જૂનાગઢનો ઇતિસાસ બહુ નિરાલો છે. સિંહનો તે પ્રદેશ છે. આકાસ સાથે વાતો કરનારો ગુજરાતનો સૌથી ઊંચો પર્વત અહીં આવેલો છે.
આ ગરવા ગિરનારની જૂનામાં જૂના ભૂસ્તર તરીકે ગણના કરવામાં આવે છે. ૨૫ કરોડ વર્ષની તેની ઉમર ગણવામાં આવે છે. તેનું બીજું નામ રૈવતગિરિ પણ છે.
વેદોથી લઈને પુરાણો સુધી બધે જ તમને આ ગરવા ગિરનારની નોંધ જોવા મળશે, એટલે જ ગિરનાર એક સંશોધનનો વિષય છે.
તેની તળેટીથી ટોચ સુધી જેટલીવાર પહોંચો એટલીવાર તે તમને કંઇન નવું આપશે. કુદરતનો ખજાનો છે અહીં. બસ તમારી દ્રષ્ટિ જોઇએ અને તેને સર કરવાની હિંમત જોઇએ.
તે તમને નિરાશ નહી કરે. આવો આપણે તેની એક તસવીર ઝલક જોઇએ…