અમે ૫૦૦-૬૦૦ રન બનાવશું અને બાંગ્લાદેશને ૫૦ રનમાં ઓલઆઉટ કરીશું – સરફરાજ

    ૦૫-જુલાઇ-૨૦૧૯   
કુલ દૃશ્યો |

 
 
ઇંગ્લેન્ડમાં યોજાયેલ ક્રિકેટ વર્લ્ડ કપ ૨૦૧૯માં આજે બાંગ્લાદેશ અને પાકિસ્તાનની મેચ છે. પહેલો રાઉન્ડ પૂરો થવા આવ્યો છે. લગભગ સેમી ફાઈનલની ૪ ટીમ નક્કી થઈ ગઈ છે. ઑસ્ટ્રેલિયા, ભારત, ઇંગ્લેન્ડ સેમીફાઈનલ માટે ક્વોલિફાઈ થઈ ગઈ છે. ન્યુઝીલેન્ડ પણ ચોથા નંબરે નક્કી જ છે. પણ આજની પાકિસ્તાન અને બાંગ્લાદેશ વચ્ચેની ઓપચારિક મેચ બાકી છે.
 
આ મેચ પછી ન્યુઝીલેન્ડ સેમી ફાઈનલમાં પહોંચી જશે અને પાકિસ્તાન વર્લ્ડ કપમાંથી બહાર ફેંકાઈ જશે. બાંગ્લાદેશ તો આ મેચ માત્ર ઓપચારિકતા ખારત રમી રહ્યું છે કેમ કે તે સેમી ફાઈનલની રેસમાંથી પહેલાથી જ બહાર થઈ ગયું છે. પાકિસ્તાન સેમી ફાઈનલની રેસમાં છે પણ આ રેસ પાકિસ્તાન જીતે તે અશક્ય જ છે. કેમ કે આજની બાંગ્લાદેશ સામેની મેચ પાકિસ્તાન ૩૨૦ કરતા વધારે રનથી જીતે તો જ તેની રનરેટ ન્યુઝીલેન્ડ કરતા વધારે થાય અને તે સેમી ફાઈનલમાં પહોંચે. જે શક્ય જ નથી.
 
પણ પાકિસ્તાન અને બાંગ્લાદેશની મેચ પહેલા પાકિસ્તાનના કેપ્ટન સરફરાજ અહમદે મીડિયા સામે એક વાત કરી છે. સરફરાજે કહ્યું કે અમે આ મેચ ખૂબ મોટા માર્જિનથી જીતવાની કોશિશ કરીશું. અમે ૫૦૦ કરતા વધારે રન બનાવીશું અને બાંગ્લાદેશને ૫૦ રનમાં ઓલઆઉટ કરવાની કોશિશ કરીશુ.
 

સાંભળો... 

 
 
 

પ્રદીપ ત્રિવેદી

પ્રદીપ ત્રિવેદી એટલે મી. ગૂડબાય. વર્ષના અંતે જે છાપાઓની ગૂડ બાય પૂર્તિઓ પ્રકાશિત થાય છે તેમાં ખૂબ મોટો ફાળો તેમનો હોય છે. રમત ગમત ક્ષેત્રે તેમણે ખૂબ લખ્યું છે. દેશ-વિદેશનાં છાપાઓનું સારું એવું કલેક્શન તેમની પાસે છે. યોગ કરવા અને કરાવવા તેમને ગમે છે. સાધના સાપ્તહિક્ના તેઓ નિયમિત લેખક છે. પહેલા "ગુજરાતને જાણો અને માણો" પછી "રાજ્યને જાણો અને માણો" અને હવે "લેટેસ્ટ જનરલ નોલેજ"ની કોલમ તેઓ સાધનામાં લખે છે.