અનુશાસન, રાષ્ટ્રપ્રેમ અને જીવન સંદેશનો ત્રિવેણી સંગમ એટલે મેરઠનો રાષ્ટ્રોદય સમાગમ
અનુશાસન, રાષ્ટ્રપ્રેમ અને જીવન સંદેશનો ત્રિવેણી સંગમ એટલે મેરઠનો રાષ્ટ્રોદય સમાગમ
ક્રાંતિકારીઓની ધરતી મેરઠમાં 25 ફેબ્રુઆરીએ રાષ્ટ્રીય સ્વંય સેવક સંઘનો રાષ્ટ્રોદય સમાગમ યોજાઇ ગયો, જેમાં ત્રણ લાખ સ્વયંસેવકોની હાજરી હતી.
રાષ્ટ્રોદય કાર્યક્રમમાં સંબોધન કરતા સંઘના મા. સરસંઘચાલક મોહનજી ભાગવતે કહ્યું હતું કે, કાર્યક્રમમાં શક્તિપ્રદર્શન નથી થયું પણ શક્તિ માપવામાં આવી છે. ભારતમાં' લોકોના ભોજન, ભાષા, સંપ્રદાય, પુજા પદ્ધતિ અને પંથ અલગ-અલગ હોવા છતા પણ તમામ લોકોનું અસ્તિત્વ અને ધર્મ એક છે. તમામ લોકો' વિવિધતાને ધ્યાને રાખે છે. પણ વિવિધતા જ એકતા છે એ મુળ સત્ય છે.
તેમણે જણાવ્યું કે ત્યાગ' અને સંયમ જેવા મુલ્યો કોઈ એક પુજા કે સંપ્રદાયના ન હોઈ શકે. ભાગવતે કટ્ટર શબ્દનો અર્થ સમજાવતા કહ્યું હતું કે, હિંદુ કટ્ટરતાનો અર્થ કટ્ટર અહિંસા અને કટ્ટર ઉદારતાથી જોડાયેલો છે.
ભારત હિંદુઓનું ઘર છે અને આ દેશમાં હિંદુઓ જવાબદાર લોકો છે. જો કે અત્યારે લોકો પોતાને ભુલી ગયા છે અને જાતિના નામે લડી રહ્યા છે. આ ઝઘડામાં દુનિયા પોતાનો લાભ મેળવી રહી છે.