Video : CAA પર કથાકાર રમેશભાઈએ કહ્યું કે ઘુષણખોરોને તો બહાર કાઢવા જ પડશે

    ૨૬-ડિસેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

bhaishri_1  H x
 
 
CAA અને NRC બિલને લઈને દેશ આખામાં દેખાવો થઈ રહ્યા છે, રાજનીતિ થઈ રહી છે ત્યારે શ્રીમદભગવદ કથાકાર પરમ પૂજ્ય ભાઈશ્રી રમેશભાઈએ આ સંદર્ભે દેશ આખાને અપીલ કરી છે…
 

એક કથા દરમિયાન ઉપસ્થિત શ્રોતાઓને સંબોદતા તેમણે જણાવ્યું કે…

 
દુનિયામાં ઇસ્લામિક રાજ્ય ઘણા છે પણ હિન્દુરાષ્ટ્ર કેટલા છે? જે હતું તેને પણ ન રહેવા દીધું. અહીં તો એક સારો કાયદો બનાવી દેશમાં એક સુવ્યવસ્થા લાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે ને તેમાં પણ રાજનીતિ થઈ રહી છે. આનો વિરોધ થઈ રહ્યો છે, બસો સળગાવવામાં આવી રહી છે. યુનિવર્સીટીના વિદ્યાર્થીઓ આવું કરી રહ્યા છે! આ વિદ્યાર્થીઓનું કામ છે? બસ સળગાવવી, પથ્થરબાજી કરવી! આ તો ગુંડાઓનું કામ છે.
 
હા, ગણતંત્રમાં વિરોધ કરવાનો અધિકાર બધાને મળે છે. વિરોધ કરવો તેમનો અધિકાર છે પણ વિરોધની એક રીત હોય. અસહમતી દર્શાવવાનો અધિકાર છે પણ સાર્વજનિક સંપત્તિને નુકશાન પહોંચાડવાનો અધિકાર કોઇની પાસે નથી.
 
આ દેશના નાગરિકોને આ કાયદાથી ડરવાની જરૂર નથી તેમને ચિંતા કરવાની જરૂર નથી. આવું વારંવાર કહેવામાં આવી રહ્યું છે છતાં તમને ચિંતા કેમ થાય છે? ઘુષણખોરોને તો બહાર કાઢવા જ પડશે. એક ભારતીય હોવાના નાતે આ તો સ્વીકાર્ય હોવું જોઇએ. તમારા ઘરમાં કોઇ ધુસી જાય તો તમે શું કરો? ભારત પણ આપણું ઘર છે. અહીં કોઇ પણ કઈ રીતે ઘુસી શકે? આ કંઇ બોડી બામણીનું ખેતર છે. આ બેદરકારી છે, જો આ સ્થિતિ ન બદલાય તો આવનારા ૨૦ વર્ષમાં તેની ભયંકર સ્થિતિ ઉદભવશે. માટે ઘરમાં થોડો કચરો વધી ગયો છે તેને સાફ કરવો જ પડે. આપણા ગૃહમંત્રીએ સાચું જ કહ્યું છે કે ઘુષણખોરોએ તો પાછું જવું જ પડશે…
 
સાંભળો વીડિઓમાં.....Video #1
 
 
 
 
 
 સાંભળો વીડિઓમાં.....Video #2