ગુજરાત સરકારનો નિર્ણય આગામી 20 નવેમ્બરથી 16 ચેકપોસ્ટ નાબૂદ, આ રહી એ ૧૬ ચેકપોસ્ટ

    ૧૪-નવેમ્બર-૨૦૧૯   
કુલ દૃશ્યો |

રાજ્ય સરકારે આજે વધુ એક મહત્વપૂર્ણ જાહેરાત કરી છે. જેમાં સરકારે આગામી 20 નવેમ્બરથી 16 ચેક પોસ્ટ નાબૂદ કરવાની જાહેરાત કરી છે, આ ઉપરાંત વાહન ચાલકો ટેક્સ અને ફીનું ઓનલાઈન પેમેન્ટ કરી શકશે
 
વાહન ચાલકો ટેક્સ અને ફી parivahan.gov.in પર ઓનલાઈન પેમેન્ટ કરી શકશે. ચેકપોસ્ટ પર રૂ. 332 કરોડની આવક હતી. જે હવે ઓનલાઈન સ્વીકારવામાં આવશે. ઓવર ડાયમેન્શન અને કાર્ગો માટેના વાહન અને માલની મુક્તિની જોગવાઈ મુજબ ઓનલાઈન ફી ચૂકવી મુક્તિ મેળવી શકશે. આ પરવાનગી ફક્ત વાહનના માપ અને માલના ઓવર ડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડ્યુલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે. તેમજ દંડ ઈ ચલણથી વસૂલવામાં આવશે.
 

કઈ કઈ આરટીઓ ચેકપોસ્ટ બંધ કરાશે

 
રાજ્યમાં હાલ અંબાજી, અમીરગઢ, ગુંદરી, થાવર, થરાદ, સામખીયાળી, જામનગર, શામળાજી, દાહોદ, ઝાલોદ, છોટાઉદેપુર, સાગબારા, કપરાડા, ભિલાડ, સોનગઢ અને વઘઈ ખાતે ચેકપોસ્ટ કાર્યરત છે.

સરકાર દ્વારા થયેલી જાહેરાત…

# ગુજરાત સરકાર ઐતિહાસિક નિર્ણય દ્રારા વાહન વ્યવહાર ખાતા હસ્તકની ૧૬ ચેકપોસ્ટ કાયમી ધોરણે તા. ૨૦.૧૧.૨૦૧૯ નાબુદ કરવાનો જાહેર કરે છે.
 
# ઓવર ડાયમેન્શન કાર્ગો (ઓડીસી) મોડયુલ પર વાહન માલિક કે ટ્રાન્સપોર્ટર વાહન અને માલ સંબંધિત સ્વૈરછિક જાહેરાત દ્રારા વાહન અને માલની લંબાઇ, પહોળાઇ, ઉંચાઇ જાહેર કરી શકશે અને ભરવાપાત્ર રકમ ઓનલાઇન ભરી શકશે.
 
# જો કોઇ વાહન માલિક ખોટી માહિતી ઓનલાઇન જાહેર કરશે અને પકડાશે તો બમણાં દંડની વસુલાત કરવામાં આવશે.
 
# ઓડીસ મોડયુલ દ્રારા બસ અને ટેક્ષી-મેક્ષીની ટેક્ષ અને ફી પણ ઓનલાઇન ભરી શકાશે. ઓનલાઇન ભરવામાં આવેલ ટેક્ષ અને ફી ની ચકાસણી QR Code સ્કેનર દ્રારા થઇ શકશે. આ QR Code રીસીપ્ટ Encrypted સ્વરૂપમાં હશે. રસીદની સાથે કોઇ છેડછાડ થઇ શકશે નહીં.
 
# ચેકપોસ્ટ નાબુદ કરવાથી રાજય સરકાર રોડ સેફટી માટે કોઇ સમાધાન કરવામાં આવશે નહીં.
 
# પરવાનગી ફકત વાહનના માપ અને માલના ઓવરડાયમેન્શન પૂરતી છે. ઓવરલોડ માલની પરવાનગી ઓડીસી મોડયુલ પર મળશે નહીં. ઓવરલોડ માલનું પરિવહન પ્રતિબંધિત છે.
 
# પ્રચાર-પ્રસારથી અન્ય રાજયના ટ્રાન્સપોર્ટ એસોસીએશન અને ટ્રક એસોસીએશનને જાગૃત કરવામાં આવેલ છે.
 
# ચેકપોસ્ટના વિકલ્પરૂપે વાહન માલિકો અને ટ્રાન્સપોર્ટરો ઉપર વિશ્વાસ અને ભરોસો મૂકવામાં આવશે.
 
# હાલ ગુજરાત રાજયની ચેકપોસ્ટ પરની આવક રૂા. ૩૩૨ કરોડ ચેકપોસ્ટ ઉપર વસુલ કરવામાં આવતી હતી. તે હવે જે આવક ઓવરડાયમેન્શન (ઓડીસી) મોડયુલ દ્રારા વસુલ કરવામાં આવશે.
 
# આ નિર્ણયથી ગુજરાત રાજય અને દેશના વાહન વ્યવહાર ઝડપી, કાર્યક્ષમ અને નફાલક્ષી, પારદર્શક બનશે. Ease of Doing Business ની દિશામાં ગુજરાત સરકારનો મહત્વપૂર્ણ કદમ છે.