આરૂષિ મર્ડર કેસમાં ગુરૂવારે અલ્હાબાદ હાઈકોર્ટે દોષિત ડો.રાજેશ અને નૂપુર તલવારને જેલમાંથી મુક્ત કરવાના આદેશ આપ્યાં છે. કોર્ટે પુરાવાના અભાવે તલવાર દંપતીને રાહત આપી છે. સાથે જ CBIની સ્પેશિયલ કોર્ટે 2013માં આપેલી આજીવન કેદની સજાને પણ રદ્દ કરી છે. જેના પર CBIના પૂર્વ ડાયરેકટર એ.પી.સિંહે કહ્યું કે, “તપાસ દરમિયાન અમારી સામે ઘણી જ ઉણપ હતી. ઘટના સ્થળે પુરાવા સાથે ઘણી જ છેડછાડ કરવામાં આવી હતી. જેના કારણે અમને ઘટનાસ્થળેથી કંઈ જ મહત્વનું મળ્યું ન હતું. જે આ સમગ્ર તપાસ દરમિયાન મોટી સમસ્યા સમાન હતી. એ.પી.સિંહ 2010થી 2012 વચ્ચે CBIના ડાયરેકટર રહ્યાં હતા, જ્યારે એજન્સી આ કેસની તપાસ કરી રહી હતી.”
જો કે હમણા જ ડો.રાજેશ અને નૂપુર તલવારના વકીલે એક ચેનલ ને જાણકારી આપી હતી કે કોર્ટનો આદેશ જેલના અધિકારીઓ પાઅસે નથી પહોંચ્યો એટલે કદાચ તેઓને હજુ બે દિવસ જેલમાં રહેવું પડશે. આ દંપતી ને સોમવારે જેલમાંથી મુક્ત કરાશે…