તણાવમુક્ત જીવન જીવવાની 9 જડીબુટ્ટી । ખૂબ સામાન્ય પણ ખૂબ અસરકારક છે આ વાતો

આજકાલ ચિંતા, તણાવ, સ્ટ્રેસ જેવા શબ્દો સામાન્ય બની ગયા છે. બધાને તણાવમુક્ત રહેવું છે. નાની નાની વાતોને લઈ લોકો એવા તો ટેન્શનમાં આવી જાય છે આવ સમયે ચાલો જાણીએ કે લાંબા સમય સુધી તણાવમુક્ત રહેવા માટે શું કરવું જોઈએ. | how to be stress-free and happy

    02-Jan-2023
કુલ દૃશ્યો |

stress free
 
 
How to be stress-free and happy | જીવનનો બોજ ક્યારેય ઓછો થવાનો નથી.આજકાલ ચિંતા, તણાવ, સ્ટ્રેસ જેવા શબ્દો સામાન્ય બની ગયા છે. નાના નાના બાળકોના મોએ પણ સાંભળવા મળી જાય છે. નાની નાની વાતોને લઈ લોકો એવા તો ટેન્શનમાં આવી જાય છે કે, આત્મહત્યા કરવા સુધીના પગલાં ભરી લેતા હોય છે. આવી સ્થિતિમાં આપણે તણાવ ફ્રી રહેવાના ઉપાયો શોધવાના છે. જેથી કરીને આવનાર સમયને આપણે ખુશીથી પસાર કરી શકીએ. તો ચાલો જાણીએ કે લાંબા સમય સુધી તણાવમુક્ત રહેવા માટે શું કરવું જોઈએ.
 
 

1) ભૂલતા શીખો – Forget

 
સૌપ્રથમ તો આપણે ભૂલતા શીખવાનું છે. ભગવાને આપણને જીવન જ વર્તમાનમાં જીવવા માટે આપ્યું છે નહીં કે ભુતકાળને વાગોળવા માટે કે ભવિષ્યની ચિંતા કરવા માટે. છતાં કેટલાક લોકો પોતાના ભુતકાળની વાતો વાગોળી દુઃખી થયા કરે છે કે પછી ભવિષ્યની ચિંતા કરી વર્તમાન બગાડે છે. જો તમારે તણાવમુક્ત જીવન જીવવું છે તો તમારે ભુતકાળને ભૂલવો પડશે અને ભવિષ્ય વિશે પણ વિચારવાનું ટાળવું પડશે. વર્તમાનની પરિસ્થિતિ અનુરૂપ જીવશો તણાવ અડધો અડધ ઘટી જશે.
 

2) હકારાત્મક અભિગમ રાખો – A positive mindset

 
જીવનમાં ભલે ગમે તે થાય તમારી વિચારસરણી હકારાત્મક રાખો. જો તમે હકારાત્મક વિચારની કળા શીખી ગયો.તો સમજો તમારું ૫૦ ટકા કામ આપો આપ થઈ ગયું. ચાણક્ય કહે છે કે ‘કોઈ કામ કરતા વચ્ચે તમે વિચારવા લાગો છો કે હવે આ કામ મારાથી નહીં થાય તો ય પછી એ કામ તમારાથી નહીં જ થાય.’ એટલે કે કામ ગમે તેવું હોય ખુદ પર ભરોસો રાખો અને ખુદને કહો કે આ કામ હું કરીને જ રહીશ. પછી જુઓ કામમાં સફળતા મળે છે કે નહીં.
 

3) નકારાત્મક વ્યક્તિઓથી દૂર જ રહો– Stay Away From Negative People

 
નકારાત્મક વિચારધારાવાળા લોકો તેની આજુબાજુનાં લોકોને પણ ભારે નુકસાન પહોંચાડે છે. એક તો એ પોતે કાંઈ કરતા નથી અને બીજા કાંઈક કરવાનો પ્રયત્ન કરે છે ત્યારે તે નાસી પાસ થાય તેવી જ વાતો કર્યા કરે છે. એનાથી થાય છે એવું કે તમે નવું કામ તો શરૂ નથી જ કરી શકતા ઉલટાનું તણાવમાં સરી પડો છો. માટે ભલાઈ આવા નકારાત્મક લોકોથી દૂર રહેવામાં જ છે.
 

stress free 
 

4) સરળ જીવન જીવો – Live Easy Lifestyle

 
સૌથી જરૂરી તમારી લાઇફ સ્ટાઇલ એટલે કે જીવનશૈલી પર ધ્યાન આપવું જોઈએ. તમારી જીવનશૈલી મુજબ તમારી દીનચર્યા ગોઠવો. આમ કરશો તો ચિંતા તમારાથી બે ગજ દૂર રહેશે.
 

