પરિવારમાં કોઈ એક વ્યક્તિને શિક્ષિત કરવો એ આખા પરિવારને તારવા સમાન છે.

25 Aug 2020 16:56:11
 
new education policy  202
 

એક વ્યક્તિને શિક્ષિત કરવો એ આખા પરિવારને તારવા સમાન છે : રમેશભાઈ એમ. પટેલ

ગુજરાતમાં સ્થિત મેઘમણી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગજગતમાં આગવું સ્થાન ધરાવે છે. કેમિકલ્સ, પોલિમર, એગ્રિકાઇડ્સ, જંતુનાશકો ક્ષેત્રે કાઠુ કાઢનાર આ ઉદ્યોગ ગ્રુપની શાખાઓ આંતરરાષ્ટ્રીય સ્તર સુધી ફેલાયેલી છે અને વાર્ષિક ૫૦૦૦ કરોડનું ટર્ન ઓવર ધરાવે છે. ગુજરાતનું આ મેધાવી ઉદ્યોગ ગ્રુપ ઉદ્યોગ જગતની સાથે સાથે વિવિધ સામાજિક કાર્યો કરીને પોતાની કોર્પોરેટ સોશ્યલ રિસ્પોન્સિબિલિટી બખૂબી નિભાવી રહ્યું છે. કંપનીની સામાજિક પ્રવૃત્તિઓ અંગે વાત કરતાં મેઘમણી ઇન્ડસ્ટ્રીઝ લિમિટેડના મેનેજિંગ ડિરેક્ટર શ્રી રમેશભાઈ એમ. પટેલ જણાવે છે કે, દરેક ઉદ્યોગગૃહે શિક્ષણને પ્રોત્સાહન આપતી પ્રવૃત્તિઓ કરી સમાજને કંઈક પરત આપવા પર વિશેષ ભાર મૂકવો જોઈએ. શિક્ષણ એ રાષ્ટનિર્માણનો મુખ્ય પાયો છે. તેથી જવાબદાર નાગરિકોના નિર્માણ માટે શિક્ષણક્ષેત્રે દેશવાસીઓને સતત અપગ્રેડ કરતા રહેવું જોઈએ અને અમારો પ્રયાસ લોકોને શિક્ષિત કરવાનો છે. માટે અમે શૈક્ષિક સંસ્થાઓને વિશેષ કરીને બાલિકાઓના શિક્ષણ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરીએ છીએ.
 
આ ઉપરાંત અમે સ્વાસ્થ્ય ક્ષેત્રમાં પણ વિશેષ ધ્યાન આપીએ છીએ, જેમાં સ્વાસ્થ્યને લગતી જરૂરિયાતોને પહોંચી વળવા માટે માળખાગત સુવિધાઓના વિકાસ બ્લડ બેન્ક, મોટી હોસ્પિટલોમાં આધુનિક સંસાધનો - મેડિકલ ઉપકરણોથી સજ્જ વોર્ડ વિકસાવવાની જવાબદારી લીધી છે.
 
તેઓ કહે છે કે, પરિવારમાં કોઈ એક વ્યક્તિને શિક્ષિત કરવો એ આખા પરિવારને તારવા સમાન છે. ભારત એક વિશાળ જનસંખ્યા ધરાવતો દેશ છે, ત્યારે રાષ્ટનિર્માણ અને રાષ્ટવિકાસ માટે જે કાંઈ પણ થવું જોઈએ તે મોટા પ્રમાણમાં થવું જોઈએ ત્યારે દેશના તમામ ઉદ્યોગકારોની જવાબદારી પણ આ ક્ષેત્રે ફરજિયાત બની જાય છે.
 
(મેનેજિંગ ડિરેક્ટર, મેઘમણી ગ્રુપ ઓફ ઇન્ડસ્ટ્રિઝ) 
Powered By Sangraha 9.0