સહ્યાદ્રિની ચટ્ટાન જેવા પડછંદ વીર બાજીપ્રભુ દેશપાંડે બંદી બનાવેલી હાલતમાં શિવાજીના દરબારમાં પેશ થયા !

    ૨૩-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
 
વીર બાજીપ્રભુ દેશપાંડે લઘુનવલ - પ્રકરણ 1
 
 
શિવાજી અને વીર બાજીપ્રભુની પ્રથમ મુલાકાતનો એ દિવસ કઈક આવો હતો...
 
૧૬મી સદીનો સૂરજ તપી રહ્યો હતો. મહારાષ્ટ્રના પૂણેમાં શિવાજી મહારાજની નાનકડી જાગ્ાીર હતી, પણ સપનાં ખૂબ મોટાં ! માતૃભૂમિને મુગલ આદિલશાહી અને નિજામશાહીના પંજામાંથી છોડાવવા અને હિંદુ પદપાદશાહીની સ્થાપના કરવા માટે શિવાજી ભવાની તલવાર લઈને મેદાને પડેલા. માત્ર મુગ્લો જ નહીં, જે હિન્દુ રાજાઓ મુગલોના ગુલામ બની બેઠા હતા તેમને પણ શિવાજી પાઠ ભણાવતા.
 
એવા જ એક હિરડસ માવળના રાજા દેશમુખ સાથે શિવાજીએ ભયંકર યુદ્ધ ખેલ્યું. પૂણેના ઘનઘોર જંગ્ાલમાં રહેતા માવળ રાજા આદિલશાહીના ગુલામ હતા. આ યુદ્ધમાં માવળ રાજા દેશમુખનો ભયાનક પરાજય થયો અને એ મૃત્યુ પામ્યો. શિવાજીની ઉંમર એ વખતે તરુણ પણ તેમના રણચાતુર્ય અને પરાક્રમની ધાકથી આખું જંગ્ાલ અને માવળાઓે ખળભળી ઊઠ્યા હતા.
 
યુદ્ધ સમાપ્તિ પછીનો એક દિવસ. યુદ્ધમાં વિજયી થયેલા શિવાજી મહારાજ દરબાર ભરીને બેઠા હતા. આ સિંહ જેવા વીરથી સિંહાસન વધારે શોભી રહ્યું. મહેલની ચારે ય દિશાઓ શિવાજીના વિજયના કવિતો અને જયજયકારથી ગુંજી ઊઠી હતી. એવામાં મહેલના વિશાળ દરવાજેથી સૈનિકો એક પડછંદ આદમીને બંદી બનાવીને પ્રવેશ્યા. એ હતા હિરડસ માવળના પરાજિત રાજા દેશમુખના શૂર સેનાપતિ બાજીપ્રભુ દેશપાંડે. એ બેડીઓમાં કેદ હતા, પણ એવું લાગી રહ્યું હતું કે એ ધારે તો આ બેડીઓને ફૂલની કળી જેમ હમણાં જ મસળી નાંખશે. સહ્યાદ્રિની ચટ્ટાન જેવું પડછંદ એમનું વ્યક્તિત્વ છે, સહેજેય સાડા છ ફૂટ ઊંચાઈ, મસ્તક પરના મુંડન પરની શિખા ચાબૂક જેમ હવામાં વીંઝાઈ રહી હતી. બદામના તેલથી વળ ચડાવેલી લાંબી કાળીડિબાંગ મૂછો જાણે કાળોતરો વીંટળાઈ વળ્યો હોય એવી લાગી રહી હતી, દરિયામાં ભરતી આવી હોય એમ છાતી બહાર ધસમસી રહી હતું અને આંખોમાંથી અંગારા વરસી રહ્યા હતા. એના પડછંદ પગ્ાલાંની ધમકથી આખોયે મહેલ ધ્રૂજી ઊઠ્યો અને દરબાર આખો શાંત થઈ ગ્ાયો. ધમ..ધમ...ધમ... પગલાં પાડતા એ શિવાજીની સન્મુખ આવીને ઊભા રહ્યા.
 
