રા.સ્વ.સંઘ - ગુજરાત દ્વારા ગ્રામવિકાસ કાર્યકર્તા સંમેલન

    ૦૯-એપ્રિલ-૨૦૧૬


સેવા સાધના હમારા સંગઠિત પ્રયાસ હૈ,

ગ્રામ કે વિકાસ સે દેશ કા વિકાસ હૈ


સંઘની શાખાઓમાં નિત્ય એક ધ્યેયગાન થાય છે, ક્ષર્ફૈ મેધર્મૈ ણજ્ઞટૂપજ્ઞટટ્ર શ્ર્નમફળશ્ર્પ્ર. આ પરમ વૈભવનો આધાર એટલે સામૂહિક કાર્યશક્તિ દ્વારા ધર્મનું સંરક્ષણ કરીને રાષ્ટ્રને સર્વોચ્ચ સ્થાન પર વિરાજિત કરવું. આ ધર્મ જ આપણા દેશની પ્રાણશક્તિ છે, જે ભારતના જનજનના હૃદયમાં વસે છે. આપણી સંસ્કૃતિનો આધાર પણ તે જ છે. આ આપણી ભારતીય સંસ્કૃતિ અર્થાત્ હિન્દુ સંસ્કૃતિનાં સાંગોપાંગ દર્શન આપણી ગ્રામભૂમિમાં થાય છે, તેના કારણે ધળફટપળટળ ઉંૄળપમળરુલણિ કહેવાય છે. આથી આ વાક્યનો અર્થ ભારતની જનસંખ્યાનો બહુતાંશ ગ્રામવાસી છે તે માત્ર નથી. ભારતના ગામની જીવનરચના એટલી સુદૃઢ હતી કે અનેક પરકીય આક્રમણો થવા છતાં, અને તેમનું શાસન હોવા છતાં આ દેશ આર્થિક અને સામાજિક રીતે ઉન્નત હતો. અંગ્રેજોને ભારતની આ પ્રાણશક્તિનું જ્ઞાન થતાં જ તેમણે ભારતીય ગ્રામજીવન પર કુઠારાઘાત કર્યો અને શતાબ્દીઓથી અજેય યોદ્ધાની જેમ વિશ્ર્વની અનેક શક્તિઓથી ઝઝૂમતો આ દેશ પરતંત્ર અને પરાસ્ત થયો. સંઘની શાખાઓમાં એક ગીત ગવાય છે. સેવા સાધના હમારા સંગઠિત પ્રયાસ હૈ, ગ્રામ કે વિકાસ સે દેશ કા વિકાસ હૈ.
ગ્રામવિકાસનો અર્થ માત્ર એ નથી કે ગામમાં દરેક પ્રકારની સુવિધાઓ ઉપલબ્ધ હોય. ગ્રામવિકાસ કરતા પહેલાં ગામને સમજવું આવશ્યક છે. ગામ પાસે ઈશ્ર્વર પ્રદત્ત સાત સંપદાઓ (ભૂમિ, જલ, વન, જીવ, ગો, ઊર્જા અને જન) છે. આ સાતેય સંપદાઓનું મૂલ્ય સમજી, તેનું સંરક્ષણ અને સંવર્ધન થાય તે જ સાચી ગ્રામવિકાસની દિશા છે. આ સાતેય સંપદાઓ એકબીજા સાથે એવી અભિન્ન રીતે જોડાયેલી છે કે જેથી તેમાંથી કોઈ એકનો અલગથી વિચાર કરવો સંભવ જ નથી. આથી ગ્રામવિકાસ માટે સમગ્ર દૃષ્ટિકોણ (Holestic Approach) વિકસાવવો આવશ્યક છે. ગ્રામવિકાસમાં આપણાં સાંસ્કૃતિક મૂલ્યો અક્ષુણ્ણ રહે તે પણ આવશ્યક છે. આથી જ આજના સમયમાં ગ્રામવિકાસની દિશા એટલે યુગાનુકૂલ વિકાસ આ દૃષ્ટિ કેળવવી આવશ્યક છે.
આ ભૂમિકાના આધારે સંઘના સ્વયંસેવકો ગ્રામવિકાસના કામે લાગ્યા છે. ગ્રામવિકાસના કાર્યને ગતિ મળે તે માટે ગુજરાત પ્રાંતમાં ગ્રામવિકાસ કાર્યકર્તા સંમેલન યોજાયાં. આ સંમેલનોમાં આપણા પ્રાંતની ગ્રામીણ શાખાના સ્વયંસેવકો, પ્રયોગશીલ ગ્રામીણ કાર્યકર્તાઓ અને સેવાવિભાગ સાથે જોડાયેલા કાર્યકર્તાઓ આવ્યા હતા. આ સંમેલનો આવાગમનની સરળતા રહે તે માટે માણસા (ઉત્તર ગુજરાત), ભ‚ચ (દક્ષિણ ગુજરાત) અને ચોટીલા (સૌરાષ્ટ્ર, કચ્છ) આમ ત્રણ સ્થાનો પર ગોઠવવામાં આવ્યા. ત્રણે સંમેલનોમાં કુલ ૫૭૫ સ્થાનોમાંથી ૧૬૫૭ કાર્યકર્તાઓએ ભાગ લીધો. આ સંમેલનોમાં ભૂમિ, જલ, વન વગેરે સાતેય સંપદાઓના સંદર્ભમાં પ્રબોધનાત્મક નિદર્શનો અને પ્રદર્શનો ગોઠવવામાં આવ્યાં. આ કાર્યક્રમમાં સંઘના અધિકારીઓના માર્ગદર્શન ઉપરાંત પ્રયોગશીલ ગ્રામીણ કાર્યકર્તાઓનાં અનુભવકથનો પણ રહ્યાં. પ્રયોગશીલ ગ્રામસાધકોમાં શ્રી ગોપાલભાઇ સુતરિયા (સદસ્ય ગોસેવા અને ગૌચર વિકાસ બોર્ડ), શ્રી સિદ્ધાર્થભાઇ વ્યાસ (બાયોગેસ- જામનગર), શ્રી મનિષભાઇ રાવલ (સૂર્યઊર્જા- કર્ણાવતી), શ્રી મહેન્દ્રભાઇ પટેલ (ટપક સિંચાઇ- દોલપુર કમ્પા, ધનસુરા), શ્રી મનોજભાઇ સોલંકી (સજીવખેતી, ગોસંવર્ધન, પંચગવ્ય, ગ્રામોદ્યોગ- માધાપર, કચ્છ), ડૉ.સોનાજી ચૌહાણ (બાયો યુરિયા- દિયોદર, બનાસકાંઠા), શ્રી રણજીતભાઇ પટેલ (બાયો કમ્પોસ્ટ ખાતર- આકોટી, સુરત), શ્રી વેલજીભાઇ ભુડિયા (ગ્રામોદ્યોગ- કચ્છ) વગેરે ઉપસ્થિત રહ્યા હતા અને પોતાના દ્વારા થતા પ્રયોગોનું વર્ણન કર્યંુ હતું.
સંઘના અધિકારીઓ પૈકી શ્રી સુનિલભાઇ મહેતા (ક્ષેત્ર કાર્યવાહ), શ્રી ઉપેન્દ્ર કુલકર્ણી (ક્ષેત્ર સેવાપ્રમુખ), શ્રી હસમુખભાઇ પટેલ (ક્ષેત્ર વ્યવસ્થા પ્રમુખ), શ્રી યશવંતભાઇ ચૌધરી (પ્રાંત કાર્યવાહ), શ્રી કિશોરભાઇ મુંગલપરા અને શ્રી ચિંતનભાઇ ઉપાધ્યાયનું માર્ગદર્શન મળ્યું. સૌને મળેલ માર્ગદર્શનનો સંક્ષિપ્ત સાર આ પ્રમાણે છે.


