* અશ્ર્વગંધાનો દૂધમાં ક્ષીરપાક બનાવી પીવાથી પણ વજન વધે છે.
વજન ઘટાડવા શું કરશો ?
* સવારે ને રાત્રે કોઠે ગરમ પાણીમાં ૧ લીંબુ અને ૨ ચમચી મધ મેળવી બે ગ્લાસમાં પચાસ વારથી વધારે વખત ઉપર નીચે ઉછાળી પછી તે પીવો. ૨ કલાક બીજું કંઈ ન લો. થોડા દિવસમાં વજન ઊતરવા માંડશે.
ઘણા એવા દર્દીઓ પણ મેં જોયા છે કે, જેમને ઓછી ભૂખ લાગતી હોય અને ગમે તેટલું ખાય તો પણ શરીર ગળતું જતું હોય. આવા રોગને આયુર્વેદમાં ‘ભસ્મક રોગ’ કહે છે. આ રોગ માટે નીચેના ઉપાયો સૂચવું છું : તેમાંથી જે અનુકૂળ પડે તો પ્રયોગ કરવો.
* ઉંબરાના મૂળ જમીનમાં હોય તેમાંથી એક મૂળ કાપી નીચે પાત્ર મૂકી જે પાણી આવે તે ઝીલી લેવું. આ રસ દર્દીને પીવડાવવો.