જગન્નાથ પુરીની રથયાત્રા શા માટે વિશ્ર્વમાં અદ્વિતીય? જાણો માત્ર ૨ મિનિટમાં

    ૦૪-જુલાઇ-૨૦૧૯   

 
 

અષાઢી બીજ (તા. ૪ જુલાઈ, ૨૦૧૯) રથયાત્રા નિમિત્તે વિશેષ

તા. ૪ જુલાઈ, ૨૦૧૯ના રોજ અષાઢી બીજ છે. એટલે હિન્દુઓનું પાવન પર્વ રથયાત્રા. દેશના-વિદેશના અનેક ભાગોમાં આ શુભ દિને રથયાત્રા નીકળે છે. જેમાં જગન્નાથપુરી - ઓરિસ્સાની રથયાત્રા વિશ્ર્વ શ્રેષ્ઠ છે. બીજા ક્રમે અમદાવાદની રથયાત્રા છે. આ અંકમાં જગન્નાથપુરીની રથયાત્રાની વિશેષતા, ધાર્મિક માહાત્મ્ય અને અજબ-ગજબની વાતો પ્રસ્તુત છે...

કળીયુગનું પવિત્ર ધામ છે જગન્નાથપુરી

 
હિન્દુ ધર્મની પૌરાણિક માન્યતાઓમાં ચાર ધામોમાં પ્રત્યેકને એક યુગનું પ્રતીક માનવામાં આવે છે. આ પ્રકારે કળીયગુમાં પવિત્ર ધામ જગન્નાથ પુરી માનવામાં આવે છે. તે ભારતના પૂર્વ ઓરિસ્સા રાજ્યમાં સ્થિત છે, જેનું પુરાતન નામ પુરુષોત્તમ પુરી, નીલાંચલ, શંખ અને શ્રીક્ષેત્ર પણ છે. ઓરિસ્સા કે ઉત્કલ ક્ષેત્રના પ્રમુખ દેવતા ભગવાન જગન્નાથ છે. એવી ધાર્મિક માન્યતા છે કે ભગવાન જગન્નાથની મૂર્તિ રાધા અને શ્રીકૃષ્ણનું યુગલસ્વ‚પ છે. શ્રીકૃષ્ણ, ભગવાન જગન્નાથના જ અંશસ્વ‚રૂપ છે. એટલા માટે ભગવાન જગન્નાથને જ પૂર્ણ ઈશ્ર્વર માનવામાં આવ્યા છે.
 

 

કળીયુગનું પવિત્ર ધામ છે જગન્નાથપુરી

 
ભગવાન જગન્નાથની રથયાત્રા કાઢવાની પરંપરા રાજા ઇન્દ્રદ્યુમ્ને શ‚રૂ કરી હતી. આ કથા સંક્ષેપમાં આ પ્રકારે છે -
કળીયુગના શ‚આતના સમયમાં માલવ દેશ ઉપર રાજા ઇન્દ્રદ્યુમ્નનું શાસન હતું. તે ભગવાન જગન્નાથનો ભક્ત હતો. એક દિવસ ઇન્દ્રદ્યુમ્ન ભગવાનનાં દર્શન કરવા નીલાંચલ પર્વત ઉપર ગયા તેને ત્યાં દેવ મૂર્તિનાં દર્શન ન થયાં. નિરાશ થઈને જ્યારે પાછા આવવા લાગ્યા ત્યારે ભવિષ્યવાણી થઈ કે ખૂબ જલદી ભગવાન જગન્નાથ મૂર્તિના સ્વ‚રૂપમાં ફરી ધરતી ઉપર આવશે. આ સાંભળીને તે ખુશ થયો.
 
એકવાર જ્યારે ઇન્દ્રદ્યુમ્ન પુરીના સમુદ્રતટ ઉપર ફરી રહ્યો હતો ત્યારે તેને સમુદ્રમાં લાકડાના બે વિશાળ ટુકડા તરતા દેખાયા. ત્યારે તેને ભવિષ્યવાણીની યાદ આવી અને વિચાર્યું કે આ લાકડાથી જ ભગવાનની મૂર્તિ બનાવશે. ત્યારે ભગવાનની આજ્ઞાથી દેવતાઓના શિલ્પ વિશ્ર્વકર્મા ત્યાં લાકડાની મૂર્તિ બનાવનાર સુથારના રૂ‚પમાં આવ્યા અને તેને એ લાકડામાંથી ભગવાનની મૂર્તિઓ બનાવવા માટે રાજાને કહ્યું. રાજાએ તરત જ હા પાડી દીધી. ત્યારે સુથારના ‚પમાં વિશ્ર્વકર્માએ એવી શરત રાખી કે મૂર્તિનું નિર્માણ એકાંતમાં કરશે અને જો કોઈ ત્યાં આવે તો તે કામ અધૂરું છોડીને ચાલ્યો જશે. રાજાને શરત માની લીધી. ત્યારે વિશ્ર્વકર્માએ ગુન્ડિયા નામના સ્થળે મૂર્તિ બનાવવાનું કામ શરૂ કર્યું. એક દિવસ ભૂલવશ રાજા સુથારને મળવા પહોંચી ગયો. તેમને જોઈને વિશ્ર્વકર્મા ત્યાંથી અંતર્ધ્યાન થઈ ગયા અને ભગવાન જગન્નાથ, બળભદ્ર અને સુભદ્રાની મૂર્તિઓ અધૂરી રહી ગઈ. ત્યારે ભવિષ્યવાણી થઈ કે ભગવાન આ રૂ‚પમાં જ સ્થાપિત થવા માગે છે. ત્યારે રાજા ઇન્દ્રદ્યુમ્ને વિશાળ મંદિર બનાવ્યું અને ત્રણે મૂર્તિને ત્યાં સ્થાપિત કરી. ભગવાન જગન્નાથે મંદિરનિર્માણના સમયે રાજા ઇન્દ્રદ્યુમ્નને બતાવ્યું હતું કે તેઓ વર્ષમાં એકવાર પોતાની જન્મભૂમિ ચોક્કસ આવશે. સ્કંદપુરાણના ઉત્કલ ખંડ પ્રમાણે ઇન્દ્રદ્યુમ્ને અષાઢ શુક્લ દ્વિતિયાના દિવસે પ્રભુએ તેમની જન્મભૂમિ જવાની વ્યવસ્થા કરી. ત્યારથી આ પરંપરા રથયાત્રાના ‚રૂપમાં ચાલી આવી રહી છે. એક અન્ય મત પ્રમાણે સુભદ્રાની દ્વારિકાદર્શનની ઇચ્છા પૂરી કરવા માટે શ્રીકૃષ્ણ અને બલરામે અલગ-અલગ રથોમાં બેસાડીને યાત્રા કરી હતી. સુભદ્રાની નગરયાત્રાની યાદમાં આ રથયાત્રા પુરીમાં દર વર્ષે યોજાય છે.
 