શિવાજીએ એની સામે નિર્ભેળ સ્મિત વેર્યું. તરુણ શિવાજીનો સુગ્ાઠિત દેહ, તેમના મુખની કાંતિ અને આંખોમાં રહેલો વિલક્ષણ આત્મીય ભાવ જોઈને બાજીપ્રભુ ઘડીભર ચકિત થઈ ગ્ાયા. એમને એમ હતું કે દુશ્મનના સેનાપતિ તરીકે શિવાજી એને દંડ દેવા અને અપમાનિત કરવા માટે દરબારમાં લઈ આવ્યા છે, પણ અહીં તો ઊલટુ થઈ રહ્યું હતું. શિવાજી એની સામે સ્મિત કરી રહ્યા હતા. એટલુું જ નહીં થોડી ક્ષણો પછી શિવાજી મહારાજ ખુદ એમના સિંહાસન પરથી ઊભા થયા અને બાજીપ્રભુને સન્માન આપ્યું.
 
બાજીપ્રભુ વધારે વિમાસણમાં પડ્યા. એમને કંઈ સમજાતું નહોતું એટલે ક્રોધ અને ગુસ્સો આવી રહ્યો હતો. આખરે ગુસ્સામાં એમણે કહી દીધું, `રાજે, આપ મને દંડિત કરો, અપમાનિત કરો તે હું સમજી શકું છું. પણ યુદ્ધમાં પરાસ્ત યોદ્ધા સાથે દયા દેખાડવાની તમારી કલા મને એકસામટા સો વીંછી ડંખતા હોય એવું દર્દ આપ્ો છે. મેં જીવનભર હિરડસ માવળના મારા શૂર સ્વામી પ્રત્યે સાચી સ્વામીભક્તિ નિભાવી છે. એટલે એક વાત યાદ રાખજો કે મારા સ્વામીની જાગ્ાીર પર કબજો કર્યા પછી હું તમારી સામે દયાની ભીખ નહીં માંગ્ાી શકું....!'
 
શિવાજી ખડખડાટ હસી પડ્યા, `સાચું કહું! તારા આ જ ગુણો મને આકર્ષિત કરે છે. તારા જેવા વીર સ્વામીભક્ત સેનાપતિ હોવા છતાં માવળના રાજા દેશમુખ બીજાપુરની આદિલશાહીની ગુલામી કરતા રહ્યા એ શું આશ્ચર્યની વાત નથી ?' શિવાજીએ ભયંકર કટાક્ષ કર્યો. બાજીપ્રભુ કંઈ બોલી ના શક્યા.
 
શિવાજીએ આગ્ાળ કહ્યું, `બાજી ! માવળાઓ સાથે યુદ્ધ કરવું એ મારું કામ નથી, આ તો સ્વરાજ્ય સંસ્થાપનાના શ્રેષ્ઠ કાર્ય વચ્ચે આવી પડેલું એક અનિવાર્ય કર્તવ્ય છે. મેં કંઈ હિરડસ માવળની ભૂમિને પડાવી લેવા આ યુદ્ધ નથી કર્યું !'
બાજીપ્રભુ દેશપાંડેને શિવાજીની વાતમાં સચ્ચાઈ તો જણાઈ પણ એને લાગ્યું કદાચ આ શિવાજીનો રાજનૈતિક દાવ પણ હોઈ શકે એટલે એમણે કહ્યું, `આપ કહો છો એનું પ્રમાણ શું ?'
 
જવાબમાં શિવાજીએ તત્કાળ ઘોષણા કરી, `આજથી હિરડસ માવળના દેશમુખના સ્થાને તેમનો પુત્ર અહીંનો અધિપતિ રહેશે અને બાજીપ્રભુ, તમે આ ભૂમિના સંરક્ષક ! બોલો, બીજું કંઈ પ્રમાણ જોઈએ છે?'
 
બાજીપ્રભુ અવાક થઈ ગયા. એમણે પૂછ્યું, `રાજે, મને એક વાત નથી સમજાતી. જો હિરડસ માવળના રાજા દેશમુખ પરિવારના હાથમાં જ આ વિસ્તારની જવાબદારી રહેવાની હતી તો પછી તમે આટલું ભીષણ યુદ્ધ શા માટે કર્યું? આખરે તમે ઇચ્છો છો શું?'
 
