@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@
આરૂષિ મર્ડર કેસમાં તલવાર દંપતીને હજુ રહેવું પડશે જેલમાં
આરૂષિ મર્ડર કેસમાં તલવાર દંપતીને હજુ રહેવું પડશે જેલમાં
આરૂષિ મર્ડર કેસમાં ગુરૂવારે અલ્હાબાદ હાઈકોર્ટે દોષિત ડો . રાજેશ અને નૂપુર તલવારને જેલમાંથી મુક્ત કરવાના આદેશ આપ્યાં છે . કોર્ટે પુરાવાના અભાવે તલવાર દંપતીને રાહત આપી છે . સાથે જ CBI ની સ્પેશિયલ કોર્ટે 2013 માં આપેલી આજીવન કેદની સજાને પણ રદ્દ કરી છે . જેના પર CBI ના પૂર્વ ડાયરેકટર એ . પી . સિંહે કહ્યું કે , “ તપાસ દરમિયાન અમારી સામે ઘણી જ ઉણપ હતી . ઘટના સ્થળે પુરાવા સાથે ઘણી જ છેડછાડ કરવામાં આવી હતી . જેના કારણે અમને ઘટનાસ્થળેથી કંઈ જ મહત્વનું મળ્યું ન હતું . જે આ સમગ્ર તપાસ દરમિયાન મોટી સમસ્યા સમાન હતી . એ . પી . સિંહ 2010 થી 2012 વચ્ચે CBI ના ડાયરેકટર રહ્યાં હતા , જ્યારે એજન્સી આ કેસની તપાસ કરી રહી હતી .”
જો કે હમણા જ ડો . રાજેશ અને નૂપુર તલવારના વકીલે એક ચેનલ ને જાણકારી આપી હતી કે કોર્ટનો આદેશ જેલના અધિકારીઓ પાઅસે નથી પહોંચ્યો એટલે કદાચ તેઓને હજુ બે દિવસ જેલમાં રહેવું પડશે. આ દંપતી ને સોમવારે જેલમાંથી મુક્ત કરાશે…