પીપરીમૂળ (ગંઠોડા)નું ચૂર્ણ મધ સાથે ચાટવાથી ઊંઘ સારી આવે છે.
ચીરા કે ઉઝરડા થયા હોય ત્યાં ફટકડીનો ટુકડો પાણીયુક્ત કરીને ઘસવાથી રક્તસ્ત્રાવ બંધ થાય છે અને ઘાવ રુઝાય છે.
સૂંઠ, સંચળ અને સુવાદાણાનું સમભાગે ચૂર્ણ લેવાથી આફરો મટે છે.
દાઝવા ઉપર કાચા બટાટાને પથ્થર ઉપર ઘસીને તેનો લેપ લગાડવાથી રાહત મળે છે.
ફુલાવેલી ફકટડી અને સાકર સમભાગે લેવાથી કમળો મટે છે.
એક મુઠ્ઠી તલ ચાવીને દરરોજ ખાવાથી બહુમૂત્રતા કે પથારીમાં પેશાબ થતો બંધ થાય છે.
શરદીમાં સૂંઠનું ઉકાળેલું પાણી પીવાથી રાહત મળે છે.
ઝાડા થયા હોય ત્યારે છાશ કે દહીંમાં ચપટી સૂંઠ નાખીને લેવાથી ઝાડા મટે છે.
બાળકને જન્મ્યા પછી ગળથૂથી (ગળાહૂતિ) પીવડાવાય છે. ગળથૂથી તરીકે જૂનો ગોળ પાણીમાં કાલવીને તેમાં સહેજ ગાયનું ઘી ઉમેરીને ચમચી ચમચી દિવસમાં બે વખત આપવાથી પેટ સાફ થાય છે.
પ્રસૂતિ પછી સૂંઠનું કાટલું ખવડાવવાથી વાયુનું શમન થાય છે અને ગર્ભાશય પૂર્વવત્ બને છે.
પ્રસૂતિ પછી સુવાવડી મહિલાને સુવા દાણા કે સુવાની ભાજી ખવડાવાય છે, જેથી સુવા રોગ થતો નથી અને ગર્ભાશયની શુદ્ધિ થાય છે તેમજ ધાવણ પણ વધુ આવે છે.
આફરો કે પેટશૂળ હોય ત્યારે હિંગ કે ડીકામારી દિવેલમાં ગરમ કરી ડૂંટી ફરતું ચોળવાથી રાહત મળે છે.
નરણા કોઠે એક ગ્લાસ પાણીમાં લીંબુનો રસ મેળવી પીવાથી કબજિયાત દૂર થાય છે.
એરંડિયુ (દિવેલ) અથવા ઘીમાં હિમજ લેવાથી કબજિયાત મટે છે.
તુલસી, ફુદીનો, મરી અને આદુનો ઉકાળો કરી પીવાથી તાવ અને શરદી-ઉધરસમાં રાહત મળે છે.
લૂ લાગેલી હોય ત્યારે નાકમાં ડુંગળીનો રસ બે-ચાર ટીપાં નાખવાથી ફાયદો થાય છે.
હિસ્ટીરિયા કે વાઈ આવી હોય તેને ડુંગળી કાપીને સૂંઘાડવાથી તરત ફાયદો થાય છે.
આદુનો રસ અને ડુંગળીનો રસ મેળવી એક ચમચી જેટલો આપવાથી ઊલટી ઊબકા મટે છે.
દિવેલને ગરમ કરી ઠેર એટલે વાળમાં લગાડવાથી વાળ ઓછા ખરે છે.