દેશની સૌપ્રથમ પરમાણુ સબમરિન, તેના તમામ પરીક્ષણોમાં સફળ

    ૨૩-ફેબ્રુઆરી-૨૦૧૬


ભારતની પ્રથમ ન્યુક્લિયર આર્મ્ડ સબમરીન આઈએનએસ અરિહંત ઓપરેશન માટે સંપૂર્ણપણે તૈયાર છે. સરકાર તરફથી મંજૂરી મળતા જ તેને નેવીને સોંપી દેવામાં આવશે. ઉલ્લેખનીય છે કે રહસ્યમયી રીતે આ સબમરીનને વિશ્ર્વની નજરોમાથી છુપાવીને રાખવામાં આવી હતી. અને તાજતરમાં જ તેની પર થયેલા તમામ ટેસ્ટમાં સફળ રહી હતી.

દુશ્મનો માટે કાળ સાબિત થશે આ સબમરીન

  • આ અંક ૫૦૦૦ ટન વજનવાળી પરમાણુ સબમરીન છે.
  • જે પાણીની અંદર અને પાણીની સપાટી પરથી પણ પરમાણુ મિસાઈલ્સ થકી નિશાન તાકી શકાય છે.
  • આ સબમરીન પર કે-૧૫ અને બીઓ-૫ શોર્ટ રેન્જ મિસાઈલ્સ ગોઠવાયેલી છે. જે ૭૦૦ કિ.મી. સુધી વાર કરી શકે છે.
  • અરિહંત કે-૪ વેલેસ્ટિક મિસાઇલ્સ પણ ગોઠવાયેલી છે. જેની રેન્જ ૩૫૦૦ કિ.મી. સુધીની છે.
  • પાણીની અંદરથી જ ઉપર ઊડતાં વિમાનને પણ તે ફૂંકી મારવામાં સક્ષમ છે.