Biparjoy Cyclone | બિપોરજોય વાવાઝોડા વિશેની ૧૦ જાણાવા જેવી મોટી વાતો…

Biparjoy Cyclone | નાગરિક ફરજ નિભાવવાનો આ સમય છે. ગુજરાતની જનતાએ અગાઉ પર આવી કુદરતી આપત્તિઓનો હિંમતપૂર્વક સામનો કર્યો છે. શક્ય હોય તો સોશિયલ મીડિયાની વાતોથી દૂર રહો, અફવાઓથી દૂર રહો અને સચેત રહો…

    ૧૨-જૂન-૨૦૨૩
કુલ દૃશ્યો |

Biparjoy Cyclone
 
મીડિયામાં સમાચાર આવી રહ્યા છે કે બિપોરજોય વાવાઝોડું ( Biparjoy Cyclone ) આગામી ૧૪ થી ૧૫ જૂન દરમિયાન ગુજરાતમાં ખાસ કરીને સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચી શકે છે ત્યારે આવો જાણી આ બિપોરજોય વાવાઝોડા વિશેની ૧૦ જાણાવા જેવી મોટી વાતો…
 
વાત નંબર ૧
 
અરબી સમુદ્ર અને બંગાળની ખાડીમાં થતા વાવાઝોડાનાં નામ ભારત સહિત કુલ 13 દેશો દ્વારા આપવામાં આવે છે.
 
વાત નંબર ૨
 
વર્તમાનમાં અરબી સમુદ્રમાં બનેલા વાવાઝોડાનું નામ બિપોરજોય ( Biparjoy Cyclone ) રાખવામાં આવ્યું છે. આ નામ બાંગ્લાદેશ તરફથી પાડવામાં આવ્યું છે. જેનો અર્થ થાય છે આફત - આપત્તિ...
 
વાત નંબર ૩
 
6 જૂનના રોજ અરબી સમુદ્રમાં બિપોરજોય ( Biparjoy Cyclone ) નામનું વાવાઝોડું સર્જાયું હતું. અરબી સમુદ્રમાં જ્યારથી બિપોરજોય વાવાઝોડું બનવાની શરૂઆત થઈ ત્યારથી જ મીડિયામાં તેની ચર્ચા શરૂ થઈ ગઈ છે. જાણકારો દ્વારા વાવાઝોડું ક્યા લેન્ડફોલ કરશે તેના અનેક સંભવિત મોડલો રજૂ કરવામાં આવ્યા. જોકે આ મોડલમાં આ વાવાઝોડું ક્યા ત્રાટકશે તેની સ્પષ્ટતા કોઇ કરતું ન હતું.
 
વાત નંબર ૪
 
શરૂઆતમાં હવામન વિભાગ અને તજજ્ઞો દ્વારા કહેવામાં આવ્યું કે બિપોરજોય વાવાઝોડું ગુજરાતમાં નહી આવે તે ઓમાન કે પાકિસ્તાનમાં લેન્ડફોલ કરશે...
 
વાત નંબર ૫
 
થોડા સમય પછી સમાચાર આવ્યા કે બિપોરજોય વાવાઝોડું ધીરે ધીરે તેનો માર્ગ બદલી રહ્યું છે અને હવે તે ગુજરાત તરફ ખસી રહ્યું છે જોકે હજી સ્પષ્ટ કહેવું મુશ્કેલ છે કે વાવાઝોડું ક્યા ત્રાટકશે..!!
 
વાત નંબર ૬
 
અને હવે સમાચાર આવી રહ્યા છે કે બિપોરજોય વાવાઝોડું આગામી ૧૪ થી ૧૫ જૂન દરમિયાન સૌરાષ્ટ્ર અને કચ્છમાં પહોંચી શકે છે. ગુજરાતના દરિયાકાંઠે આવેલા વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને ગાજવીજ સાથે વરસાદ પણ પડી શકે છે
 
વાત નંબર ૭
 
કચ્છ, દ્વારકા, પોરબંદર, જામનગર, રાજકોટ રેડ એલર્ટ પર છે. જોકે તજજ્ઞોના મતે સમગ્ર ગુજરાતમાં બિપોરજોય વાવાઝોડાની અસર ઓછીવત્ત્રી જોવા મળી શકે છે.
 
વાત નંબર ૮
 
ગુજરાત સરકારે પણ સાવચેતીના પગલાં ભર્યા છે. NDRF ની ૭ ટીમ સ્ટેન્ડબાય રખાઈ છે. દરિયાકાંઠાના ૩૧ જેટલા ગામોના ૩૦ હજાર જેટલા લોકોનું સ્થળાંતરની કામગીરી શરૂ થઈ ગઈ છે પોલીસતંત્ર, વહિવટી તંત્ર સાબદુ છે.ગુજરાત સરકારના ૯ મંત્રીઓને જુદાં જુદાં ૮ જિલ્લાઓની જવાબદારી સોંપાઈ છે
 
વાત નંબર ૯
 
આ વાવાઝોડું ગુજરાત અને ભારતના કાંઠા વિસ્તારો માટે ‘ચિંતાનો મુદ્દો’જરૂર બન્યો છે. પણ ચિંતા કરવાની જરૂર નથી. બસ સાવચેતી રાખવાની જરૂર છે.
 
વાત નંબર ૧૦
 
આપણે રાજ્ય સરકારના સૂચનો મૂજબ આગળ વધવાનું છે. અને સૌથી મહત્વનું કોઇપણ પ્રકારની અફવાઓથી દૂર રહેવાનું છે.
 
નાગરિક ફરજ નિભાવવાનો આ સમય છે. ગુજરાતની જનતાએ અગાઉ પર આવી કુદરતી આપત્તિઓનો હિંમતપૂર્વક સામનો કર્યો છે. શક્ય હોય તો સોશિયલ મીડિયાની વાતોથી દૂર રહો, અફવાઓથી દૂર રહો અને સચેત રહો…