સંઘગાથા – 3 । સંઘશાખા એટલે સમાજબોધ

10 Jun 2025 13:49:19

all about rss and shakha gujarati bhag 3
 
 
સંઘનિર્માતા ડોક્ટર કેશવ બલિરામ હેડગેવાર એટલે ૨૦મી સદીમાં જન્મેલા અનેક મહાપુરુષોમાંના એક એટલું જ એમનું મહત્ત્વ નથી.'સમષ્ટિનો' વિચાર લઈને જ તેમનો જન્મ થયો એમ કહેવાની ઇચ્છા થાય છે. પરિસ્થિતિનું સૂક્ષ્મ નિરીક્ષણ અને ઘટનારી ઘટનાઓનું વિશ્લેષણ, સામાજિક દૃષ્ટિકોણથી તે ઘટનાનો નિષ્કર્ષ અને મારે શું કરવું જોઈએ એનો વિચાર કરીને કૃતિ એ તેમની કાર્યશૈલીની વિશિષ્ટ્રતા હતી.
 
નાગપુરથી પ્રસારિત થતા તે સમયના મહારાષ્ટ્ર સમાચારપત્રમાં એક સભાનું વૃત્ત છપાયું હતું. તે આ પ્રમાણે હતું.. સભામાં કેટલાક લોકો વચ્ચે જ ઊભા થઈ ગયા. જોતજોતામાં પાંચ જ સેકન્ડમાં વોંકર રોડ બાજુના બધા લોકો કરંટ લાગ્યો હોય તેમ ઊભા થઈ ગયા અને પાછળ વાઘ પડ્યો હોય તેમ જીવ મુઠ્ઠીમાં લઈને લોકો ભાગવા લાગ્યા. એટલામાં સભાના કીટસન લાઈટના દીવા ભીડના ધક્કા લાગતાં નીચે પડ્યા અને ઓલવાઈ ગયા. દોડતા લોકોની ભીડ વેંકટેશ થિયેટર્સની ભીંત સાથે અથડાઈ. લોકો એકબીજા પર પડીને કચરાયા. લોકો એકાએક ભાગવા લાગવાથી કેટલાકની લાકડીઓ ખોવાઈ, કોઈનાં ચપ્પલ ખોવાયાં, કોઈની ટોપીઓ પડી ગઈ, કોઈએ દુપટ્ટા ગુમાવ્યા તો કોઈની ધોતી છૂટી ગઈ. આટલા ચાર હજાર લોકો ક્ષણભરમાં બીકને કારણે થરથરતા દેખાયા. જરા શાંતિથી પૂછપરછને અંતે ખબર પડી કે, સભામાં વચ્ચે બેઠેલા એક માણસને પોતાના પગ નીચે દેડકો આવ્યો હોય એમ લાગ્યું અને તે ઊભો થઈને નીચે જોવા લાગ્યો. આજુબાજુના પાંચ-છ જણા ઊભા થયા. એમાંથી કોઈએ સાપ સાપની ચીસ પાડી, ચીસ સાંભળતાં જ લોકો ભાગવા લાગ્યા. એકનું જોઈને બીજા પણ બીકના માર્યા ભાગવા લાગ્યા. નવ્વાણું ટકા (૯૯%) લોકો આપણે કેમ ભાગીએ છીએ એ સમજ્યા વગર જ ભાગતા હતા.
 
જો આપણે તે વખતે હોત તો અને આ વાત વાંચી હોત તો મરચું મીઠું ભભરાવીને એકબીજાને કહ્યું હોત અને થોડીવાર આનંદ લઈ લીધો હોત. જોયું આ દેડકાનું પરાક્રમ! ચાર હજારની સભા વિખેરી નાખી. જે સભામાં નહોતા તેઓ સમાચાર વાંચીને હસ્યા હશે. શું આપણી જનતા! એવું પણ ઘણાંએ કહ્યું હશે.
 
ડોક્ટર હેડગેવાર તે દિવસે નાગપુરમાં નહોતા. `મહારાષ્ટ્ર' સમાચારપત્રમાં આવેલું સભાનું આ વર્ણન વાંચી તેઓ વિચારમાં પડી ગયા. સભાના સંચાલકોમાંથી કેટલાકને તેઓ ખાસ મળવા ગયા. શ્રોતાઓની વાત તો છોડો, તમે લોકોએ કેમ આગળ આવીને લોકોને રોક્યા નહીં એમ પૂછ્યું, ત્યારે `હું એકલો શું કરું?' એ જ વાક્ય બધા પાસેથી જ સાંભળવું પડ્યું.
 
