@@INCLUDE-HTTPS-REDIRECT-METATAG@@ જૈસ-એ-મહમ્મદનો Masood Azhar ડરી ગયો Audio tap દ્વાર કહ્યું pulwama attackમાં મારો હાથ નથી.

જૈસ-એ-મહમ્મદનો Masood Azhar ડરી ગયો Audio tap દ્વાર કહ્યું pulwama attackમાં મારો હાથ નથી.


 

ભારતની કાર્યવાહીથી ડરી ગયો મસૂદ કહે છે પુલવામા હુમાલમાં મારો હાથ નથી!!

 
પુલવામા હુમલા પછી એક ઓડિયો ટેપ જૈસ-એ-મોહમ્મદ દ્વાર બહાર પાડવામાં આવી હતી અને આ હુમલાની જવાબદારી લીધી હતી. પણ હવે આ હુમલાના છ દિવસ પછી જૈસ-એ-મોહમ્મદના ચીફ મૈલાના મસૂદ અઝહરની બીજી એક ઓડિયો ટેપ આવી છે. જેમાં તેણે પુલવામા હુમલામાં પોતાનો કોઇ હાથ ન હોવાનો દાવો કર્યો છે. જોકે આ ઉપરાંત તેણે અનેક વાતો પણ કરી છે. ભારત વિરુધ્ધ ઝેર ઓકવામાં તેણે જરા પણ પાછી પાની કરી નથી. તેણે ભારત વિરોધી અનેક વાતો કરી.

જૈશ-એ-મોહમ્મદના ચીફ મૌલાના મસૂદ અઝહરે એક નવો ઓડિયો જાહેર કરી જણાવ્યું હતું કે…

# મસૂદે પુલવામા હુમલામાં હાથ હોવાનો ઈન્કાર કર્યો છે.
# તેણે દાવો કર્યો છે કે, તે કદી પુલવામા એટેકનો આત્મઘાતી આતંકી આદિલ અહમદ ડારને પણ મળ્યો નથી.
# પુલવામા હુમલાથી ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 2019ની લોકસભા ચૂંટણીમાં નુકસાન થશે.
# હું પાકિસ્તાનને કોઈ પણ પ્રકારના યુદ્ધમાં ધકેલવા નથી માગતો
# તમારે જે કહેવું હોય તે કહો પણ ખબરદાર…ખબરદાર આદિલ અહમદ ડારને કઈ ન કહો.
# સમગ્ર દુનિયા આદિલને મારી સાથે જોડી રહી છે, પરંતુ મારી ઈચ્છા છે કે કાશ હું એને એક વખત મળી શક્યો હોત.
# જો આદિલના કારણે મને હવે મારી નાખવામાં આવે તો પણ મને કોઈ દુખ નથી. તે મારા માટે શહીદી ગણાશે.
# આ ઓડિયોમાં મસૂદ અઝહરે પાકિસ્તાની કોલમિસ્ટ અયાઝના પણ વખાણ કર્યા છે, જેણે આદિલ અહમદ ડારના જાહેરમાં વખાણ કર્યા છે.
# આદિલે જ પુલવામા હુમલો કર્યો હતો અને પોતાની ગાડી લઈને સીઆરપીએફના કાફલામાં ઘૂસ્યો હતો.
# કાશ્મીરમાં આઝાદીની લડાઈ હવે શરૂ થઈ ચૂકી છે.
# કેટલાક લોકો કહે છે કે આ હુમલાથી નરેન્દ્ર મોદીને ફાયદો થયો છે પણ એવું નથી. આવું સમજનારા ભારતના રાજકરણને સમજતા નથી.
# નરેન્દ્ર મોદી કાશ્મીરમાં સંપૂર્ણ રીતે નિષ્ફળ ગયા છે.
# પાકિસ્તાની મીડિયા અને સરકાર બંને ડરેલી છે.
 
ઉલ્લેખનીય છે કે અમેરિકા, ફ્રાન્સ, રશિયા જેવા દેશ જૈશ-એ-મોહમ્મદના પ્રમુખ પર પ્રતિબંધ લગાવવા માટે ભારતની સાથે જોડાયા છે. ત્યારપછી જૈશ થોડું ગભરાઈ ગયું છે.
 

સાંભળો અને સમજો શું કહેવા માગે છે આ ડરપોક.....