પાકિસ્તાનના ઇતિહાસમાં જલિયાંવાલાને કેમ સ્થાન નહીં? : એક પાકિસ્તાનીનો પ્રશ્ન

    ૧૫-એપ્રિલ-૨૦૧૯
એવું માની શકાય નહીં કે જલિયાંવાલા બાગ હત્યાકાંડે સ્વતંત્રતા આંદોલનને એક વળાંક નહોતો આપ્યો કે અલગ પાકિસ્તાન માટેના આંદોલનનો એ ભાગ નહોતો.
એ વાત જ એકદમ ઢંગધડા વગરની છે કે જલિયાંવાલા બાગ કાંડનો ઉલ્લેખ પશ્ચિમ પંજાબ (પાકિસ્તાન) માટેના વિચારમાં પરિવર્તન લાવી શકે એમ છે.

એ હકીકત સ્વીકારવી જ પડશે કે આઝાદીની લડાઈમાં જે લોકોએ ભાગ લીધો છે અને એ તમામ કે જે આ સંઘર્ષમાં શહીદ થયા એ અલગ પાકિસ્તાનના વિરોધી નહોતા.
તેઓ 'ટૂ નેશન થિયરી'ના વિચારને કોઈ હાનિ પણ પહોંચાડે એમ નહોતા.
એટલે જ, એમ કહેવું બિલકુલ અતિશ્યોક્તિ નહીં લેખાય કે અલગ પાકિસ્તાન માટેનું જે આદોલન ઊભું થયું એમાં જલિયાંવાલા હત્યાકાંડનો પણ ફાળો છે જ.
એટલે જ આ દેશ (પાકિસ્તાન)ના પાયામાં એ શહીદોનું લોહી ભળેલું છે જ.
'મહિલાઓને ઘર બહાર નીકળતા ડર લાગે છે'
કેનેડાના આ ડૉક્ટર પોતે જ બની ગયા ‘વિક્કી ડોનર’
13 એપ્રિલ, 1919નો એ દિવસ. એ દિવસે વૈશાખી હતી અને જલિયાંવાલા બાગમાં લોકો રૉલેટ ઍક્ટના વિરોધમાં એકઠા થયા હતા.
એ હજારો નિશસ્ત્ર લોકો પર ગોળી ચલાવવા માટે જનરલ ડાયરે આદેશ આપ્યો હતો.
આ નૃશંસ હત્યાકાંડમાં મોટા પ્રમાણમાં શીખ, હિંદુ અને મુસલમાન માર્યા ગયા હતા. તેઓ પંજાબની ધરતીને આઝાદ કરવા માટે શહીદ થયા હતા.
આ હત્યાકાંડ બાદ જ જનરલ ડાયરને ઇતિહાસના સૌથી મોટા વિલન ગણાવાયા અને 'અમૃતસરના કસાઈ' તરીકે ઓળખાવાયા.
બ્રિટિશરાજમાંથી મુક્તિ મેળવવા માટે પંજાબમાં તમામ ધર્મના લોકોએ સાથે મળીને સંઘર્ષ કર્યો હતો. આ એ જ સંઘર્ષ હતો કે જે 1857થી ચાલુ હતો.
પ્રથમ વિશ્વયુદ્ધ પૂરું થયું અને આ સંઘર્ષ વધુ તેજ થયો. અંગ્રેજ શાસન વિરુદ્ધ સ્થાનિક સ્તરે, ખાસ કરીને અમૃતસર, લાહોર, કસુર અને ગુજરાંવાલામાં લોકોએ આઝાદીના સમર્થનમાં અવાજ બુલંદ કર્યો.
બ્રિટિશ નીતિઓ અને કાયદા વિરુદ્ધ થઈ રહેલા વિરોધ-પ્રદર્શનો વેગ પકડવાં લાગ્યાં.
અંગ્રેજોએ ગંભીરતા સમજીને રૉલેટ ઍક્ટ લાગુ કરી દીધો. એ કાયદામાં સરકાર વિરુદ્ધ પ્રદર્શન કરનારા અને વિદ્રોહીઓને પકડવા અને જેલમાં ધકેલી દેવાના આદેશ હતા.
આ કાયદા વિરુદ્ધ હિંદુ, શીખ અને મુસલમાન એકઠા થઈને વિરોધ કરવાની યોજના બનાવી રહ્યા હતા.
એટલે ગુપ્ત જાણકારીને આધારે, બ્રિટિશ સરકારે એ સભાને સંબોધન કરનારા સૈફુદીન કિચલુ અને સત્ય પાલ જેવા નેતાઓની 10 એપ્રિલ, 1919ના રોજ ધરપકડ કરી લીધી.
તમે આ વાંચ્યું કે નહીં?
ભારતીયોને હજુ પણ બ્રિટિશરો પ્રત્યે અણગમો છે?
પાકિસ્તાનમાં ભગતસિંહને કેવી રીતે યાદ કરાય છે?
13મી એપ્રિલ, 1919ની સભાની એક માગ આ નેતાઓને મુક્ત કરાવવાની પણ હતી.
સભાના આયોજનની જવાબદારી ડૉ. મોહમ્મદ બશીરને માથે હતી.
એ સભામાં મુસલમાન, હિંદુ અને શીખોએ એક મંચ પર એકઠા થઈને સાબિત કર્યું હતું કે આઝાદીની લડાઈમાં તમામ લોકો એક સાથે જ હતા.
એ જલિયાંવાલા બાગની અંદર જે હજારો લોકોનું લોહી વહ્યું એનો રંગ એક જ હતો. એમાં હિંદુ, શીખ કે મુસલમાનનું અલગ લોહી નહોતું.
એ જ રીતે જનરલ ડાયરે પણ ગોળી ચલાવતા પહેલાં નહોતું પૂછ્યું કે કોણ હિંદુ છે, કોણ મુસલમાન છે અને કોણ શીખ?