ઉત્તર ગુજરાતમાં માણસા ખાતે ગ્રામવિકાસ કાર્યક્રમ
(ગાંધીનગર - મહેસાણા વિભાગ)


આ સંમેલનમાં શ્રી યશવંતભાઇ ચૌધરી (પ્રાંત કાર્યવાહ)એ જણાવ્યું કે ગ્રામીણ જીવન કૃષિ પર આધારિત છે. કૃષિ સંરક્ષણ માટે સપ્તસંપદા- ભૂમિ, જલ, વન, જીવ, ગો, ઊર્જા અને જન જ‚રી છે. સંઘના સ્વયંસેવકના ‚પમાં આપણે આ વિષય ઉપર વધુ સંવેદનશીલ, જાગૃત અને કાર્યશીલ આવશ્યકતા છે. ગ્રામવિકાસના કાર્યને અભિયાનના ‚પે લેવાથી નિશ્ર્ચિત સારાં પરિણામ પ્રાપ્ત થશે. વિશ્ર્વમંગલ ગોગ્રામયાત્રા, સૌરાષ્ટ્રમાં જળસંચય અભિયાનનાં સારા પરિણામો પ્રાપ્ત થયેલાં છે.
આ અવસરે સમાપન સત્રમાં શ્રી ચિંતનભાઇ ઉપાધ્યાય (પ્રાંત પ્રચારક)એ જણાવ્યું કે ગ્રામવિકાસનું કાર્ય સમાજના સહયોગથી સંભવ છે. આ કાર્ય હું કરીશ, તથા કાર્યને સમજવા માટે વાંચન, ચિંતન અને અનુભવ કરીશ. આ પ્રકારની ભૂમિકા દરેક કાર્યકર્તાએ બનાવવી પડશે. દર મહિને ગ્રામવિકાસ સમિતિની બેઠક થવી જોઇએ. દર મહિને ગ્રામવિકાસનો એક ઉપક્રમ આપણા કાર્યની પદ્ધતિ બનવી જોઇએ. ગ્રામવિકાસના કાર્યનો પ્રારંભ જો સમાજ નહીં કરે, તો કોઇ યોજના સફળ નહી થાય. સંઘની પ્રત્યેક ગ્રામ્ય શાખાના સ્વયંસેવકોએ ગ્રામવિકાસના કામ કરવું જોઇએ.