`હું એકલો શું કરું?' એ વાક્ય આપણને પણ અનેક વખત સાંભળવા મળે છે. હિન્દુ માણસ સભામાં હોય, યાત્રાસ્થળે હોય, કુંભમેળામાં હોય, તો પણ તે હોય છે એકલો જ. એકલાપણાની હીનભાવના સમાજને આત્મવિનાશ તરફ લઈ જશે. એવું ડોક્ટરસાહેબને લાગ્યું. હું એકલો નથી, આજુબાજુનો સમાજ મારો જ છે. એમ તેને લાગવું જોઈએ. `હું નહીં અમે' એ ભાવ હિંદુસમાજના મનમાં જગાડવો જોઈએ એવો વિચાર કરીને શરૂ કરેલું કાર્ય એટલે `રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ'.
 
`સંઘ એટલે રોજ એક કલાક ચાલનારી સંઘની શાખા. શાખા એટલે સામૂહિકતાનો અનુભવ. દરરોજ ભેગા થઈને આપણે એકલા નથી પણ અનેકમાંથી એક છીએ. સિંધુનું એક બિંદુ છીએ એવી ભાવના દૃઢ થશે તો જ એકલતાને કારણે ઉત્પન્ન થનારી ભયની સ્થિતિ દૂર થશે.
 
સંઘ શાખા એટલે વ્યક્તિનો થી તરફનો પ્રવાસ. `' સંકોચન અને નો વિસ્તાર.
 
સંઘ શાખામાં ગવાતાં ગીતો સાદા, સરળ અને ના ભાવની પુષ્ટિ કરનારાં હોય છે.
 
`મહાસિંધુનું બિંદુ અમે સૌ `
 
ઉદાહરણ તરીકે -
 
...અમે (હું મિત્ર નહીં) મિત્ર ડુંગરા પર રહેનારા,
 
ચાકર શિવબા(શિવાજી)ના થવાના
 
...વ્યક્તિત્વની ઓળંગીને બધી સંકુચિત સીમા,
 
વિશાળ હૈયે કરી સ્થાપિત છે વિરાટ પુરુષપ્રતિમા.
 
...જે અહંકારના જાળામાં અટકી પડે પુરુષાર્થ,
 
તે ભાંગીને થતું હવે આ વિશાળ જીવન.
 
...અવયવ જીવશે શરીર વિના શું ? ઘટક જીવે કે સમાજ છોડી,
 
એ જ તત્ત્વ લઈ જીવું જીવન હું,
 
સમાજને પરિવાર ગણ્યો મેં,
 
છોડીને નિજ સ્વાર્થ.
 
 
સમાજ સંઘનો અને સંઘ સમાજનો એ ભૂમિકા પહેલા દિવસથી છે. શાખા ગામની હોય. સંપૂર્ણ વસ્તીની હોય. શાખા ચલાવનારો સ્વયંસેવક કોઈ પણ જાતિનો હોય છતાં પણ વિચાર આખા ગામનો, સમગ્ર વસ્તીનો હોય છે.
 
કોઈ વ્યક્તિને મોટો બનાવવાની, એટલે કે નેતા બનાવવાની કાર્યપદ્ધતિ સંઘે અપનાવી નથી. સંઘશાખાનો આધાર સામૂહિકતા છે. સામૂહિક રમતો, સામૂહિક સમતા, સામૂહિક વ્યાયામ, સામૂહિક સંચલન, સામૂહિક ગીત, સામૂહિક પ્રાર્થના - એવું જ શાખાનું સ્વરૂપ હોય છે.
 
ભાગીદાર `થનારા તરુણો અને પ્રૌઢોમાં (`અમે')નો ભાવ નિર્માણ કરવો એ જ શાખાનો હેતુ હોય છે. શબ્દમાં જ આત્મવિશ્વાસ ભરેલો છે. ૧૯૨૬માં સંઘ શાખાનો આરંભ થયો. નાગપુરમાં કેટલા યુવાનોના મનમાં `અમે'નો ભાવ નિર્માણ થયો હતો. તેથી ૧૯૨૭માં નાગપુરમાં થયેલ તોફાનોમાં હિન્દુઓનું રક્ષણ થઈ શક્યું.
 
અમેનો દાયરો જેટલો મોટો કરવો હોય એટલો મોટો થઈ શકે છે. `આપણે'ની વ્યાપકતા ગમે તેટલી મોટી થઈ શકે છે. સમાજમાં `અમે'નો ભાવ નિર્માણ કરનારી ૮૦ હજારથી વધુ સંઘ શાખાઓ છે. અરુણાચલ હોય, ગુજરાત હોય, ઉત્તરાખંડ હોય કે કેરળ બધે જ આ પ્રયત્ન ચાલુ છે.
 
