આજકાલ તો આપણે ત્યાં લોકો ઘરમાં પણ ચંપલ પહેરીને ફરે છે ત્યારે દક્ષિણ ભારતીય રાજ્ય તમિલનાડુના એક ગામમાં કંઈક અલગ જ રિવાજ છે જે હાલ પરંપરા બની ગયો છે. તમિલનાડુની રાજધાની ચેન્નાઈથી ૪૫૦ કિ.મી. દૂર આવેલા અંદમાન ગામમાં આબાલવૃદ્ધ કોઈપણ ચંપલ પહેરતું નથી. ધંધાર્થે બહાર ગયેલા લોકો ગામમાં પાછા ફરતાં જ પોતાનાં જૂતાં હાથમાં ઉઠાવી લે છે. અહીંના લોકો આ પરંપરા પાછળનું કારણ આપતાં જણાવે છે કે, જો આ પરંપરાનું પાલન નહીં કરીએ તો ગામમાં મહામારી ફેલાશે. જોકે હવે અમારા માટે આ ડર એ પરંપરા બની ગયો છે. બીજું કે, અમારા માટે આ ગામ પવિત્ર મંદિર છે. માટે તેની પવિત્રતા જાળવી રાખવા માટે અમે આજે પણ આ પરંપરાને નિભાવીએ છીએ.