 

દક્ષિણ ગુજરાતમાં ભ‚રૂચ ખાતે ગ્રામવિકાસ કાર્યક્રમ
(નવસારી, વડોદરા, નડિયાદ વિભાગ)

 


આ કાર્યક્રમમાં પૂ.સવિતાનંદજી મહારાજ, મા. હસમુખભાઇ પટેલ (ક્ષેત્ર વ્યવસ્થાપ્રમુખ) અને મા. ઉપેન્દ્રજી કુલકુર્ણી (ક્ષેત્ર સેવાપ્રમુખ)નું માર્ગદર્શન મળ્યું.
પૂ.સવિતાનંદજીએ આશિર્વચન આપતાં કહ્યું, આપણે આપણે સંસ્કૃતિથી દૂર જવાના કારણે સમસ્યાગ્રસ્ત બન્યા છે. આપણાં ગામો આપણી સંસ્કૃતિના આધાર સ્તંભો હતા.
શ્રી હસમુખભાઇ પટેલે ભૂમિ, જલ, વન, જીવ, ગો, ઊર્જા અને જનસંપદાની થઇ રહેલી ક્ષતિ તરફ ધ્યાન તેના સંરક્ષણ અને સંવર્ધન માટે પ્રયત્નશીલ રહેવું તે આજના સમયની આવશ્યકતા છે તેમ જણાવ્યું.
શ્રી ઉપેન્દ્રજી કુલકર્ણીએ જણાવ્યું કે ગામમાં સામૂહિક ચિંતન પ્રક્રિયાથી વિકાસના કામ થવાં જોઇએ. આપણાં કાર્યોે બળ સંઘશાખામાંથી મળે છે, આથી તે કામ પણ ગ્રામીણ ક્ષેત્રે પ્રભાવશાળી બને.

 


સૌરાષ્ટ્ર - કચ્છમાં ચોટીલા ખાતે ગ્રામવિકાસ કાર્યક્રમ
(કચ્છ, રાજકોટ, જૂનાગઢ, ભાવનગર, સુરેન્દ્રનગર વિભાગ)


આ કાર્યક્રમમાં પૂ.અમૃતગીરિ ગોસ્વામી (પૂજારી પરિવાર શ્રી ચામુંડામાતા), મા.સુનિલભાઇ મહેતા (ક્ષેત્ર કાર્યવાહ- પશ્ર્ચિમ ક્ષેત્ર) અને મા. કિશોરભાઇ મુંગલપરા (પ્રાંત સહકાર્યવાહ- ગુજરાત પ્રાંત)નું માર્ગદર્શન મળ્યું.
આ અવસરે પૂ.અમૃતગીરિએ ગોપૂજન અને દીપ પ્રજ્વલન કરી આશીવર્ચન આપ્યા હતા.
શ્રી કિશોરભાઇ મુંગલપરાએ કાર્યક્રમની પ્રસ્તાવના આપતાં કહ્યું ગ્રામસ્વરાજ દેશની શક્તિનો આધાર અને વાસ્તવિક સ્વતંત્રતા છે. પહેલાંના ગામની સ્થિતિ ભૌતિક સુવિધા ઓછી હતી છતાં સુખ -શાન્તિ હતી.
શ્રી સુનિલભાઇ મહેતા એ તેમના મનનીય પ્રવચનમાં કહ્યું કે ભારતમાં ગ્રામ્યજીવનનું ખૂબ મહત્વ છે. ભગવાન શ્રીરામે પણ પોતાના વનવાસ દરમ્યાન ગ્રામીણ સમાજને સંગઠિત કર્યો હતો. ગ્રામવિકાસની શ‚આત સંસ્કાર આધારિત શિક્ષણથી થવી જોઇએ. સમાજમાં સમરસતા હોવી જોઇએ. મંદિર- પાણી- સ્મશાન બધા માટે ઉપલબ્ધ હોય. દુનિયાને બચાવવા માટે ભારતને અને તેનાં ગામોને બચાવવાં જોઇએ.