વાળ ખરે છે? વાળ ખરતા અટકાવવા છે? જો જવાબ હા હોય તો આ લેખ તમને નિરાશ નહી કરે...

    06-Oct-2021
કુલ દૃશ્યો |

Ayurvedic treatment_1&nbs 
 
 

વાળ ખરતા અટકાવવાના ૮ આયુર્વેદિક ઉપચાર... | કેશ સમસ્યા - સમાધાન આયુર્વેદ | Ayurvedic treatment for hair loss

શરીરના સૌંદર્ય માટે ખૂબ અગત્યના એવા કેશ વિશે આપણે વાતો કરીશું. આજના જમાનામાં મોટાભાગના લોકોને આ કેશ સંબંધી સમસ્યા સતાવતી હોય છે. વાળ ખરવાની સમસ્યા આજ-કાલ ખૂબ મોટા પાયે જોવા મળે છે. વાળ ખરવા, અકાળે શ્ર્વેત થવા, ઉંદરી થવી, વાળ ન વધવા, વાળ આછા થવા, માથામાં ખોડો હોવો, જૂ-લીખ થવી વગેરે અનેક ફરિયાદો અત્યારે જોવા મળે છે. વાળની ફરિયાદો વાળ નિયમિત બરાબર સાફ ન થતા હોય તો અથવા વારંવાર શેમ્પુ બદલ્યા કરવાથી પણ થઈ શકે છે. શરીરમાં ચામડીનો કોઈ રોગ હોય તો તે રોગ પણ માથામાં આવીને વાળ ખેરવી શકે છે. નાની ઉંમરમાં યુવક-યુવતીઓ વાળ ખરવાની ફરિયાદથી છુટકારો મેળવવા ટી.વી. ચેનલોમાં બતાવવામાં આવતા તેલ, શેમ્પૂ કે કંડિશનર પાછળ ખૂબ પૈસા બગાડે છે. પણ આ સમસ્યાથી છુટકારો મળતો હોતો નથી. વાળની જે તે ગુણવત્તા તે તેને મળેલો વારસો છે. જે વારસાગત છે. વાળ એ પ્રોટીનમાંથી બનેલું સંયોજન છે. વાળની ઉપર હાઈડ્રોલીપોઇડ નામક તત્ત્વનું પડ આવેલું હોય છે, જે વાળને નરમ રાખે છે. દરેક વાળનું નિશ્ર્ચિત આયુષ્ય હોય છે. પૂર્ણરૂપે વિકસિત વાળનું આયુષ્ય ૨થી ૫ વર્ષ જેટલું હોય છે. એક વાળ ખરે અને તેની જગ્યાએ બીજો નવો વાળ આવે છે. આ એક સામાન્ય પ્રક્રિયા છે. પરંતુ જ્યારે વાળ ખરવાની પ્રક્રિયા ચાલુ રહે અને વાળ નવા ઊગવાની પ્રક્રિયા ધીમી થઈ જાય કે બંધ થઈ જાય ત્યારે સમસ્યા સર્જાય છે અને સારવારની જરૂરિયાત ઊભી થાય છે.
 