શિવાજીના તરુણ ચહેરા પર અનુભવી જેવી પાકટતા તરવરી ઊઠી, એ બોલ્યા, `બાજી, મારી વાત તમે જરૂર સમજી શકશો. આજે આદિલશાહી અને નિઝામશાહીના પંજામાં માતૃભૂમિ જકડાયેલી પડી છે. મોટા મોટા શૂરવીરો એની જ ગુલામી કરે છે. દેશ, ધર્મ, સંસ્કૃતિનો હ્રાસ થઈ રહ્યો છે. આવી ભીષણ પરિસ્થતિઓમાં સ્વરાજ્ય સંસ્થાપનાનું કાર્ય સરળ નથી. એ માટે તો તમારા જેવા યોદ્ધાઓનો સાથ જોઈએ. પરંતુ તમારા જેવા શૂરવીરો વ્યક્તિગત સ્વામીભક્તિની ધૂનમાં રાષ્ટ્રભક્તિને જ તિલાંજલિ આપી દે છે. આ ઊંચા ઊંચા પહાડો, ગુફાઓ, ઘાટીઓ અને ઘનઘોર જંગલોમાં રહેનારા માવળાઓ અપાર શૂરવીર છે, સ્વામીભક્ત છે, ઈમાનદાર છે અને ખૂબ જ પરિશ્રમી છે. પરંતુ એમની બધી જ શક્તિ અંદરોઅંદરની લડાઈમાં જ સમાપ્ત થઈ જાય છે. શું આ બધાને પરસ્પર જોડીને એક એવી તાકાત ઊભી ન કરી શકાય જેના દ્વારા સ્વરાજ્ય સંસ્થાપનાનો પાયો નાંખી શકાય?'
 
શિવાજીના શબ્દો પાછળ નરી દેશભક્તિ અને રાષ્ટ્રહિત છલકાઈ રહ્યાં હતાં. બાજીપ્રભુ દેશપાંડેને શિવાજીની મુખાકૃતિમાં માતૃભૂમિની મુક્તિ માટે પ્રયાસ કરતો દેવદૂત દેખાયો. એમને લાગ્યું ખરેખર આ તરુણ શિવાજીની આંખોમાં તરી રહેલાં સ્વપ્નાં એક દિવસ જરૂર સાકાર થશે અને હિન્દુ જાતિ માટે વરદાન બની રહેશે. બાજીપ્રભુનું મસ્તક ઝૂકી ગયું. એમણે મનોમન શિવાજીને માત્ર પોતાના જ નહીં પણ આવનારા સ્વરાજ્યના રાજા સ્વીકાર કરી લીધા અને શિવાજી સામે ઝૂકીને સન્માન વ્યક્ત કરતાં બોલ્યા, `રાજે, તમારી વાતોમાં અગ્નિ જેવી દાહકતા છે. હું આજે જ તમારી યોજનાનો સિપાહી બનવા તૈયાર છું !'
 
શિવાજી સિંહાસન પરથી ઊભા થયા અને બાજીપ્રભુને ગળે લગાડી દીધા.
આ જ હતી શિવાજી અને બાજીપ્રભુ દેશપાંડેની પહેલી મુલાકાત.
 