 

જગન્નાથ પુરી મંદિરના રોચક તથ્યો

 
પવિત્રતમ ચાર ધામ પૈકીનું એક ગણાતું ઓરિસ્સા (ઉત્કલ) ભુવનેશ્ર્વર પાસે આવેલું જગન્નાથપુરીનું મંદિર ઐતિહાસિક અને ભૌગોલિક રીતે ચમત્કારિક માનવામાં આવે છે. સ્કંદપુરાણ અનુસાર પુરી દક્ષિણાવર્તી શંખના આકારમાં પાંચ કોસ (૧૬ કિ.મી.)ના ક્ષેત્રમાં વિસ્તરેલું છે. વિશ્ર્વકલ્યાણના પ્રતીક‚રૂપે ભગવાન જગન્નાથજીની સાથે તેમના ભાઈ બલભદ્ર અને બહેન સુભદ્રાજી અહીં બિરાજમાન છે. મહાભારતના વનપર્વમાં વર્ણવ્યા મુજબ સબર આદિવાસી વિશ્ર્વવસુએ નીલમાધવના ‚પમાં સૌ પ્રથમ પૂજા કરેલી. માળવાના રાજા ઇન્દ્રદ્યુમ્ને નિર્માણ કરાવેલા આ મંદિરની ટોચે ફરતી ધજા હંમેશા પવનથી વિપરીત દિશામાં લહેરાય છે, જે આશ્ર્ચર્યજનક છે. વિશ્ર્વનું સૌથી ભવ્ય ૪ લાખ વર્ગફૂટના ક્ષેત્રમાં અને ૨૧૪ ફૂટ ઊંચુ મંદિર છે, જેના મુખ્ય ગુંબજની છાયા પૃથ્વી પર ક્યારેય પડતી નથી. મંદિરની ટોચે લાગેલું સુદર્શનચક્ર ગમે તે બાજુથી જુઓ તો પણ સદૈવ સન્મુખ જ દેખાશે. સામાન્ય રીતે હવા સમુદ્રથી જમીન તરફ આવે છે, પરંતુ અહીં હવા જમીનથી સમુદ્ર તરફ ફૂંકાય છે.
  
મંદિરના ગુંબજની આસપાસ કોઈ પક્ષી ઊડતું નથી એટલું જ નહીં એની ઉપરથી કોઈ હવાઈ જહાજ પણ પસાર થતું નથી. મંદિરના પરિસરમાં આવેલા વિશ્ર્વના સૌથી મોટા રસોડામાં માટીના સાત વાસણ એક ઉપર એક ચઢાવી રસોઈ તૈયાર કરવામાં આવે છે, જેમાં નીચે અગ્નિ પેટાવતાં સૌથી ઉપરના વાસણની રસોઈ પહેલાં તૈયાર થાય છે. છેલ્લે અગ્નિ ઉપર રાખેલા પાત્રની ! ૫૦૦ જેટલા રસોઈયાના હાથે એકવાર તૈયાર થયેલી રસોઈ ગમે તેટલા હજારો માણસો જમે તેમ છતાં તે ક્યારેય ખૂટતી નથી. મંદિરના સિંહદ્વારની અંદર પગ મૂકતાં જ સમુદ્રનાં મોજાંનો સહેજ પણ અવાજ આવતો બંધ થઈ જાય છે. એ જ રીતે મંદિરના સ્વર્ગદ્વારની પાસે જ મોક્ષપ્રાપ્તિ અર્થે મૃતદેહ જલાવવામાં આવે છે, તેમ છતાં મંદિરમાં તેની કોઈ દુર્ગંધ પ્રવેશી શકતી નથી. ગર્ભગૃહમાં લાકડાની બનેલી ત્રણે મૂર્તિનાં ફ્લેવર દર બાર વર્ષે બદલાતાં હોવા છતાં તેના ઓજસમાં કોઈ ફેર પડતો નથી.