બોધકથા । આટલું સમજી લો તમે ક્યારેય હાર નહીં માનો...!!

02 Mar 2023 16:47:21

Bodh Katha 
 
 
બોધકથા । આટલું સમજી લો તમે ક્યારેય હાર નહીં માનો...!!
 
દૂધ ઉપયોગી છે પણ માત્ર એક જ દિવસ માટે પછી તે ફાટી જાય છે...!!
 
દૂધમાં એક ટીપું છાછનું નાખી દો તે દહી બની જાય છે અને બે દિવસ માટે બગડતું નથી...!!
 
દહીંને વલોવો એટલે તે માખણ બની જાય છે અને તે ત્રણ દિવસ માટે બગડતું નથી...!!
 
માખણને ઉકાળો એટલે તેમાંથી ધી બની જાય અને ઘી કદી બગડતું નથી...!!
 
બોધ એ છે કે એક દિવસમાં બગડી જનારા દૂધમાં ક્યારેય ન બગડનારું ધી છુપાયેલું છે... 
 
બોધ…
 
આજ રીતે આપણું મન અપાર શક્તિઓથી ભરેલું છે. તેમા સકારાત્મક વિચારોનું મેળવણ નાખો, પછી તેને વલોવો એટલે કે ચિંતન કરો, જીવનને તપાવો પછી જુવો....તમે ક્યારેય હાર ન માનનારા કર્મશીલ વ્યક્તિ બની જશો...
 
આ બોધ કથા વાંચવી ગમશે...
 
બોધકથા । મુર્ખાઓને ઉપદેશ આપવો એટલે તેમના ક્રોધને વધારવો.
બોધકથા । કાગડાની મુશ્કેલી । જ્યારે મોરે કહ્યું હું કાગડો બનવા માંગુ છુ!
બોધકથા । સંગતની અસર । જે મન, કાર્ય અને બુદ્ધિથી પરમહંસ છે ...
 
Powered By Sangraha 9.0