તાજેતરમાં જાહેર થયેલા માલેગાંવ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિણામો કોઈ પક્ષની જીત કે હારનો સામાન્ય અહેવાલ નથી, પરંતુ આપણી લોકશાહીના આત્મા સામે ઉઠેલો એક કરુણ પ્રશ્ન છે. માલેગાંવ એ સત્યનો પર્દાફાશ કરી રહ્યું છે જેને આપણે વર્ષોથી ‘સેક્યુલરિઝમ’ના ચશ્મા પહેરીને જોવાનો ઇનકાર કરતા રહ્યા છીએ. આ પરિણામો સ્પષ્ટપણે ચીસ પાડીને કહી રહ્યા છે કે જ્યારે રાજનીતિમાંથી વિકાસ, ભવિષ્ય અને રાષ્ટ્રહિતની સુગંધ જતી રહે છે, ત્યારે લોકશાહી માત્ર ‘ડેમોગ્રાફી’ એટલે કે જનસંખ્યાના ખેલમાં કેદ થઈ જાય છે.
વર્ષ ૨૦૧૭ની યાદો તાજી કરીએ તો ત્યાં કોંગ્રેસ અને રાષ્ટ્રવાદી કોંગ્રેસ જેવા પક્ષોનો અવાજ સંભળાતો હતો. ત્યારે એવું લાગતું હતું કે રાજનીતિ મુખ્ય પ્રવાહના પક્ષોની આસપાસ છે. પરંતુ આજે સ્થિતિ ભયાનક રીતે બદલાઈ ગઈ છે. ૭૫ ટકાથી વધુ બેઠકો પર માત્ર ‘ઈસ્લામ પાર્ટી’ અને ‘AIMIM’ જેવા ધર્મ-કેન્દ્રીય પક્ષોનો વિજય થયો છે. આ પરિવર્તન કોઈ અકસ્માત નથી. તે સાક્ષી પૂરે છે કે જે વિસ્તારોમાં જનસંખ્યાનું સંતુલન ખોરવાઈ જાય છે અને ધાર્મિક ધ્રુવીકરણ ચરમસીમાએ પહોંચે છે, ત્યાં લોકશાહીના ઉમદા આદર્શો દફનાવી દેવામાં આવે છે.
આ સ્થિતિ માટે એ વિચારધારાઓ જવાબદાર છે જેમણે ‘વોટબેંક’ના લોભમાં તુષ્ટિકરણને જ શાસનનું મોડેલ માની લીધું. જે કટ્ટરતાને પંપાળવામાં આવી, આજે એ જ કટ્ટરતાએ એમને જ મેદાનની બહાર કરી દીધા છે. માલેગાંવમાં આજે રસ્તા, પાણી કે શિક્ષણના પ્રશ્નો ગૌણ બની ગયા છે. ત્યાંની મતદાન પ્રક્રિયા હવે લોકશાહીનો ઉત્સવ નથી રહી, પરંતુ સામુદાયિક વર્ચસ્વ સ્થાપવાનું એક પ્લેટફોર્મ બની ગઈ છે.
આ ગંભીર વાસ્તવિકતા સામે આંગળી ચીંધવી એ કોઈની સામેની નફરત નથી, પણ આપણી આવનારી પેઢીઓ પ્રત્યેની ચિંતા છે. જનસંખ્યાકીય અસંતુલન કેવી રીતે સત્તાના સમીકરણો બદલી શકે છે અને દેશના સાર્વભૌમત્વ સામે પડકાર ઊભો કરી શકે છે, તેનું માલેગાંવ એક જીવંત અને જલતું ઉદાહરણ છે. જો આપણે આજે પણ મૌન રહીશું, તો તે રાષ્ટ્ર પ્રત્યેનો દ્રોહ ગણાશે.
સમય પાકી ગયો છે કે આપણે લોકશાહીને આ ખતરનાક ચક્રવ્યૂહમાંથી મુક્ત કરીએ. માલેગાંવ એક જાગતું ઉદાહરણ છે—જો આપણે ભારતીય લોકશાહીના મૂળભૂત સ્વરૂપને અકબંધ રાખવું હશે, તો રાજનીતિમાં ફરીથી રાષ્ટ્રભક્તિ, શિસ્ત અને સમાન નાગરિક ધર્મના મૂલ્યોને પ્રાણવાયુ આપવો જ પડશે.