આ માટે સૌથી પહેલા લોહી – વિકારો મટે તેવું ખોરાકમાં પરિવર્તન કરવું આનાથી ચામડીના અનેક રોગ મટી જશે
આયુર્વેદ જોડે દરેક રોગનો ઇલાજ છે અને એ પણ એકદમ સરળ. આપણું રસોડું જ આપણા માટે ઉપચારનો ખજાનો છે. તમને ખરજવું, ખસ, ખૂજલી, દરાજ જેવી કોઇ સમસ્યા હોય તો અપનાવી જુવો…
- ૫થી ૬ દિવસનો વાસી પેશાબ ખરજવા ઉપર સવારસાંજ ચોપડવાથી ખરજવું મટે છે.
- ખારેક અથવા ખજૂરના ઠળિયાની રાખ કપૂર અને હિંગ સાથે મેળવી ખરજવા પર લગાડવાથી.
- કળીચૂનો અને પાપડખાર પાણીમાં ભીંજવી ખરજવા ઉપર લગાડવાથી.
- તાંદળિયાની ભાજીનો રસ પીવાથી ખસ મટે છે.
- કાંદાનો રસ ખરજવા ઉપર લગાડવાથી તે મટે.
- ખરજવા ઉપર લીમડાનાં બાફેલા પાન બાંધવાથી અને લીમડાનો રસ સવાર-સાંજ પીવાથી.
- ચણાના લોટની માલિશ કરવી પછી સ્નાન કરવાથી ખૂજલી મટે. રાત્રે લીંબોળીનું તેલ ચોપડવું.
- રાઈ દહીં ઘૂંટીને દરાજ પર લગાડવાથી.
- આખા શરીરે શિવામ્બુની (વાસી પેશાબ)ની માલિશ કરવાથી ખૂજલી મટે છે.
- ખંજવાળ આવતી હોય તો તુલસીનાં પાનનો કે કુંવારપાઠાનો રસ, લીંબોળીનું તેલ ઘસવાથી મટે ચે.
- ખરજવા પર ગાયના છાણનો અથવા ગૌમૂત્ર કે સ્વમૂત્રનો પાટો બાંધવાથી ખરજવું મટે છે.
- આ માટે સૌથી પહેલા લોહી – વિકારો મટે તેવું ખોરાકમાં પરિવર્તન કરવું.