5) એક સમયે એક જ કામ કરો – Say no to multiple work

 
મોટાભાગના લોકો વધારે લાભ મેળવવા માટે અને થોડા સમયમાં વધારે કામો કરી લેવા માટે અનેક કામો એક સાથે કરતા હોય છે. પરિણામે 'બાવાના બેય બગડે' એવો ઘાટ થાય છે અને એક પણ કામમાં બરકત આવતી નથી અને ચિંતા હાવી થઈ જાય છે. માટે એક સમયે એકથી વધુ કામો કરવાનું તો ટાળજો જ. જો એક સમયે એક જ કામ પર ફોક્સ કરશો તો તમે તેમાં તમારું ૧૦૦ ટકા આપી શકશો. તેથી પરિણામ પણ ૧૦૦ ટકા આવવાની શક્યતાઓ વધી જશે. માટે કામ ભલે અનેક લો. પરંતુ એક સમયે એક જ કામ પર ધ્યાન કેન્દ્રિત કરો.
 

6) એક સ્થળે આખો દિવસ બર્બાદ ન કરો - Don't waste your whole day in one place

 
જો તમે એક જ સ્થળે આખો દિવસ એક જ વાતાવરણમાં બેસી રહો છો. તો તમારા મનમાં નકારાત્મક વિચારો આવી શકે છે. કારણ કે માનવની માનસિકતા જ એવી હોય છે કે જો તે એક જ જગ્યાએ જરૂર કરતાં વધુ સમય બેસી રહે છે, તો તેનું મસ્તિક અવળી વિચારે ચડી જાય છે. પરિણામ એ આવે છે કે તે વ્યક્તિ ચિંતામાં સરી પડે છે. ત્યારે શ્રેષ્ઠ વાત એ છે કે એક સ્થાન પર કામપુરતા જ રોકાવાની આદત પાડો ! સતત ફરતા રહો, જેનાથી તમને નવું નવું વાતાવરણ મળતું રહેશે અને તમારું મન ખુદ જ પ્રફુલ્લિત રહેવા લાગશે અને ચિંતા તેમાં પ્રવેશી જ નહીં શકે.
 

7) ક્રિએટીવ બનો – Be creative

 
તમારા શોખને ક્યારેય દબાવ શો નહીં, ક્રિએટીવ બનો. સંગીત, રમતો, વાંચન, ગાયન, અભિનય જે પણ તમને સારું લાગે તો જરૂરથી કરજો જ. દિવસમાંથી થોડો સમય કાઢો અને તમારા શોખ પર ધ્યાન આપો. કારણ કે શોખ કે રસનું કામ કરતા સમયે માણસનું સંપૂર્ણ ધ્યાન તે કામમાં જ હોય છે. તે સમય પૂરતું તણાવ-ટેન્શન તેની આજુબાજુ પણ ફરકી શકતો નથી.
 

stress free 
 

8) પરિવારને સમય આપો – Spending Time with Family

 
તમારી આ આદત તમને ચિંતા-તણાવ મુક્ત રહેવા માટે ખૂબ જ મહત્વની સાબિત થશે. જ્યારે તમે પરિવારની સાથે હોવ છો તો તમારો તણાવ આપો. આપ છૂમંતર થઈ જાય છે. માટે પરિવારને સમય આપો, પરિવારના બાળકો સાથે રમો, વડીલો સાથે વાતો કરો, ફેમીલિ ટ્રીપનું આયોજન કરો. પછી જુઓ ટેન્શન-તણાવ કેમ છૂમંતર થઈ જાય છે. પરિવારના વડીલો સાથે વાતચીત કરવાથી, મુશ્કેલી વિશે જણાવવાથી મુશ્કેલમાં મુશ્કેલ સ્થિતિનો રસ્તો પણ આસાનીથી નીકળી જાય છે.
 

9) સંયમી જીવન જીવતા શીખો – Control of Your Life

 
આજે હરેક વ્યક્તિને ધનવાન બનવું છે અને આમાં ખોટું પણ નથી. પરંતુ વધારે પૈસા કમાવવાની લ્હાયમાં આપણે તણાવમાં ન સરી પડીએ એ પણ જરૂરી જ છે. વધારે પૈસા કમાવવાના પ્રયત્નોમાં કાંઈ બધા જ સફળ થતા નથી. તેમાં ક્યારેક નિષ્ફળતા પણ મળવાની અને ત્યારે આપણે તણાવમાં સરી પડીએ છીએ માટે પૈસા કમાવાની ઇચ્છા રાખો, પરંતુ જેટલી તમારી જરૂરિયાત છે તેટલા જ. બીજી મહત્વની વાત એ છે કે, કોઈપણ વ્યક્તિ પોતે ઇચ્છે તેટલું ધન કમાઈ શકતો નથી. ત્યારે ભલાઈ ખુદના ખર્ચા ઓછા કરવામાં જ છે. જરૂરિયાતથી વધારે ખર્ચા કરવાથી બચો. ઉધાર લેવાનું ટાળજો જ. જો આટલું કરશો તો તણાવ ચિંતા તમારાથી દૂર જ રહેશે.
 
 
જો તમારા મનમાં વારંવાર આ પ્રશ્ન આવે કે તણાવમુક્ત કેવી રીતે રહેવું તો તેનો અર્થ એ કે તમે વધુ તણાવ લઈ રહ્યા છો. તમારે એક વાત યાદ રાખવી જોઈએ કે સમય બધું બરાબર કરી દે છે.
 
 
- પ્રિયંકા પટેલ