પાથેય । એકાગ્રતાનું સામર્થ્ય: અશક્યને શક્ય બનાવતી યોગવિદ્યા

‘મેં મારા જીવનમાં ક્યારેય બંદૂક ચલાવી નથી. આ સફળતાનું રહસ્ય માત્ર એકાગ્રતા છે.

    ૧૯-જૂન-૨૦૨૬   
કુલ દૃશ્યો |

vivekananda
 AI Generataed 
 
 
સ્વામી વિવેકાનંદ અમેરિકા પ્રવાસે હતા ત્યારે એક દિવસ તેઓ નદીકાંઠે ફરી રહ્યા હતા. ત્યાં કેટલાક યુવાનો બંદૂક વડે નદીમાં તરતા ખોખાંને નિશાન બનાવતા હતા, પરંતુ સતત પ્રયત્નો છતાં કોઈપણ યુવાન નિશાન ભેદી શકતો નહોતો.
 
સ્વામીજી થોડા સમય સુધી શાંતિથી આ દૃશ્ય નિહાળતા રહ્યા. યુવાનો વારંવાર નિષ્ફળ જતા હતા. તેમના ચહેરા પર નિરાશા દેખાતી હતી, એક યુવાને સ્વામીજીની મશ્કરી કરવાના આશયથી પૂછ્યું: ‘શું તમે આ નિશાન ભેદી શકો છો?’
 
સ્વામીજી સ્મિત કરીને આગળ વધ્યા. તેમણે જીવનમાં અગાઉ ક્યારેય બંદૂક ચલાવી નહોતી, છતાં તેમણે બંદૂક હાથમાં લીધી. થોડો સમય એકાગ્રતાપૂર્વક નિશાન તરફ જોયું અને ગોળી ચલાવી. આશ્ચર્યજનક રીતે નિશાન ચોક્કસ વાગ્યું. પછી તેમણે બીજી, ત્રીજી, ચોથી એમ અનેક ગોળીઓ ચલાવી અને દરેક વખતે નિશાન ભેદ્યું.
 
યુવાનો અચંબિત થઈ ગયા, તેમણે વિચાર્યું કે કદાચ સ્વામીજી કોઈ કુશળ શૂટર હશે. જ્યારે તેમણે પૂછ્યું કે, ‘તમે આટલી ચોકસાઈ કેવી રીતે મેળવી?’ ત્યારે સ્વામીજીનો ઉત્તર અત્યંત પ્રેરણાદાયક હતો.
 
તેમણે કહ્યું, ‘મેં મારા જીવનમાં ક્યારેય બંદૂક ચલાવી નથી. આ સફળતાનું રહસ્ય માત્ર એકાગ્રતા છે. જ્યારે મન સંપૂર્ણપણે એક બિંદુ પર કેન્દ્રિત થાય છે ત્યારે સફળતા નિશ્ચિત બને છે.’ સ્વામી વિવેકાનંદની આ ક્ષમતા કોઈ ચમત્કાર નહોતી. પણ વર્ષોની યોગસાધના, ધ્યાન અને મનના નિયંત્રણનું પરિણામ હતી. યોગનો મૂળ અર્થ જ મનને સ્થિર અને એકાગ્ર બનાવવાનો છે. આપણે સામાન્ય રીતે કોઈ કાર્ય કરીએ ત્યારે મન અનેક દિશાઓમાં ભટકતું રહે છે. અભ્યાસ કરતાં હોઈએ ત્યારે મોબાઇલ યાદ આવે, કામ કરતાં હોઈએ ત્યારે અન્ય ચિંતાઓ સતાવે, પરિણામે કાર્યક્ષમતા ઘટે છે. પરંતુ યોગ અને ધ્યાન મનને વર્તમાન ક્ષણમાં સ્થિર રાખવાનું શીખવે છે.

ટીમ સાધના

સાધનાની સંપાદકીય ટીમ દ્વારા લખાયેલા લેખ એટલે ટીમ સાધના...