કોઈ વ્યક્તિને મોટો કરવાની એટલે કે નેતા બનાવવાની કાર્યપદ્ધતિ સંઘે અનુસરી નથી. સંઘ શાખાનો આધાર સામૂહિકતા છે. સામૂહિક રમત, સામૂહિક ક્ષમતા, સામૂહિક કસરત, સામૂહિક સંચાલન, સામૂહિક ગાયન, સામૂહિક પ્રાર્થના આવું શાખાનું સ્વરૂપ હોય છે.
 
`અમે' શબ્દમાં જ આત્મવિશ્વાસ રહેલો છે.
 
૧૯૨૬માં સંઘ શાખાનો આરંભ થયો. નાગપુરમાં કેટલાક યુવાનોના મનમાં `અમે' નો ભાવ નિર્માણ થયો હતો. તેથી ૧૯૨૭માં નાગપુરમાં થયેલ તોફાનોમાં હિન્દુઓનું રક્ષણ થઈ શક્યું.
 
`આપણે'ની વ્યાપકતા ગમે તેટલી મોટી થઈ શકે છે. સમાજમાં `અમે' ભાવનિર્માણ કરનાર ૮૦ હજારથી વધુ સંઘ શાખાઓ છે. અરુણાચલ હોય, ગુજરાત હોય, ઉત્તરાખંડ હોય કે કેરળ બધે જ આ પ્રયત્ન ચાલુ છે.
 
આપણે શબ્દમાં આત્મીયતાનો ભાવ રહેલો છે ભૂકંપ પૂર વાવાઝોડું દુકાળના સંકટ સમયે મદદ કરવાની સહજ વૃત્તિ દેખાઈ આવે છે.
 
`આપણે' એટલે સહસંવેદના. સંવેદના ઉત્પન્ન કરનારાં ગીતો શાખામાં ઉત્સાહભેર ગવાય છે.
 
દાત.
 
૧, भोजन कपड़ा घर की सुविधा
शिक्षा सबको सुलभ रहे ।
ऊंच-नीच लवलेश न हो
छुआछूत अवशेष न हो
एक लहु सबकी नस नस में
अपनेपनकी रीत गहे।
 
૨,
शुद्ध सात्त्विक प्रेम अपने
कार्य का आधार है,
कोटी आंखों से निरंतर
आज आंसू बह रहे हैं।
आज अगणित बंधु अपने
यातनाएं सह रहे हैं,
दु:ख हरे सुख दे
सभी को बस यही अधिकार है।
 
દસ ભાષણોથી જે અસર નહીં થાય તે એક ગીતથી થશે. એવો અનુભવ સંઘ શાખામાં આવે છે. હાલ એક લાખ સાઇઠ હજાર સેવાકાર્યો `આપણું'ની ભાવનાથી સ્વયંસેવકો દ્વારા ચાલુ છે.
 
સંઘ શાખા એટલે સમાજમાં કર્તવ્યભાવ જગાવનારું કામ. ભારત મારો દેશ છે બધા ભારતીયો મારા ભાઈ છે. આ વાક્યથી સંવિધાનમાં આપેલી પ્રતિજ્ઞા શરૂ થાય છે `ભારત માતાકી જય' આ વાક્ય પહેલા દિવસથી સંઘે સ્વીકારેલ છે. સંઘ શાખા ઉપર ઉપસ્થિત થયેલ બધા સામૂહિક રીતે `ભારત માતાકી જય' બોલે છે. સમૂહ ગમે તેટલો મોટો હોય, વિવિધ ભાષા બોલનારો હોય, વિવિધ સંપ્રદાયમાં માનનારો હોય, વિવિધ પ્રાંતનો હોય, જ્યારે બધા એક સ્વરે `ભારત માતા કી જય' કહે છે ત્યારે `ભારત મારો દેશ છે' આ શબ્દનો દાયરો ખૂબ મોટો થાય છે. ઊંચ-નીચ, આભડછેટ, ભાષાભેદ, પ્રાંતભેદ, ઉત્તર-દક્ષિણ અથવા પૂર્વ- પશ્ચિમ કોઈપણ ભેદ એક માતાના સંતાનો કહ્યા પછી રહેતો જ નથી. બધા ઉપર પ્રેમ કરવો, નિયમોનું પાલન કરવું સહજ થઈ જાય છે. પછી અધિકાર નહીં કર્તવ્યબોધ જાગૃત થાય છે.
 
