ભારતીય નારીની સંકલ્પના અને તેનું સ્થાન અન્ય કરતાં કેવી રીતે ભિન્ન છે?
બુદ્ધિમત્તાની દૃષ્ટિએ ઉચ્ચ માનાંકો ધરાવતી સ્ત્રીઓને વિદ્વતજનોની સભામાં કે રાજસભામાં ઋષિમુનિઓ સાથે શાસ્ત્રાર્થ કરતાં કોઈએ ક્યારેય રોકી ન હતી. એથી વિશેષ આવા શાસ્ત્રાર્થ કે વિદ્વત્ ચર્ચાઓમાં તે નિર્ણાયકની ભૂમિકા પણ ભજવી શકતી હતી...
નારીનું સૌથી નમણું કોઈ રૂપ હોય, નિર્વ્યાજ અને અસ્ખલિત પ્રેમનું. સૌથી નોખું-અનોખું કોઈ ઉદાહરણ હોય તો એ છે મા. એ જન્મ આપનાર દેવકી હોય કે લાલન-પાલન કરનાર યશોદા. માતાનો પ્રેમ અતુલ્ય છે. ..
શીલવાન પુરુષોમાં ઉત્તમ એવા પુરુષોત્તમ શ્રીરામચંદ્રના મહિમાને મંદોદરી પારખી શક્યાં હતાં. રામચંદ્રના પુરુષાર્થ, સચ્ચાઈ, પવિત્રતા વગેરે ઉચ્ચ ગુણોની મંદોદરીને હૃદયથી ખાતરી થઈ ચૂકી હતી અને રામચંદ્રને જોયા વિના જ અંતરથી તેઓ તેમનાં ભક્ત બની ચૂક્યાં હતાં...
સત્યવાનનાં ધર્મપત્ની સાવિત્રી | Sati Savitri Vishe Mahiti
એક સ્ત્રી જો ઇચ્છે તો પોતાના પતિને યમરાજ પાસેથી પણ પાછો લાવી શકે છે. બસ જરૂર છે, તેનામાં સતીત્વની અને એ સતીત્વ ધર્મગ્રંથો અને રાજર્ષિઓનાં સત્સંગથી આવે છે...
દેવી અરુંધતી વિશે જાણવા જેવી એક વાત એ પણ છે કે, રામચંદ્રે જ્યારે સીતાજીને ત્યજી દીધાં હતાં ત્યારે દેવી અરુંધતીએ જ પોતાના યજમાનની એ ગુણિયલ કુલવધૂનું ગુપ્ત રીતે રક્ષણ કર્યું હતું. ..
વિશ્વવસુનાં પુત્રી મદાલસા | Madalasa - daughter of Vishvasu
મહાસતી મદાલસાએ પોતાના ચારે પુત્રોનો ઉદ્ધાર કરીને પોતે પણ પતિ સાથે પરમાત્મચિંતનમાં ચિત્ત પરોવ્યું અને થોડા જ સમયમાં તે મોક્ષસ્વરૂપ પરમપદને પ્રાપ્ત થયાં...
સતી વૃંદાને જ્યારે સાચી હકીકતની ખબર પડી કે, દેવોના દેવ વિષ્ણુએ તેની સાથે છળ કપટ કર્યું છે ત્યારે તેને ખૂબ આઘાત લાગ્યો. તેણે ખૂબ આક્રંદ મચાવ્યું અને ભગવાનને શાપ આપ્યો કે તે શિલા- પથ્થર બની જાય...
દુષ્યંતે શકુંતલા સાથે જ તેમનાં માતા-પિતાનું પણ અપમાન કર્યું. શકુંતલાએ કહ્યું, તમે અન્ય લોકોમાં સરસિયાના દાણા સમાન નાના દોષ જોઈ રહ્યા છો, પરંતુ પોતાના મોટા દોષને તમે જોઈ રહ્યા નથી...
દેવહૂતિ હંમેશા પતિસેવા, ગૃહકાર્ય વગેરે કરી પતિ સાથે ઈશ્વર આરાધનામાં તત્પર રહેવા લાગ્યાં. નિત્ય કર્મ કર્યા પછી નવરાશમાં પતિ પાસેથી તત્ત્વજ્ઞાન મેળવવાનો પ્રયાસ કરતાં. સતીને બ્રહ્મજ્ઞાન ઘણું પ્રિય હતું. ..
