નવા ભારતનાં નિર્માણ માટે ૪૮ પાનામાં ૭૫ સંકલ્પ

    ૦૮-એપ્રિલ-૨૦૧૯

 
 
# રામ મંદિર બનાવવા માટેની બધીજ સંભાવના તપાસવામાં આવશે, સોહાર્દપૂર્ણ વાતાવરણમાં રામમંદિર બનાવશે
# સમાન નાગરિક સંહિતા લાગૂ કરવામાં આવશે.
 
# ખેડૂતોને વર્ષે ૬૦૦૦ની મદદ કરવામાં આવશે.
 
# કિશાન ક્રેડિત કાર્ડ – આ દ્વારા ૧ લાખની લોન સુધી વ્યાજ પાંચ વર્ષ માટે નહી.
 
# ૨૦૨૨ સુધીમાં ખેડૂતોની આવક બે ગણી કરવામાં આવશે.
 
# ખેડૂતો માટે પેન્સન યોજના લાવવામાં આવશે જેમાં ૬૦ વર્ષની ઉમરથી પેન્સન મળશે.
 
# બધી જ સિંચાઈ યોજના પૂર્ણ કરવામાં આવશે.
 
# દેશના ગરીબોને ઘરે જ ઉપચારની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરવામાં આવશે.
 
# રાષ્ટ્રીય વેપાર આયોગની રચના કરવામાં આવશે.
 
# દેશમા નાના દૂકાનદારોને પણ પેન્સન યોજનામાં આવરી લેવાશે.
 
# ૨૦૨૨ સુધી નવા ભારતનું નિર્માણ કરીશુ આ માટે ૭૫ સંકલ્પ પૂરા કરવામાં આવશે.
 
# દેશના દરેક લોકોને પાક્કુ મકાન મળી રહે તેનું ધ્યાન રાખવામાં આવશે.
 
# દેશમા બધા જ ઘરો સુધી પાણી અને વીજળી પહોંચશે, શૌચાલય બનાવશે.
 
# નેશનલ હાઈવેની લંબાઈ બે ઘાણી કરવામાં આવશે.
 
# આર્થવ્યવસ્થા વધારે સુધારીશુ, નિકાશ ડબલ કરીશુ.
 
# ૩૭૦ અને ધારા ૩૫એ હટાવવાની કોશિશ કરીશુ.
 
# પ્રત્યેક વ્યક્તિને તેના ૫ કી.મી.ના દાયરામાં બેંકની સુવિધા મળી રહે તેવી વ્યવસ્થા કરીશુ.
 
# ત્રણ તલાકનો કાયદો બનાવીશું.
 
# છ આદિવાસી સ્વતંત્ર સેનાનીનોના સંગ્રાહલય બાનાવમાં આવશે.
 
# ૨૦૨૨ સુધીમાં દેશની બધીજ રેલ્વેનું વીદ્યુતીકરણ કરવામાં આવશે.
 
# અસંગઠિત મજૂરો માટે વધારે કામ કરવામાં આવશે.