સંઘનું કામ શરૂ થઈને નવ્વાણું (૯૯) વર્ષ પૂરાં થયાં. `આપણે'નો ભાવ જાગ્રત કરવામાં સંઘને યશ પ્રાપ્ત થયો છે. શતાબ્દી વર્ષમાં નો દાયરો હજી વધારવાનો સંઘનો વિચાર છે. સમાજહિતનાં નાનાં મોટાં કામો કરવાની ઇચ્છા હોય એવી વ્યક્તિઓ અને સંસ્થાઓ ઘણી છે. એવા બધા સુધી પહોંચવાનો વિચાર લઈને એવી યોજનાઓ તૈયાર થઈ રહી છે..
 
આવો, ભારતનો આ મહારથ બધા સાથે મળીને ખેંચીએ.
 
બધા એટલે કોઈ પણ સહભાગી થઈ શકે છે. પોતાનું યોગદાન આપી શકે છે. મતભેદ અને મનભેદ થવાનો પ્રશ્ન જ નથી. ની ભાવનાનો ચમત્કાર સમાજને જોવા મળશે આવા પાંચ વિષય શતાબ્દી વર્ષ નિમિત્તે નક્કી કર્યા છે.
 
૧, વ્યક્તિગત, કૌટુંબિક અને સામાજિક વ્યવહાર સમરસતાપૂર્ણ હોય. અહીં કોઈ પણ પ્રકારના ભેદભાવને જગ્યા નથી. આભડછેટ(સ્પૃશ્ય-અસ્પૃશ્ય)નો ભાવ પૂર્ણપણે નષ્ટ્ર થાય.
 
૨, આપણી કુટુંબસંસ્થાની સંસ્કારક્ષમતા વધારવી.
 
૩, પર્યાવરણ શુદ્ધ રહે તે માટે દરેકે કરવા જેવી નાની નાની વાતો છે. ઘરમાં, ઉદ્યોગમાં અને ખેતીમાં પાણી સાચવીને વાપરવું, જન્મદિવસ એકાદ છોડ વાવીને ઊજવવો, અયોગ્ય પ્લાસ્ટિક ન વાપરવું અને કચરાનો યોગ્ય નિકાલ કરવો.
 
૪, નાગરિક કર્તવ્યનું પાલન. યાતાયાત વાહનોના નિયમોના પાલનથી લઈને ઉમેદવારે ચૂંટણીના સમયે મતદાન ચૂક્યા વગર કરવું ત્યાં સુધી અનેક વાતો સમાવી લેવામાં આવી છે, જેનો તેણે વિચાર કરવો.
 
૫, સ્વદેશીનું આચરણ કરવું અને સ્વાભિમાનથી જીવવું. સ્વદેશીના આચરણથી રોજગાર નિર્માણ થશે. દરેક વ્યક્તિ જો એકાદ પણ ખાદીનું કપડું ખરીદશે તો પણ ઘણા લોકોને રોજગાર મળશે. ભજન, ભોજન, ભવન, ભાષા, ભૂષામાં સ્વદેશી કેટલું લાવી શકાય એનો વિચાર કરવો.
 
સ્વાભિમાન આપણા દેશનું, પર્વતોનું, નદીઓનું, આપણા ઋષિમુનિઓ, સાધુસાધ્વીઓનું, સંતો, વૈજ્ઞાનિકો, કલાકારોનું, વીરો અને પરાક્રમી પુરુષોનું, વીરાંગનાઓ, આપણી સર્વ ભાષાભગિનીનું હોવું પણ જરૂરી છે. નવી પેઢીને આ સ્વાભિમાનનો વારસો મળવો જોઈએ.
 
જેટલો `અમે'નો આ ભાવ જાગૃત થશે તેટલો જ દેશ પ્રગતિપથ પર આગળ વધતો અનુભવાશે.
 
आम्ही पुत्र अमृताचे,
आम्ही पुत्र या धरेचे ।
उजळून आज दावू,
भवितव्य मातृभूचे ।।
 
અર્થાત્‌
 
પુત્રો અમે અમૃતના,
સહુ પુત્ર આ ભૂમિના ધરતીના.
આજે પ્રકાશિત કરીશું
ભવિતવ્ય પૂજ્ય માનું.
`નાગપુરની એક સભા'માં બ
નેલી ઘટના બાબતે ડો. કેશવ બળીરામ હેડગેવારનું કેટલું ઊંડું ચિંતન હશે? એકલાપણાના દોષથી, `અમે' નો ભાવ વધારનારી સંઘશાખા દેશને મળી એ વ્યક્તિ અને સમાજમાં પરિવર્તન લાવનારી વાત નથી કે?
 
***
 
લેખક – મધુભાઈ કુલકર્ણી
(વરિષ્ઠ પ્રચારક – રા.સ્વ.સંઘ)
 
અનુવાદ - જ્યોતિ ભાંડારી
Powered By Sangraha 9.0