માતા અંજનીએ તેમના પુત્ર હનુમાનજીને આપેલા સંસ્કારો, શિક્ષા-ઘડતર વગેરે આપણે ભૂલી શકીએ તેમ નથી. તેથી જ માતા અંજની શ્રેષ્ઠ નારી હતાં. પુત્રની સાથે સાથે તેમને પણ વંદન!
..
ભારતીય નારીની ન્યાયપ્રિયતા, વિદ્વત્તા, બુદ્ધિપ્રતિભા અને નિષ્પક્ષતા જેવા માનવજીવનને માટે ઉચ્ચકક્ષાના જે આવશ્યક ગુણો છે, તે ભારતી દેવીના જીવન અને વ્યક્તિત્વમાં આપણને નિહાળવા મળે છે...
જીવન જીવથી શિવ સુધી પહોંચવાની એક યાત્રા છે. પૈસાદાર બનવું સહેલું છે પણ શ્રીમંત બનવું અઘરું છે. કૃષ્ણનું સંગીત હૃદયની ધડકનમાં ભળે તો જ જીવન સાર્થક થાય. ભાગવત આકાશ છે...
ધૃતરાષ્ટ વિદુરજીની વાત સમજવાને બદલે ગુસ્સે થઈ ગયા અને બોલ્યા, તમે તો દાસીપુત્ર છો. તમે મારું અન્ન ખાઓ છો, છતાં મને જ શિખામણ આપવા આવી ગયા? હું મારા પુત્ર દુર્યોધનને જ સાથ આપીશ...
સહસ્રાર્જુન અને પરશુરામ - તેમણે પરશુરામજીને અનેક આશીર્વાદ આપ્યા....
પરશુરામજી સહસ્રાર્જુનને મારીને પોતાની કામધેનુ ગાયને લઈને પિતાજી પાસે પહોંચી ગયા. મહર્ષિ યમદગ્નિ કામધેનુને જોઈને ખૂબ જ પ્રસન્ન થઈ ગયા. તેમણે પરશુરામજીને અનેક આશીર્વાદ આપ્યા...
પ્રજાપાલક પૃથુ | મહારાજ પૃથુની યશોગાથા જન્મોજન્મ સુધી પૃથ્વી ૫૨ કહેવાશે અને સંભળાશે.
હે મહારાજ! હું મારી અંદર અન્ન અને ઔષધીને છુપાવી ન લઉં તો શું કરું? મારું અનેક પ્રકારનું અનાજ ખાઈને અને અમૃત સમાન પાણી પીને મનુષ્ય વધુ ને વધુ પાખંડી, અધર્મી અને અત્યાચારી બની રહ્યા છે...
ગૃહસ્થજીવનનું મહત્ત્વ | ભગવાનની ભક્તિ સાથેનું ગૃહસ્થજીવન ઉત્તમ જીવન છે.
જે લોકો ભગવાનની ભક્તિની સાથોસાથ સાંસારિક કામો પણ કરે છે, તેને મૃત્યુ બાદ પ્રિયવ્રતની જેમ દિવ્યધામની પ્રાપ્તિ થાય છે. ભગવાનની ભક્તિ કરવા માટે ગૃહસ્થજીવનનો ત્યાગ ન કરવો જોઈએ. ભગવાનની ભક્તિ સાથેનું ગૃહસ્થજીવન ઉત્તમ જીવન છે...
ભગવાન શ્રીકૃષ્ણ અને રુક્મણી - જો તમે નહીં પહોંચો, તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ....
હું પણ લગ્નનાં વસ્ત્રોમાં તૈયાર થઈને ગિરિજાના મંદિરે જઈશ. હું ઇચ્છું છું કે તમે ગિરિજા મંદિર પહોંચીને મને પત્નીના રૂપમાં સ્વીકારી લો. જો તમે નહીં પહોંચો, તો હું મારા પ્રાણનો ત્યાગ કરી દઈશ...