ત્રાહરણ સમયે વર્ણવાયું છે. કપટી શકુની, કૌરવોનો હંમેશા પાંડવો સામે વિજય થાય તેવા પ્રસંગો અને તરકટોની વ્યવસ્થામાં ગળાડૂબ હોય છે. હસ્તિનાપુરમાં કૌરવો અને પાંડવો વચ્ચે દ્યુત-જુગાર રમાય અને પાંડવોનો પરાજય થાય તેવું ગોઠવાયું. શકુનિની મેલી મુરાદ પૂર્ણ થાય છે. યુધિષ્ઠિર સર્વસ્વ હારી જાય છે અને દાવમાં છેલ્લે દ્રૌપદીને પણ હારી જાય છે. તેથી દુ:શાસન દ્રૌપદી રજસ્વલા એક વસ્ત્રે હોવા છતાં તેનો ચોટલો પકડી ખૂબ ઘૃણા અને ક્રૂરતાથી દ્રૌપદીને ભરીસભામાં લાવે છે. દૃશ્ય જોઈ બધા સમસમી ગયા કોઈ દ્રૌપદીના બચાવવા આવતું નથી ત્યારે ત્રાડ પાડી દ્રૌપદી સૌ હાજર ક્ષત્રિયોને ભરીસભામાં પડકારી કહે છે. ક્ષત્રિયો ! તમારો હવે કાળ આવ્યો છે. હું દ્રુપદ રાજાની પુત્રી, ધૃષ્ટદ્યુમ્નની બહેન, પાંડવોની ધર્મપત્ની, હું ધૃતરાષ્ટ્રીષ્મની કુલવધૂ, અર્જુન જેવો પરાક્રમી મારી વેણીમાં ફૂલ ગુંથે છે. સમસ્ત જગતના બ્રાહ્મણોએ વેણી પર અવભૃથનાં જળ સીંચ્યા, મારા કેશપાશને પાપી દુ:શાસન હાથ અડાડે અને બધા ક્ષત્રિયો લાચાર થઈ જોઈ રહે તે તમારા બધાનું લાંછન છે. મારા સતના બળે જો હું શાપ આપીશ તો બધા બળીને ખાખ થઈ જશે. હસ્તિનાપુરનો નાશ થશે.

 

વસ્ત્રાહરણના પ્રસંગે એકમાત્ર કૃષ્ણ દ્રૌપદીને ચીર પૂરે છે. અહીં પણ કર્મફળનો ઉપદેશ છે. દ્રૌપદીએ એક વેળા શેરડી છોલતા કૃષ્ણની આંગળી કપાતાં લોહી નીકળ્યું હતું ત્યારે પોતાની સાડી ફાડીને પાટો બાંધ્યો હતો. પાટામાં જેટલા તાંતણા હતા એટલી સાડીઓ પૂરી પાડી. શ્રીકૃષ્ણ દ્રૌપદીની લાજ રાખે છે. તેથી વસ્ત્રાહરણમાં પણ દુ:શાસન હારી થાકી ભોંય પર પછડાય છે. દુર્યોધન પણ પોતાની જાંઘ પછાડતો રહી ગયો, જ્યાં દુ:શાસન દ્રૌપદીને દાસી સ્વ‚પે બેસાડવાનો હતો કેમ કે જુગટુમાં યુધિષ્ઠિર દ્રૌપદીને હારી ગયા હતા. વેળાએ ભીમે જે પ્રતિજ્ઞા લીધી હતી તે અમર છે. ભીમની પ્રતિજ્ઞાથી દ્રૌપદી પણ એક વ્રત લે છે કે જ્યાં સુધી મારા કેશ દુ:શાસનના રક્તથી ભીંજાય નહીં અને મારો ભરથાર ભીમ દુર્યોધનની જાંગ તોડે ત્યાં સુધી હું મારા કેશ ખુલ્લા રાખીશ.

 

દ્રૌપદીની નારીશક્તિથી ધૃતરાષ્ટ્ર સફાળા જાગ્યા. તેમણે સભામાં જાહેર કર્યું કે કૌરવો પાંડવોને માફ કરે અને સૌ પુન: શાંતિથી રહે. પ્રમાણે પાંડવો પાંચાલીને લઈ સ્વસ્થાને જાય છે. પુન: થોડો સમય વીતતાં શકુનિ પુન: એકવાર પાંડવો અને કૌરવો વચ્ચે જુગાર રાખવાની વ્યવસ્થા ગોઠવે છે પણ માટેની શરત કોઈ વસ્તુને હારવાની રહેતી નથી, પણ હારનાર ચૌદ વર્ષ વનવાસ ભોગવે અને તેમાં છેલ્લું એક વર્ષ ગુપ્તવાસમાં રહેવાનું અને જો ગુપ્તવાસમાં પકડાય તો પુન: ચૌદ વર્ષ વનવાસ ભોગવવાની શરત મુકાઈ. છેવટે શકુનિ તેમાં સફળ થાય છે અને પાંડવોને વનવાસ મળે છે, જેમાં દ્રૌપદી પણ પાંડવોની સાથે વનવાસ જઈ નારીશક્તિના અનેક પરચાઓ આપે છે.

 

મહાભારતમાં પાંડવોના ગુપ્ત વનવાસ દરમિયાન વિરાટનગરમાં દ્રૌપદી રાણીઓના મહેલમાં સૈરન્દ્રી નામ ધારણ કરી દાસી સ્વ‚પે ગુપ્તવાસ પૂર્ણ કરે છે. તેમાં પણ દ્રૌપદીની સહનશીલતા તથા સેવાભાવ પ્રગટ થાય છે. અહીં સંકટની ઘડીમાં પણ નારીશક્તિનું અદ્ભુત દર્શન કરાવતી સૈરન્દ્રી પણ દ્રૌપદીના ચરિત્રને શોભાવે છે.