***
 
શિવાજીની જાગીર પૂણેમાં હતી. આ સમગ્ર જાગીર દસ માઈલના ઘેરાવામાં. એ સમયની વિશાળ મુગલ અને બિજાપુરી સલ્તનતોની તુલનામાં આ જાગીર મુઠ્ઠીભર પણ નહોતી, પરંતુ શિવાજી રોહિરેશ્વર મહાદેવના મંદિરમાં પોતાના સાથીઓ સાથે હિન્દવી સ્વરાજ્યની સ્થાપનાનું વ્રત લઈને મેદાને પડેલા. શિવાજીએ પોતાની પૂણે જાગીરના નાનકડા કિલ્લા પર ઊભા રહીને દશેય દિશાઓમાં જ્યારે દૃષ્ટિ ફેરવી તો અનુભવ્યું કે પૂણેના પશ્ચિમી છેડે એક પછી એક એવી સહ્યાદ્રિની અનેક પર્વતશૃંખલાઓ છે. આ પહાડી કોતરો અને જંગલોમાં નદીઓ, નાળાં અને ઘનઘોર જંગલો છે. બારે મેઘ ખાંગા થાય ત્યારે આઠ-આઠ દિવસ સુધી અહીં વાદળો ઝૂકેલાં રહે છે. ધોળે દિવસે પણ અંધારું છવાયેલું રહે છે. હિંસક પ્રાણીઓની ગર્જનાઓ આ સ્થાનની દુર્ગમતાને વધારે ભયાનક બનાવી દે છે. આવા ભયાનક સ્થાને, આ પહાડોનાં કોતરોમાં, ગીચ જંગલોમાં માવળાઓની કુલ બાર વસ્તી રહેતી હતી. આ પ્રકૃતિએ જ એમને શૂર, સાહસી અને પરાક્રમી બનાવ્યા હતા. માવળ વીર એટલે વાતના પાક્કા અને યુદ્ધમાં નિપુણ. પરંતુ અંદરોઅંદર લડવા - ઝઘડવામાં જ બધી શક્તિઓ નષ્ટ કરી દેતા. આ લોકોની બધી શક્તિઓ અને બુદ્ધિનો ઉપયોગ બિજાપુરી સલ્તનતને જ થઈ રહ્યો હતો. આ લોકો અંદરો-અંદર લડીને પોતાની જ તલવારો અને ભાલાઓ દ્વારા પોતાના જ અસ્તિત્વને કાપી રહ્યા હતા. શિવાજીએ આ જોયું ત્યારે એમને વિચાર આવેલો કે જો માવળાઓની શક્તિ પોતાની સાથે થઈ જાય તો હિન્દવી સ્વરાજ્યનું પોતાનું સપનું જલદી સાકાર થઈ જાય. દુશ્મનોને એકલા પાડી શકાય અને જીતી શકાય. આ વિચારે તેમણે માવળાઓને પોતાનો સંદેશ પહોંચાડ્યો અને સાથે જોડાઈ જવા માટે વિનંતી કરી. કેટલાક માવળાઓને એમની યોજના ગમી. એ લોકો શિવાજી સાથે જોડાઈ ગયા, પણ કેટલાક જે લોકો શિવાજીના ઉદ્દેશ્યને ના સમજી શક્યા તેમણે શિવાજીની ઇચ્છાને ના સ્વીકારી. શિવાજીએ વિચાર્યું કે એવા માવળાઓને પોતાની વાત સારી રીતે સમજાવવાનો એક જ રસ્તો હતો અને એ હતો તલવારની ધાર ! આથી શિવાજીએ આવા વિરોધી, આદિલશાહીના ગુલામ માવળાઓ પર ચડાઈ કરી એમને પરાસ્ત કર્યા. એમાંથી એમને અનેક નરરત્નો પ્રાપ્ત થયા હતા. એમાંના શ્રેષ્ઠ અને શૂરવીર નરરત્ન હતા, `બાજીપ્રભુ દેશપાંડે'. આજે એ બાજીપ્રભુનું હૃદય શિવાજીએ જીતી લીધું હતું. એ એમના સિપાહી બનીને તેમની સામે નતમસ્તકે ઊભા હતા અને શિવાજી એમને ભેટી પડ્યા.
 
શિવાજી અને બાજીપ્રભુની આ પ્રથમ મુલાકાત એક શ્રેષ્ઠ પરાક્રમ અને સ્વામીભક્તિની અપૂર્વ ઘટનાને જન્મ આપવાની હતી. સહ્યાદ્રિની ચટ્ટાનો પર અંકિત થનારી એ વીરતાપૂર્ણ ઘટના હજુ ભાવીના ગર્ભમાં કેદ હતી પણ એનાં ડગ મંડાઈ ચૂક્યાં હતાં.
 
(ક્રમશ:)