@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની વિજય વાણી

મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીની વિજય વાણી

 
 
 

 
 
નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલનું સંબોધન
 
મહેસાણા માટે ૧ હજાર કરોડનાં કામ પાંચ વર્ષમાં મંજૂર કર્યા છે. ઉત્તર ગુજરાતમાં ગામે-ગામ નર્મદાના પાણી પહોંચાડવા માટે ૬૦૦ કરોડ આપ્યા હતા. મહેસાણાની સિવિલ હૉસ્પિટલ તેમજ લાયન્સમાં હાર્ટની સર્જરી વિનામૂલ્યે કરાય છે. ચેકડેમો બનાવ્યા છે. બે લાખ ટ્રેક્ટરો માટે સબસિડી આપી, સમાજના યુવાનોને ૨૦ લાખની સહાય કરી.
* * *
પટેલ સમુદાય હાર્દિક અને કોંગ્રેસનાં પ્રલોભનોથી દૂર રહે. બંધારણના હિસાબથી ૫૦ ટકા અનામત આપવી શક્ય જ નથી. હાર્દિક કોંગ્રેસે લખેલી સ્ક્રીપ્ટ જ વાંચી રહ્યો છે. હાર્દિક અને કોંગ્રેસે પટેલ સમુદાયને અનામતના નામે બેવકૂફ બનાવ્યા છે. હાર્દિકનો મુખવટો ઊતરી ગયો છે અને તે વોટ માટે કોંગ્રેસ પાર્ટી સાથે સોદાબાજી કરવા લાગ્યો છે. હાર્દિક નાદાન છે. તેણે સમજવું જોઈએ કે ચૂંટણી છે ત્યારે પટેલ અનામતના મુદ્દે કોંગ્રેસ પોતાનું મો સંતાડવા હાર્દિકના હાથમાં દડો આપીને ખેલ ખેલી રહી છે.
* * *
સુજલામ્ સુફલામ્ કેનાલ ન કરવાનું જણાવનાર ગહેલોતને ગુજરાતમાં આવી મત માગવાનો કોઈ જ અધિકાર નથી. તત્કાલીન મુખ્યમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીજીએ તેમને તાબે થયા વગર આ યોજના બનાવી હતી. જેનો લાભ આખા ગુજરાતને મળી રહ્યો છે. જેઓ સરદાર પટેલને અન્યાય કરતા હતા. તેઓ હવે સરદારની વાતો કરે છે અને આંદોલનો કરે છે. ગુજરાત સરકારે પીવાનું પાણી, સિંચાઈનું પાણી રોડ રસ્તા મેડીકલ કૉલેજ ખેડૂતો માટેની યોજનાઓ ડ્રીપ ઈરીગેશન, નર્મદા સહિત તમામ પ્રશ્ર્નો લોકો સાથે સંપર્ક કરીને જાણી હલ કરી દીધી છે. નવી પેઢીને આ કામગીરી અને ભૂતકાળની ખબર નથી અને ગેરમાર્ગે દોરવાઈ રહી છે.