વાળ ખરવા માટે અનેક કારણો જવાબદાર હોય છે, જેમાં વાળમાં પુષ્કળ ખોડો હોવો, વાળ ઉપર વારંવાર રાસાયણિક શેમ્પૂના પ્રયોગો કરવા વાળનું સ્ટ્રેટનિંગ, હેર ડાઈ કે હેર-સ્પ્રે વાપરવું. ખોરાકમાં પ્રોટીનનો અભાવ, માનસિક ચિંતા, ક્રોધ, અનિદ્રા, નિયમિત વાળ ન ધોવા, વાળમાં તેલ-માલિશ ન કરવું, શરીરમાં અંતઃસ્રાવી ગ્રંથિઓની અસમતુલા હોવી, તડકામાં ખુલ્લા માથે ફરવું, ટાઇફોઇડ-કમળો વગેરે બીમારીઓના પ્રભાવથી પણ વાળ ખરતા વગેરે જોવા મળતા હોય છે. દરેક વ્યક્તિની પ્રકૃતિને ધ્યાનમાં રાખીને આયુર્વેદમાં વાળ માટે ખૂબ અસરકારક ચિકિત્સાઓ બતાવેલી છે જે અનુસાર ચિકિત્સા કરવામાં આવે તો ધાર્યાં પરિણામ અવશ્ય મળે છે. વાળની દરેક પ્રકારની સમસ્યામાં શિરોધારા અને નસ્યની ટ્રીટમેન્ટ ખૂબ જ અદ્ભુત પરિણામો આપે છે. આયુર્વેદિક ઔષધથી સિદ્ધ વૃત્ત, તેલ કે તક્ર દ્વારા વાળ ઉપર ધારારૂપે થતી ચિકિત્સા ખરતા વાળ, ઉંદરી, ખોડો વગેરેમાં ખૂબ લાભદાયી છે. તે જ રીતે નસ્ય પણ પંચકર્મની વિશિષ્ટ ચિકિત્સા પદ્ધતિ છે. નાક એ શિરનું દ્વાર હોઈ તેમાં નાખવામાં આવતું ઔષધ ખૂબ જ ઝડપથી વાળ ઉપર અસર કરતું હોય છે. આ ઉપરાંત શિરોધારા પણ વાળ ઉપર અસર કરતી આયુર્વેદની એક શ્રેષ્ઠ સારવાર પદ્ધતિ છે. શિરોધારાથી વાળ ઉપર ખૂબ જ સુંદર પરિણામો જોવા માં છે. વાળ માટે આભ્યંતર ઔષધોમાં આમલકી, ભૃંગરાજ, સપ્તામૃત લોહ વગેરેનો ઉપયોગ વૈદ્યની સલાહ મુજબ કરવો જોઈએ. ઉપરાંત જેને વાળ ખરવાની સમસ્યા હોય તેણે મહેંદીનો ઉપયોગ ન કરવો, કારણ કે તેનાથી વાળ ચોંટે છે અને વધુ ખરે છે, જેથી વાળ ખરતા બંધ થયા પછી જ મહેંદીનો પ્રયોગ લાભદાયી થશે. તેણે મહેંદીનો ઉપયોગ ન કરવો, કારણ કે તેનાથી વાળ ચોંટે છે અને વધુ ખરે છે, જેથી વાળ ખરતા બંધ થયા પછી જ મહેંદીનો પ્રયોગ લાભદાયી થશે.
 

 
વાળ ખરતા અટકે તે માટે - | Ayurvedic treatment for hair loss

 
 
(૧) કાળ તલનું તેલ વાળ માટે ઉત્તમ છે, પછી કોપરેલ પણ ચાલે. તેમાં જ હેર ઓઇલ બનાવવું.
 
(૨) ૧૦૦ ગ્રામ આમળાંને ૫૦૦ ગ્રામ પાણીમાં ૬ દિવસ પલાળી રાખવાં તેમાં ૨૦૦ ગ્રામ ઘી નાખી ધીમા તાપે પકવવું. આ ઘી ગાળીને માથામાં નાખવું. આ ઘીથી વાળ કાળા થાય છે.
 
(૩) ચણોઠીનું ચૂર્ણ અને ફૂલ વાટીને ટાલ પર લેપ કરવાથી જતા રહેલા વાળ પાછા ઊગે છે.
 
(૪) કાળાતલ અને ખડી સાકર રોજ સવારે નરણે કોઠે લેવાથી વાળની મોટાભાગની સમસ્યાઓમાંથી છુટકારો મળે છે.
 
(૫) આમલકી ચૂર્ણ, સપ્તામૃત લોહ, ગોદંતીભસ્મ, ભાંગરા ચૂર્ણને નિયત માત્રામાં (વૈદ્યની સલાહ મુજબ) લીંબુના શરબત સાથે લેવાથી વાળનો ગ્રોથ ખૂબ વધે છે.
 
(૬) બ્રાહ્મીને તલના તેલમાં પકાવી તે તેલને વાળના મૂળમાં માલિશ કરવાથી વાળના જથ્થામાં ખૂબ વધારો થાય છે.
 
(૭) લીમડાના પાનને પાણીમાં વાટી તે પાણીથી માથું ધોવાથી ખોડાની સમસ્યાથી છુટકારો મળશે.
 
(૮) કાળા તલ ને ખડી સાકર રોજ સવારે નરણેકોંઠે લેવાથી વાળની મોટાભાગની સમસ્યામાંથી છુટકારો મળે શકે છે.
 
 
સંપૂર્ણ પૌષ્ટિક ખોરાક, સરળ જીવન અને તનાવમુક્ત જીવનશૈલી કેશની તમામ સમસ્યાઓથી છુટકારો અપાવે છે.