નડિયાદમાં મોરારિબાપુની રામકથાનું આયોજન થયું છે. અહીં મોરારિબાપુ સહિત કથાકારોના પ્રવચન પણ યોજાય છે કથાના છઠ્ઠા વેદમાં દર્શાવેલા સાત રત્નોની વાત થઈ હતી.
આપણા વેદ અને વેદ પુરૂષોએ સાત રત્નોની વાત કરી છે.
પહેલું રત્ન છેઃ આંગણા વાળું ઘર.
બીજું રત્ન - સાત્વિક ભોજન બનતું હોય એવું ઘર.
ત્રીજું રત્ન - લોક મર્યાદા ટકી રહે એવા વસ્ત્રો.
ચોથું રત્ન - સારું શિક્ષણ એ પણ રત્ન છે.
પાંચમું રત્ન - સારી ઔષધિની વ્યવસ્થા.
છઠ્ઠુ રત્ન -સારા ઓજાર અને
સાતમું રત્ન - સંસ્કાર બની રહે એવા સાત્વિક મનોરંજનના સાધનો હોવા જોઈએ.
આવા રત્નો આપણા દેશના વેદ અને વેદપુરૂષો જ કહી શકે.
રામ મહામંત્ર, બીજમંત્ર, શિવમંત્ર,પાર્વતી, ગણપતિ અને વાલ્મિકી તેમજ જગત આખાનો મંત્ર છે. - મોરારિબાપુની રામકથા, નડિયાદ